SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૭૭ નથી; કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દુર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે, તેમ જ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવો યોગ્ય છે. પ્રશ્ન-સમાધાનાદિ લખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ વ્યાપારરૂપ ઉદયને વૈદવામાં લક્ષ વિશેષ રાખ્યાર્થી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે; એમ વિચારથી પણ બીજા પ્રકાર તેની સાથે આવતા જાણીને પણ સંક્ષેપે પ્રવર્તાય છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વળતી વખતે ઘણું કરી સમાગમ થવાનો લક્ષ રાખીશ. એક વિનંતિ અત્રે કરવા યોગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હોય, અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય તો તે ભક્તિ વિષે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો; પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હોવાથી ગુણવ્યક્તત્વ હોય તોપણ લોકોને ભાસ્યમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય; તેમ જ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય. આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશો અને તમારા સમાગમવાસી જે કોઈ મુમુક્ષુ ભાઈઓ હોય તેમને હાલ નહીં, પ્રસંગે પ્રસંગે એટલે જે વખતે તેમને ઉપકારક થઈ શકે તેવું સંભવતું હોય ત્યારે આ વાત પ્રત્યે લક્ષિત કરશો. એ જ વિનંતિ. વર મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૫૧ ‘અનંતાનુબંધી’નો બીજો પ્રકાર લખ્યો છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશોઃ- ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંદપરિણતબુદ્ધિથી ભોગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે; તેવાં પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી' સંભવે છે. તેમ જ હું સમજું છું”, “મને બાધ નથી', એવા ને એવા બક્મમાં રહે, અને ‘ભોગથી નિવૃત્તિ ઘટે છે’, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભોગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ ‘અનંતાનુબંધી સંભવે છે. જાગૃતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષીણપણું સંભવે ૬૩ મુંબઈ, શ્રાવણ સુદ ૨, બુધ, ૧૯૫૧ આજે પત્તું મળ્યું છે. વવાણિયે જતાં તથા ત્યાંથી વળતાં સાયલે થઈ જવા વિષે વિશેષતાથી લખ્યું, તે વિષે શું લખવું ? તેનો વિચાર યથાસ્પષ્ટ નિશ્ચયમાં આવી શક્યો નથી, તોપણ સ્પષ્ટાસ્પષ્ટ જે કંઈ આ પત્ર લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે. આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્રની આપે પહોંચ લખી છે તે પત્ર પર વધારે વિચાર કરવો યોગ્ય હતો, અને એમ લાગતું હતું કે આપ તેના પર વિચાર કરશો તો સાયલે આવવા સંબંધીમાં હાલ અમારી ઇચ્છાનુસાર રાખશો. પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલાં આ પત્તું લખવાનું બન્યું છે. વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની ૧. પત્રાંક ૬૧૩
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy