SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૪૧૨ ૩૫૫ મુંબઈ, આસો વદ ૬, ૧૯૪૮ અત્રે આત્માકારતા વર્તે છે, આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહીએ છીએ. ૪૧૩ મુંબઈ, આસો વદ ૮, ૧૯૪૮ લોકવ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાનીપુરુષ જ યથાતથ્ય દેખે છે. લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે, એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ, અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ. એ જ વિનંતિ. ܀܀܀܀܀ ૪૧૪ મુંબઈ, આસો, ૧૯૪૮ જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ સ્વપા'ને કારણે કરવામાં આવતી નથી; તેમ કરાતી નથી. જે કારણે કરાય છે, તે કારણ અનુક્રમે વૈદવા યોગ્ય એવું પ્રારબ્ધકર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ; તથાપિ ઇચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઊઠી ચાલ્યા જઈએ; એટલી આત્માને મોકળાશ વર્તે છે. તથાપિ ‘નિદ્રાકાળ, ભોજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે, અને કંઈ ભિન્નાંતર થતું નથી, તોપણ આત્મોપયોગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે, અને તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે, એમ નિઃસંદેહ છે. એમ હોવાથી અને ગૃહસ્થ પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી હૃદયમાં વર્તે ત્યાં સુધીમાં 'સર્વદ્યા' અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાનીપુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તોપણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જો ઉપેક્ષા કરીએ તો ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું; અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. અમને એમ આવી જાય છે કે અમે, જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્યપ્રસંગને, અંતરપ્રસંગને કુટુંબાદિ સ્નેહને ભજવા ઇચ્છતા નથી, તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો ? કે જેને પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. જ્ઞાનીપુરુષને મળીને જે સંસારને ભજે છે, તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. કદાપિ જ્ઞાનીપુરુષને મળીને સંસાર ભજે છે, તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય તો શ્રેણિકાદિને વિષે મિથ્યાત્વનો સંભવ થાય છે, અને વિસંવાદપણું પ્રાપ્ત થાય છે. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થકર કહેવા યોગ્ય નથી. જ્ઞાનીપુરુષને મળીને જે આત્મભાવે, સ્વચ્છંદપણે, કામનાએ કરી, રસે કરી, જ્ઞાનીનાં વચનની ઉપેક્ષા કરી, ‘અનુપયોગપરિણામી’ થઈ સંસારને ભજે છે, તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે, એમ કહેવાનો તીર્થકરનો આશય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy