SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૬૫ તેમ. બાકી તીર્થંકર જેટલું કહે તેટલું કાંઈ તેઓના ધ્યાનમાં ન રહે, અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણધરો પણ બુદ્ધિવાન હતા એટલે તે તીર્થંકરે કહેલાં વાક્યો કાંઈ તેમાં આવ્યાં નથી એમ પણ નથી. સિદ્ધાંતોનો બાંધો એટલો બધો સખત છે છતાં યતિ લોકોને તેથી વિરુદ્ધ આચરણ કરતાં દેખીએ છીએ. દાખલા તરીકે, કહ્યું છે કે સાધુઓએ ધુપેલ નાંખવું નહીં, છતાં તે લોકો નાંખે છે. આથી કાંઈ જ્ઞાનીની વાણીનો દોષ નથી; પણ જીવની સમજણશક્તિનો દોષ છે. જીવમાં સર્બુદ્ધિ ન હોય તો પ્રત્યક્ષ યોગે પણ તેને અવળું જ પરિણમે છે, અને જીવમાં સબુદ્ધિ હોય તો સવળું ભાસે છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને 'બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું' એવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર દૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષુતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે ?' આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય, કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દૃષ્ટિ દેતાં ‘આ ઠીક છે’ એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળો-ભોળો જીવ તો વર્તે; એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય. આ પ્રકારે, જે જીવને આ સ્થાનકે જવું યોગ્ય નથી' એવાં જે જ્ઞાનીનાં વચનો તેનો દૃઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્યવ્રતમાં રહી શકે છે, અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. ત્યારે જ્ઞાનીના આજ્ઞાંકિત નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માન્યા કરે કે એમાં તે શું જીતવું છે ? આવી માન્યતાને લઈને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં. આ ક્ષેત્ર છે તે નિવૃત્તિવાળું છે, પણ જેને નિવૃત્તિ થઈ હોય તેને તેમ છે. તેમ ખરા જ્ઞાની છે તે સિવાયને તો અબ્રહ્મચર્ય વશ ન થવાય એમ કહેવામાત્ર છે. તેમ જેને નિવૃત્તિ થઈ નથી તેને પ્રથમ તો એમ થાય છે કે “આ ક્ષેત્ર સારું છે, અહીં રહેવા જેવું છે;' પણ પછી એમ એમ કરતાં વિશેષ પ્રેરણા થવાથી ક્ષેત્રાકારવૃત્તિ થઈ જાય. જ્ઞાનીની વૃત્તિ ક્ષેત્રાકાર ન થાય; કારણ કે ક્ષેત્ર નિવૃત્તિવાળું છે, અને પોતે પણ નિવૃત્તિભાવ પામેલા છે એટલે બન્ને યોગ અનુકૂળ છે. શુષ્ક જ્ઞાનીઓને પ્રથમ તો એમ અભિમાન રહ્યા કરે કે, એમાં શું જીતવું છે ? પણ પછી ધીમે ધીમે સ્ત્રીઆદિ પદાર્થોમાં સપડાઈ જાય છે; જ્યારે ખરા જ્ઞાનીને તેમ થતું નથી. પ્રાપ્ત - જ્ઞાન પામેલો પુરુષ. આપ્ત - વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ. મુમુક્ષુમાત્ર સમ્યક્દૃષ્ટિ જીવ સમજવા નહીં. જીવને ભુલવણીના સ્થાનક ઘણાં છે; માટે વિશેષ વિશેષ જાગૃતિ રાખવી; મુઝાવું નહીં, મંદતા ન કરવી. પુરુષાર્થધર્મ વર્ધમાન કરવો. જીવને સત્પુરુષનો યોગ મળવો દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ધર્મમાં જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને "આ મારો શિષ્ય છે. એવો ભાવ હોતો નથી. કોઈ કુગુરુઆશ્રિત જીવ બૌધશ્રવણ અર્થે સદ્ગુરુ પાસે એક વખત ગયો હોય, અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદ્ગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સમૃત્ વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે. 3 કાવિઠા (મહુડી), શ્રાવણ વદ ૪, ૧૯૫૨ ત્રણ પ્રકારના જ્ઞાની પુરુષ - પ્રથમ, મધ્યમ, અને ઉત્કૃષ્ટ. આ કાળમાં જ્ઞાની પુરુષનું પરમ દુર્લભપણું છે, તેમ આરાધક જીવો પણ ઘણા ઓછા છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy