SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ કપર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨૫ મુંબઈ, માટુંગા, માગશર, ૧૯૫૭ શ્રી શાંતસુધારસ'નું પણ ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવા યોગ્ય છે, તે કરશો, ૨૬ 'देवागमनभोयानचामरादिविभूतयः, मायाविष्वपि दृश्यते, नातस्त्वमसि नो महान् ' મુંબઈ, શિવ, માગશર, ૧૯૫૩ સ્તુતિકાર શ્રી સમંતભદ્રસૂરિને વીતરાગ દેવ જાણે કહેતા હોય, હૈ સમંતભદ્ર ! આ અમારાં અષ્ટપ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જો; અમારું મહત્ત્વ જો. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સમંતભદ્રસૂરિ ત્રાડ પાડતાં કહે છેઃ- દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભોગવવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તો માયાવી એવા ઇંદ્રજાળિયા પણ બનાવી શકે છે. તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભોગવે છે માટે તું અમારા મનને મહાન ! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્ત્વ નહીં. એવું મહત્ત્વ તો માયાવી ઇંદ્રજાળિયા પણ દેખાડી શકે.' ત્યારે સદેવનું મહત્ત્વ વાસ્તવિક શું ? તો કે વીતરાગપણું એમ આગળ બતાવે છે. આ શ્રી સમંતભદ્રસૂરિ વિ સંત બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતાંબર દિગંબર બન્નેમાં એક સરખા સન્માનિત છે. તેઓએ દેવાગમસ્તોત્ર ઉપર જણાવેલ સ્તુતિ આ સ્તોત્રનું પ્રથમ પદ છે) અથવા આપ્તમીમાંસા રચેલ છે. તત્ત્વાર્થસૂત્રના મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમસ્તોત્ર લખાયો છે. અને તે પર અષ્ટસહસ્રી ટીકા તથા ચોરાશી હજાર લોકપુર ‘ગંધહસ્તી મહાભાષ્ય' ટીકા રચાયાં છે. मोक्षमार्ग नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्यानां वन्दे तद्गुणलब्धये. આ એનું પ્રથમ મંગલ સ્તોત્ર છેઃ- મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ક્ષેત્તા, ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું. 'આપ્તમીમાંસા', 'યોગબિંદુ'નું અને 'ઉપમિતિભવપ્રપંચકથા'નું ગુજરાતી ભાષાંતર કરશો, 'યોગબિંદુ'નું ભાષાંતર થયેલ છે, ઉપમિતિભવપ્રપંચ'નું થાય છે; પણ તે બન્ને ફરી કરવા યોગ્ય છે, તે કરશો, ધીમે ધીમે થશે. લોકકલ્યાણ હિતરૂપ છે અને તે કર્તવ્ય છે. પોતાની યોગ્યતાની ન્યૂનતાની અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાનો છે. ܀܀܀ ૨૭ ૧ મન:પર્યવજ્ઞાન કેવી રીતે પ્રગટે ? સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે. તેને આશ્રયે રહેલા શ્રુતજ્ઞાનમાં વધારો થવાથી તે મતિજ્ઞાનનું બળ વધારે છે; એમ અનુક્રમે મતિજ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણું ટળી સંયમપણું થાય છે, ને તેથી મનઃપર્યવજ્ઞાન પ્રગટે છે. તેને યોગે આત્મા બીજાનો અભિપ્રાય જાણી શકે છે. લિંગ દેખાવ ઉપરથી બીજાના દોધ હર્ષાદિ ભાવ જાણી શકાય છે, તે મતિજ્ઞાનનો વિષય છે. તેવા દેખાવના અભાવે જે ભાવ જાણી શકાય તે મનઃપર્યવજ્ઞાનનો વિષય છે. ૧. આંક ૨૭ થી આંક ૩૧ ખંભાતના શ્રી ત્રિભુવનભાઈના ઉતારામાંથી લીધા છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy