SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સાચા અર્થમાં ન સમજનાર અજ્ઞાની રહે છે અને શેય જ્ઞાયક સંબંધને યથાર્થરૂપે સમજનારને અને સમજીને વિવેક રાખનારને અજ્ઞાનનો નાશ થઈને સાધક દશા પ્રગટે છે. કહેવા માગે છે તે વિચારો. તે માટે થોડું માર્ગદર્શન આ રીતે છે. ટીકામાં શેયાકાર જ્ઞાનથી વાત લીધી છે. ત્યાં એ દર્શાવે છે જ્ઞેયાકા૨ જ્ઞાનમાંથી જ્ઞેયોને દૂર કરી શકાતા નથી. એટલે કે પજ્ઞેયને જાણનારી જે શેયાકાર જ્ઞાનની પર્યાયમાંથી શેયાકા૨પણું જાદુ ન પાડી શકાય અર્થાત્ એમ થવું અશક્ય છે એમ કહ્યા પછી તેને જુદા પાડવાની વાત આચાર્યદેવ ક૨વા માગે છે તે કઈ રીતે શક્ય છે તે સમજવું જરૂરી છે. શેયાકાર જ્ઞાનની પર્યાયથી શેયો જુદા છે એવું આપણે લક્ષમાં લઈને તેનું સમાધાન કરી જ્ઞાનની પર્યાય છે તે જ્ઞાનની પર્યાયમાં શેયાકારોનું ... એવું સ્થાન છે કે તે પર્યાયમાંથી તેમને જાદા પાડી શકાતા નથી. લઈએ તો આચાર્યદેવના હાર્દ સુધી પહોંચી ન શકાય. અહીં એક તર્ક છે. શેયાકાર જ્ઞાન એ જીવની જ પર્યાય છે. જીવ પોતે તે પર્યાયરૂપે થયો છે. એ પર્યાયમાં જીવ આદિ-મધ્ય-અંતમાં વ્યાપેલો છે. દ્રવ્ય પર્યાયની એક સત્તા છે માટે જ્ઞાનને તેની શેયાકા૨ પર્યાયથી જુદી ન પાડી શકાય એ સહજ છે. જે પદાર્થ પોતે વર્તમાનમાં કાંઈ એક પર્યાયરૂપે જોવા મળે છે ત્યાં તેને તે પર્યાય સાથે તાદાત્મ્ય જ છે. એ તો બધા પદાર્થોને અને બધા ગુણોની પર્યાયોને લાગુ પડતો સિદ્ધાંત છે. અને એ અમારા ખ્યાલમાં જ છે. તો પછી અહીં તેની શી વિશેષતા છે? જેમકે જીવ સમયે વિભાવરૂપે પરિણમ્યો છે તે સમયે તે વિભાવરૂપ : જ છે. તે સમયે વિભાવને તેની પર્યાયમાંથી દૂર કરી શકાતો નથી. બીજા સમયે જીવ વિભાવરૂપે ન પરિણમે તેને વિભાવથી ભેદજ્ઞાન કહેવામાં આવે છે. : : શેયાકા૨ જ્ઞાનની પર્યાયમાંથી જ્ઞેયાકા૨પણું જાદું ન પાડી શકાય પરંતુ તે પર્યાયમાં જ્ઞપ્તિ ક્રિયા અને શેયાકાર બન્ને જુદા છે એવું અવશ્ય જાણી શકાય અને આગમના અભ્યાસથી આ શક્ય છે અને આવશ્યક છે એવો ભાવ લેવામાં આવ્યો છે. આ જ શાસ્ત્રમાં ગા.૩૭માં ભૂત અને ભવિષ્યની જે પર્યાયો વિદ્યમાન નથી તે પણ જ્ઞાનમાં વર્તમાનવત્ જણાય છે એની ચોખવટ કરી છે તેને ફરીને યાદ કરી લેવાથી અવશ્ય લાભ થશે. જ્ઞપ્તિ ક્રિયા સ્વભાવભૂત છે અને વિભાવ એ વૈભાવિક છે. વિભાવમાં પદ્રવ્યનું કર્મનું નિમિત્તપણું અવશ્ય છે અને તે અપેક્ષાએ વિભાવ પર્યાય વૈભાવિક છે. વિભાવ નૈમિત્તિક પણ છે. જ્ઞાન જ્યારે પજ્ઞેયને જાણે છે ત્યારે ત્યાં શેય જ્ઞાયક સંબંધ અનિવાર્ય છે તેથી જ્ઞાનની ક્રિયામાં ૫૨જ્ઞેય નિમિત્ત છે. આ રીતે : સારી વાત કરી. તમે જે સિદ્ધાંત દર્શાવ્યો છે તે તદ્દન સાચો જ છે. વળી તમે દૃષ્ટાંતરૂપે જીવના વિભાવની વાત કરી અને વિભાવથી ભેદજ્ઞાનનો પ્રયોગ કઈ રીતે થાય છે એ કહ્યું તેથી તમોને ભેદજ્ઞાનના પ્રયોગનો બરોબર ખ્યાલ છે એવું પણ લક્ષમાં આવ્યું. તમો જ્યારે આ વાત સમજવા માટે આ રીતે તૈયાર જ છો ત્યારે અહીં આચાર્યદેવ શું જે શેયાકાર જ્ઞાન છે. તે નૈમિત્તિક પર્યાય છે. જ્ઞાનનો સર્વજ્ઞ સ્વભાવ છે. સ્વ-૫૨ પ્રકાશક સ્વભાવ છે માટે શેયાકાર જ્ઞાન નૈમિત્તિક હોવા છતાં તે વૈભાવિક પરિણમન નથી પરંતુ સ્વાભાવિક પર્યાય છે. વિભાવ દોષરૂપ હોવાથી તેનાથી (ભેદ જ્ઞાનના પ્રયોગ દ્વારા) જુદા પડવાનું છે અને એ ભેદજ્ઞાનનું વિસ્તૃત સ્વરૂપ જિનાગમમાં સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું છે. : ૭૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy