SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એક તૂમડા જેવી, દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણત્યાગના આગ્રહથી જાદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે, અને તીર્થનો ભેદ કરે છે, એવા મહામોહમૂઢ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે. મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગસન્મુખ કરવાની છે. લિંગામાસી જીવો મોક્ષમાર્ગથી પરામુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે, અને તે સર્વ કર્મપ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું. [અપૂર્ણ] સં. ૧૯૫૩ ૭૫૮ દ્રવ્યપ્રકાશ દ્રવ્ય એટલે વસ્તુ, તત્ત્વ, પદાર્થ. આમાં મુખ્ય ત્રણ અધિકાર છે. પ્રથમ અધિકારમાં જીવ અને અજીવ દ્રવ્યના મુખ્ય પ્રકાર કહ્યા છે. બીજા અધિકારમાં જીવ અને અજીવનો પરસ્પરનો સંબંધ અને તેથી જીવને હિતાહિત શું રહ્યું છે તે સમજાવા માટે તેના વિશેષ પર્યાયરૂપે પાપપુણ્યાદિ બીજાં સાત તત્ત્વોનું નિરૂપણ કર્યું છે. જે સાત તત્ત્વો જીવ અને અજીવ એ બે તત્ત્વોમાં સમાય છે. ત્રીજા અધિકારમાં યથાસ્થિત મોક્ષમાર્ગ દર્શાવ્યો છે, કે જેને અર્થે થઈને જ સમસ્ત જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે. પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે અને તે દ્વારા જે મોક્ષમાર્ગ પ્રતિબોધે છે તેવાં છ દર્શનો છેઃ- (૧) બૌદ્ધ, (૨) ન્યાય, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) મીમાંસક, અને (૬) વૈશેષિક. વૈશેષિક ન્યાયમાં અંતર્ભૂત કર્યું હોય તો નાસ્તિક વિચાર પ્રતિપાદન કરતું એવું ચાર્વાક દર્શન છઠ્ઠું ગણાય છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, ઉત્તરમીમાંસા અને પૂર્વમીમાંસા એમ છ દર્શન વેદ પરિભાષામાં ગણવામાં આવ્યાં છે, તે કરતાં ઉપર દર્શાવેલાં દર્શનો જાદી પદ્ધતિએ ગણ્યાં છે તેનું શું કારણ ? એમ પ્રશ્ન થાય તો તેનું સમાધાન એ છે કે- વૈદ પરિભાષામાં દર્શાવેલાં દર્શનો વેદને માન્ય રાખે છે તે દૃષ્ટિથી ગણ્યાં છે- અને ઉપર જણાવેલ ક્રમે તો વિચારની પરિપાટીના ભેદથી ગણ્યાં છે, જેથી આ જ ક્રમ યોગ્ય છે. દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ અવિભક્ત્વ એટલે પ્રદેશભેદ રહિતપણું છે, ક્ષેત્રાંતર નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવો 'ઐક્યભાવ છે. દ્રવ્ય અને ગુણનો ભેદ કહીએ છીએ તે કથનથી છે, વસ્તુથી નથી. સંસ્થાન, સંખ્યાવિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તો બન્ને અચેતનત્વ પામે એમ સર્વજ્ઞ વીતરાગનો સિદ્ધાંત છે. જ્ઞાનની સાથે સમવાય સંબંધથી આત્મા જ્ઞાની નથી. સમવર્તિત્વ સમવાય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરમાણુ દ્રવ્યના વિશેષ છે. ܀܀܀ ૭૫૯ [અપૂર્ણ] સં. ૧૯૫૩ અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણીમાત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ, તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણીમાત્રનું પ્રયત્ન છે. પ્રાણીમાત્રનું એવું પ્રયત્ન છતાં પણ તેઓ દુઃખનો અનુભવ જ કરતાં દૃષ્ટિગોચર થાય છે. ક્વચિત્ કંઈક સુખના અંશ કોઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તોપણ દુઃખની બાહુલ્યતાથી ૧. જુઓ આંક ૭૬૬ ‘પંચાસ્તિકાય’ ૪૬, ૪૮, ૪૯ અને ૫૦.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy