SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૬૩૯ ૮૯૩ મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, રવિ, ૧૯૫૫ કાગળ મળ્યો છે. કોઈ માણસે જણાવેલા સ્વપ્નાદિ પ્રસંગ સંબંધે નિવિક્ષિપ્ત રહેશો, તથા અપરિચી રહેશો. તે વિષે કંઈ ઉત્તર પ્રત્યુત્તરાદિનો પણ હેતુ નથી. ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સન્સમાગમ અને સમ્રુત ઉપાસનીય છે. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત્ જે અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. શમમ્ ૮૯૪ મુંબઈ, ભાદરવા સુદ ૫, રવિ, ૧૯૫૫ પરમકૃપાળુ મુનિવરોને નમસ્કાર. આજ દિવસ પર્યત યોગના પ્રમત્ત સ્વભાવને લીધે આપના પ્રત્યે જે કંઈ, કિંચિત્ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાપના યાચીએ છીએ. ભાઈ વલ્લભ આદિ મુમુક્ષુઓને ક્ષમાપનાદિ કંઠસ્થ કરવા વિષે આપ યોગ્ય આજ્ઞા કરશો. ૮૯૫ ૐ શાંતિઃ મુંબઈ, આસો, ૧૯૫૫ જે જ્ઞાનીપુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તોપણ તેમને સર્વસંગપરિત્યાગાદિ સત્પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. ** ܀܀܀܀ ''''''
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy