SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ કકર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર (૩) સુખ ધામ અનંત સુસંત ચહીં, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧ ૯૫૫ રાજકોટ, ચૈત્ર સુદ ૧૧, સોમ, ૧૯૫૭ જોકે ઘણો જ ધીમો સુધારો થતો હોય એમ જણાય છે, તોપણ હાલ પ્રકૃતિ ઠીક છે. કંઈ રોગ હોય એમ જણાતું નથી. બધા ડૉક્ટરોનો પણ એ જ અભિપ્રાય છે. નિર્બળતા ઘણી છે. તે ઘટે તેવા ઉપાય કે કારણોની અનુકૂળતાની જરૂર છે. હાલ તેવી કંઈ પણ અનુકૂળતા જણાય છે. આવતી કાલ કે પરમ દિવસથી અત્રે એક અઠવાડિયા માટે ધારશીભાઈ રહેવાના છે. એટલે હાલ તો સહેજે આપનું સમાગમ ન થાય તોપણ અનુકૂળતા છે. મનસુખ પ્રસંગોપાત્ત ગભરાઈ જાય છે અને બીજાને ગભરાવી દે છે. તેવી ક્યારેક પ્રકૃતિ પણ હોય છે. અગત્ય જેવું હશે તો હું આપને બોલાવીશ. હાલ આપે આવવાનું મુલતવવું. નીચે મને કામ કર્યો જેવું. એ જ વિનંતી. ܀܀܀܀܀ शांतिः ×૪૪૨ - ૧ મુંબઈ, ચૈત્ર વદ ૭, ૧૯૪૯ ચિત્તમાં તમે પરમાર્થની ઇચ્છા રાખો છો એમ છે; તથાપિ તે પરમાર્થની પ્રાપ્તિને અત્યંતપણે બાધ કરવાવાળા એવા જે દોષ તે પ્રત્યે અજ્ઞાન, ક્રોધ, માનાદિના કારણથી ઉદાસ થઈ શકતા નથી અથવા તેની અમુક વળગણામાં રુચિ વહે છે ને તે પરમાર્થને બાધ કરવાનાં કારણ જાણી અવશ્ય સર્પના વિષની પેઠે ત્યાગવા યોગ્ય છે. કોઈનો દોષ જોવો ઘટતો નથી, સર્વ પ્રકારે જીવના દોષનો જ વિચાર કરવો ઘટે છે; એવી ભાવના અત્યંતપણે દૃઢ કરવા યોગ્ય છે. જગતદૃષ્ટિએ કલ્યાણ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં લેવાજોગ છે. એ વિચાર રાખવો. આ પત્ર પહેલાની આવૃત્તિમાં નથી; છતાં 'તત્ત્વજ્ઞાન'ની આવૃત્તિઓમાં છપાયેલ છે, તેથી તેની મિતિને અનુસરીને તેને પત્ર ૪૪૨ પછી મૂકવા યોગ્ય છે. છતાં ત્યાં મૂકવાનો રહી ગયો હોવાથી અહીં ક ૪૪૨-૧ તરીકે મૂક્યો છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy