SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૨૯ આંખે પાટો બાંધે છે; તેને ચાલવાના માર્ગમાં સંકડાઈ રહેવું પડે છે. લાકડીનો માર ખાય છે; ચારે બાજા ફર્યા કરવું પડે છે; છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં; ભૂખ્યાતરસ્યાનું કહેવાય નહીં; શ્વાસોચ્છવાસ નિરાંતે લેવાય નહીં; તેની પેઠે જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે. ધુમાડા જેવાં લૂગડાં પહેરી તેઓ આડંબર કરે છે, પણ તે ધુમાડાની માફક નાશ પામવા યોગ્ય છે. આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે. જે જીવ આત્મેચ્છા રાખે છે તે નાણાને નાકના મેલની પેઠે ત્યાગે છે. માખી ગળપણમાં વળગી છે તેની પેઠે આ અભાગિયો જીવ કુટુંબના સુખમાં વળગ્યો છે. વૃદ્ધ, જુવાન, બાળ એ સર્વ સંસારમાં બૂડ્યાં છે. કાળના મુખમાં છે એમ ભય રાખવો. તે ભય રાખીને સંસારમાં ઉદાસીનપણે રહેવું. સો ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માંહીંથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. શ્રાવક કોને કહેવા ? જેને સંતોષ આવ્યો હોય; કષાય પાતળા પડ્યા હોય; માંહીથી ગુણ આવ્યા હોય; સાચો સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા. આવા જીવને બોધ લાગે, તો બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચો સંગ મળવો તે પુણ્યનો જોગ છે. જીવો અવિચારથી ભૂલ્યા છે; જરા કોઈ કહે કે તરત ખોટું લાગે, પણ વિચારે નહીં કે મારે શું ? તે કહેશે તો તેને કર્મ બંધાશે. શું તારે તારી ગતિ બગાડવી છે ? ક્રોધ કરી સામું બોલે તો તું પોતે જ ભૂલ્યો. ક્રોધ કરે તે જ ભૂંડો છે. આ ઉપર સંન્યાસી ને ચાંડાળનું દૃષ્ટાંત છે. રસસરા વહુના દેષ્ટાંતે સામાયિક સમતાને કહેવાય. જીવ અહંકાર કરી બાહ્યક્રિયા કરે છે; અહંકારથી માયા ખર્ચે છે; તે માઠી ગતિનાં કારણો છે. સાચા સંગ વગર આ દોષ ઘટે નહીં. જીવને પોતાને ડાહ્યા કહેવરાવવું બહુ ગમે છે. વગર બોલાવ્યે ડહાપણ કરી મોટાઈ લે છે. જે જીવને વિચાર નહીં તેનો છૂટવાનો આરો નહીં. જો વિચાર કરે, અને સાચા માર્ગે ચાલે તો છૂટવાનો આરો આવે. 'બાહુબલીજીના દૃષ્ટાંતે અહંકારથી, માનથી કેવલ્ય પ્રગટ થતું નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મોટા- નાનાની કલ્પના છે ૧૩ આણંદ, ભા.વ. ૧૪, સોમ, ૧૯૫૨ પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગોએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. સાચો માર્ગ એક જ છે; માટે આગ્રહ રાખવો નહીં. હું હૂંઢિયો છું, હું તપો છું, એવી કલ્પના રાખવી નહીં. દયા, સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે; માટે સદાચરણ સેવવાં. લોચ કરવો શા માટે કહ્યો છે ? શરીરની મમતાની તે પરીક્ષા છે માટે. (માથે વાળ) તે મોહ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય; આરીસો લેવાનું મન થાય; તેમાં મોઢું જોવાનું મન થાય; અને એ ઉપરાંત તેનાં સાધનો માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લોંચ કરવાનું કહ્યું છે. જાત્રાએ જવાનો હેતુ એક તો એ છે કે ગૃહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય; સો બસો રૂપિયા ઉપરથી મૂર્છા ઓછી કરાય; પરદેશમાં દેશાટન કરતાં, કોઈ સત્પુરુષ શોધતાં જડે તો કલ્યાણ થાય. આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે. ૧. ક્રોધ ચંડાળ છે. એક સંન્યાસી સ્નાન કરવા જતા હતા. રસ્તામાં સામો ચંડાળ આવતો હતો. સંન્યાસીએ તેને કોરે ખસવા કહ્યું. પણ તેણે સાંભળ્યું નહીં. તેથી સંન્યાસી ક્રોધે ભરાયા. ચંડાળ તેમને ભેટી પડ્યો કે મારો ભાગ તમારામાં છે. ૨. સસરા ક્યાં ગયા છે ? ઢેડવાડે, ૩, જુઓ પૃષ્ઠ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy