SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતાં તે ફરતારૂપે રહે છે. શકટચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટચક્ર જેમ આરા વડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા, પ્રમાદાદિક આરાથી ટક્યો છે. અનેક પ્રકારથી એમ શકટચક્રની ઉપમા પણ સંસારને લાગી શકે છે. ૧‘સંસારને’ જેટલી અધોઉપમા આપો એટલી થોડી છે. એ ચાર ઉપમા આપણે જાણી. હવે એમાંથી તત્ત્વ લેવું યોગ્ય છે. ૧. સાગર જેમ મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરુરૂપી નાવિકી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરુષોએ નિર્વિઘ્ન રસ્તો શોધી કાઢ્યો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યો છે, જે નિર્વિઘ્ન છે. ર. અગ્નિ જેમ સર્વને લક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઈ જાય છે, તેમ વૈરાગ્યજળથી સંસારઅગ્નિ બૂઝવી શકાય છે. ૩. અંધકારમાં જેમ દીવો લઈ જવાથી પ્રકાશ થઈ જોઈ શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનરૂપી નિર્બઝ દીવો સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે. ૪. શકટચક્ર જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક્ર રાગ, દ્વેષ વિના ચાલી શકતું નથી. એમ એ સંસારદરદનું ઉપમા વડે નિવારણ અનુપાન સાથે કહ્યું. તે આત્મહિતૈષીએ નિરંતર મનન કરવું; અને બીજાને બોધવું. ܀܀܀܀܀ કરે છે. શિક્ષાપાઠ ૨૧. બાર ભાવના વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયોની સુર્દઢતા થવા માટે બાર ભાવના ચિંતવવાનું તત્ત્વજ્ઞાનીઓ ૧. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી ‘અનિત્યભાવના’. ર. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી; માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી ‘અશરણભાવના’. ૩. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી ‘સંસારભાવના’. ૪. આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે; પોતાનાં કરેલાં કર્મ એકલો ભોગવશે; એમ ચિંતવવું તે ચોથી 'એકત્વભાવના', ૫. આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી ‘અન્યત્વભાવના', ૬. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગજરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ન્યારો છું, એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના', ૭. રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસવ છે, એમ ચિંતવવું તે સાતમી 'આસવભાવના', દ્વિ આ૦ પાઠા૦-૧. ‘એવી રીતે સંસારને'
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy