SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૪૭ તેમનો સમાગમ થતાં એક વાર નમન કરી વિનયથી બેસવું. થોડા વખત વીત્યા પછી તેમની પ્રવૃત્તિ- પ્રેમભાવને અનુસરી વાતચીત કરવી. (એક વખતે ત્રણ જણે, અથવા એકથી વધારે જણે ન બોલવું.) પ્રથમ એમ કહેવું કે આપે અમારા સંબંધમાં નિઃસંદેહ દૃષ્ટિ રાખવી. આપને દર્શને અમે આવ્યા છીએ તે કોઈ પણ જાતનાં બીજાં કારણથી નહીં, પણ માત્ર સત્સંગની ઇચ્છાથી. આટલું કહ્યા પછી તેમને બોલવા દેવા. તે પછી થોડે વખતે બોલવું. અમને કોઈ જ્ઞાનાવતાર પુરુષનો સમાગમ થયો હતો. તેમની દશા અલૌકિક જોઈ અમને આશ્ચર્ય ઊપજ્યું હતું. અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ કહ્યો હતો. સત્ય એક છે. બે પ્રકારનું નથી. અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતમતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે અને તે માટે અમે ઉપર કહ્યાં તે સાધન છે. આ વગેરે પ્રકારે તેમણે અમને ઉપદેશ કર્યો હતો. અને જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અને હજુ પણ એમ જ વર્તે છે કે સત્યનો જ માત્ર આગ્રહ રાખવો, મતને વિષે મધ્યસ્થ રહેવું. તેઓ હાલ વિદ્યમાન છે. યુવાવસ્થાના પહેલા ભાગમાં છે. અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઇચ્છા છે. નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠાં છતાં વીતરાગ છે. એ કૃપાળુનો સમાગમ થયા પછી અમને નિરાગ્રહપણું વિશેષે કરીને રહે છે. મતમતાંતર સંબંધી વિવાદ ઊગતો નથી. નિષ્કપટભાવે સત્ય આરાધવું એ જ દૃઢ જિજ્ઞાસા છે. તે જ્ઞાનાવતાર પુરુષે અમને જણાવ્યું હતું કે- “ઈશ્વરેચ્છા હાલ અમને પ્રગટપણે માર્ગ કહેવા દેવાની નથી. તેથી અમે તમને હાલ કંઈ કહેવા માગતા નથી. પણ જોગ્યતા આવે અને જીવ યથાયોગ્ય મુમુક્ષુતા પામે તે માટે પ્રયત્ન કરજો.” અને તે માટે ઘણા પ્રકારે અપૂર્વ ઉપાય ટૂંકામાં તેમણે બોધ્યા હતા. પોતાની ઇચ્છા હાલ અપ્રગટ જ રહેવાની હોવાથી પરમાર્થ સંબંધમાં ઘણું કરીને તેઓ મૌન જ રહે છે. અમારા ઉપર એટલી અનુકંપા થઈ કે તેમણે એ મૌન વિસ્તૃત કર્યું હતું અને તે જ સત્પુરુષે આપનો સમાગમ કરવા અમારી ઇચ્છાને જન્મ આપ્યો હતો. નહીં તો અમે આપના સમાગમનો લાભ ક્યાંથી પામી શકીએ ? આપના ગુણની પરીક્ષા ક્યાંથી પડે ? એવી તમારી જિજ્ઞાસા બતાવજો કે અમને કોઈ પ્રકારે આપનાથી બોધ પ્રાપ્ત થાય અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તો તેમાં તે જ્ઞાનાવતાર રાજી જ છે. અમે તેમના શિષ્ય થવાની ઇચ્છા રાખી હતી. તથાપિ તેમણે જણાવ્યું હતું કે પ્રગટ માર્ગ કહેવાની હાલ અમને ઇશ્વરાજ્ઞા નથી તો પછી તમે ગમે તે સત્સંગમાં જોગ્યતા કે અનુભવ પામો તેમાં અમને સંતોષ જ છે, આપના સંબંધમાં પણ તેમનો એવો જ અભિપ્રાય સમજશો કે અમે આપના શિષ્ય તરીકે પ્રવર્તીએ તોપણ તેમણે કહ્યું છે કે તમે મારા જ શિષ્ય છો, આપના પ્રત્યે તેમણે પરમાર્થયુક્ત પ્રેમભાવ અમને બતાવ્યો હતો. જો કે તેમને કોઈથી ભિન્નભાવ નથી. તથાપિ આપ પ્રત્યે સ્નેહભાવ કોઈ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે. મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ઠામ, ગામ કાંઈ જ નથી; તથાપિ વ્યવહારે તેમ છે. છતાં તે અમને અપ્રગટ રાખવા આજ્ઞા કરી છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો. અર્થાત્ આપને પણ હાલ સુધી પ્રગટ સમાગમ, નામ, ઠામ કંઈ તેમણે પ્રેર્યું નથી. ઇશ્વરેચ્છા હશે તો આપને થોડા વખતમાં તેમનો સમાગમ થશે એમ અમે ધારીએ છીએ. એ પ્રમાણે પ્રસંગાનુસાર વાતચીત કરવી. કોઈ પણ પ્રકારે નામ, ઠામ, ગામ પ્રગટ ન જ કરવાં. અને ઉપર જણાવી છે તે વાત તમારે હૃદયને વિષે સમજવાની છે. તે પરથી તે પસંગે જે યોગ્ય લાગે તે વાત કરવી. તેનો ભાવાર્થ ન જવો જોઈએ. ‘જ્ઞાનાવતાર’ સંબંધી તેમને જેમ જેમ ઇચ્છા જાગે તેમ વાતચીત કરવી. તેઓ ‘જ્ઞાનાવતાર’
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy