SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું 300 309 વવાણિયા, કારતક સુદ ૮, સોમ, ૧૯૪૮ બે દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેનાં ચારે પત્રો વાંચ્યાં છે. મગનલાલ, કીલાભાઈ, ખુશાલભાઈ વગેરેની આણંદ આવવાની ઇચ્છા છે તો તેમ કરવામાં કંઈ અડચણ નથી; તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે, કે એમના સમાગમાર્થે અમુક મનુષ્યો જાય છે, જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ. તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. કીલાભાઈને જણાવશો કે તમે પત્રેચ્છા કરી પણ તેથી કંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકશે નહીં. કંઈ પૃચ્છા કરવા ઇચ્છા હોય તો તેમણે આણંદ હર્ષપૂર્વક કરવી. સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય, ૩૦૧ વવાણિયા, કાર્તિક સુદ ૮, સોમ, ૧૯૪૮ જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં. ܀܀܀ ૩૦૨ ' ૧ ‘સત્ય પર ધીમહિ.' વિદ્ર રાયચંદ્રના ગૃહ વવાણિયા, કારતક સુદ ૧૩, શનિ, ૧૯૪૮ (એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. અત્રથી કા. વદ ૩ બુધના દિવસે વિદાય થવા ઇચ્છા છે. પૂજ્ય શ્રી દીપચંદજી સ્વામીને વંદન કરી વિજ્ઞાપન કરશો કે જો તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ માગધી, સંસ્કૃત કે હિંદી હોય અને તે વાંચવા આપી શકાય તેમ હોય તો લઈ આપની પાસે રાખશો; અથવા તો તેવો કોઈ અધ્યાત્મ જ્ઞાનગ્રંથ હોય તો તે વિષે પૃચ્છા કરશો. તેમની પાસેથી જો કોઈ ગ્રંથ તેવો પ્રાપ્ત થાય તો તે પાછો મોરબીથી તેમને પાંચ આઠ દિવસે પ્રાપ્ત થાય તેમ યોજના કરીશું, મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે આ ગ્રંથપૃચ્છા કરી છે. અત્ર કુશળતા છે. ઘુમોપમાયોગ્ય શ્રી અંબાલાલ, 303 વાણિયા, કારતક સુદ ૧૩, શનિ, ૧૯૪૮ અત્રથી વદિ ૩ ના નીકળવાનો વિચાર છે. મોરબી પાંચ સાત દિવસ ભાંગવા સંભવ છે, તથાપિ વ્યાવહારિક પ્રસંગ છે એટલે તમને આવવું યોગ્ય નથી. આણંદ સમાગમની ઇચ્છા રાખજો. મોરબીની નિવૃત્ત કરશો. વળી એક વાત સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ કે પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો પણ સમાગમ કરવાનું રાખ્યું નથી. ઈશ્વરેચ્છા તેવી જણાય છે. સર્વ ભાઈઓને યથાયોગ્ય, દિગંબર ગ્રંથ મળે તો ભલે, નહીં તો થયું. ૧. શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૧૨, અધ્યાય ૧૩, શ્લોક ૧૯. અપ્રગટ સત્
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy