SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને. ઘણા ભેદ એ દોષ. ૯૪ ૫૫૧ બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમકે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. ૯૪ તેથી એમ જણાય છે તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; વાદિ જામ્યા તણો, શો ઉપકાર જ થાય * ૯૫ કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય ? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમાં મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય હ આપે પાંચ ઉત્તર કહ્યાં તેથી સર્વાંગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે; પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે ઉદય ‘ઉદય બે વાર શબ્દ છે. તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મૌક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. હ ܀ ૯૬ સમાધાન - સદગુરુ ઉવાચ [મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ-] પાંચ ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે ‘થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સદ્ગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષોપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે; એમ સદૃગુરુનાં વચનનો આશય છે. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ૯૮ જે જે કારણો કર્મબંધનાં માર્ગ છે, ભવનો અંત છે. ૯૯ શ પામે છે.૭૮ બી. પી. બધી ય જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯ છે, તે તે કર્મબંધનો માર્ગ છે; અને તે તે કારણોને છે. એવી જે દશા છે તે મોક્ષનો રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. ૧૦૦
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy