SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગા ૨૩ ઉપધિ અનિંદિતને, અસંયત જન થકી અણપ્રાર્થને, મૂર્છાદિજનનરહિતને જ ગ્રહો શ્રમણ, થોડો ભલે. ૨૨૩. ભલે થોડો હોય તોપણ, જે અનિંદિત હોય, મુનિના આ મૂળગુણોના પાલનને સર્વથા બંધના અસાધકરૂપે ટીકામાં વર્ણવવામાં આવ્યો છે. આ રીતે અહીં મુનિનું યથાર્થ આચરણ દર્શાવ્યું છે. વાત તો મુનિના આચરણની કરી છે પરંતુ સમજાવ્યું છે અનિષિદ્ધ પરિગ્રહ દ્વારા. અર્થાત્ મુનિ જ્યારે આ અસંયત જનોથી અપ્રાર્થનીય હોય અને જે : પ્રકારે સાવધાની રાખે છે ત્યારે તેને અપ્રયત મૂર્છાદિના જનન રહિત હોય એવી જ ઉપધિને ચર્યારૂપનો બંધ થતો નથી. તેને આ પ્રકા૨નો : : શ્રમણ ગ્રહણ કરો. શરીરાદિ પરિગ્રહ હોવા છતાં તેને બંધ નથી એમ સમજાવવું છે. અન્ય પરિગ્રહ હોય ત્યાં બંધ અવશ્ય હોય છે. જ્યારે આ પ્રકારના અનિષિદ્ધ પરિગ્રહને કા૨ણે મુનિને બંધ થતો નથી એમ સમજાવવું છે. માટે આ પરિગ્રહ અનિંદિત છે. - જિનાગમોમાં જે પરિગ્રહનો નિષેધ નથી તે પરિગ્રહ કેવો છે તેનું વર્ણન આ ગાથામાં ક૨વામાં આવ્યું છે. અહીં શરીરની જ મુખ્યતા રાખી છે. તે સિવાય અન્ય પરિગ્રહ મુનિને હોતો નથી. હવે જેનો નિષેધ નથી એવા પરિગ્રહના લક્ષણો અહીં દર્શાવે છે. : પ્રાર્થનીય અનિતિ મૂળગુણનું પાલન અને તેની સાથે સુસંગત એવા અનિષિદ્ધ પરિગ્રહ તેને સંયમ સાથે જોડીને વાત ક૨વામાં આવી છે. અસંયમ સાથે અન્ય પરિગ્રહને સંબંધ છે એટલું આપણે ખ્યાલમાં લીધું છે. સંયમની ભૂમિકા ઊંચી છે. તે વિશેષ વૈરાગ્ય અને પુરુષાર્થ માગે છે. સાધકની બધી દશાઓ સહજ હોય છે. તેથી સાધક પોતાની તૈયારી પ્રમાણે સાધનામાં આગળ વધે છે. પોતાની એટલી તૈયારી ન હોય તો પરાણે હઠપ્રયોગ કરતો નથી. અર્થાત્ પોતાની એટલી સ્થિરતા ન હોય તો સમ્યગ્દષ્ટિ જીવ મુનિ આત્મસાધના જ કરવા માગે છે અને બાહ્ય સમસ્ત પદ્રવ્યોનો તેને ત્યાગ છે. જે સર્વ સંગ પરિત્યાગ કરીને પોતાનું ઈષ્ટ કાર્ય કરવા ચાલી નીકળ્યા છે તે હવે ફરીને તેને ગ્રહણ ન કરે. ઉલટી કરીને બહાર કાઢેલો આહાર ફરીને ખાતા નથી તેમ જે પરિગ્રહનો ત્યાગ કર્યો છે તેને ફરીથી ગ્રહણ કરવું એ નિંદનીય છે માટે એ પરિગ્રહ પણ નિંદિત છે. મુનિને એવો પરિગ્રહ અંતરંગની અપ્રયત ચર્યા વિના અશક્ય છે. એ અપ્રયત ચર્યા મુનિને બંધનું કારણ હોવાથી તે પ્રકારનો પ્રમાદ કર્તવ્ય નથી. આ રીતે સિદ્ધાંત એ છે કે જો મુનિને અન્ય (નિંદિત) પરિગ્રહ છે તો અવશ્ય તેને બંધ છે. તે અર્થાત્ પરિગ્રહનું બંધ સાથે એ રીતે અવિનાભાવપણું તેને ટીકામાં ‘‘સર્વથા બંધ’’ શબ્દથી સમજાવવામાં આવ્યું છે. : : મુનિપણું લેતો નથી. શ્રાવકને ૧૧ પ્રતિજ્ઞાઓ છે તે પણ પોતાની તૈયારી હોય તે પ્રમાણે ગ્રહણ ક૨વામાં આવે છે. જિનાગમમાં પણ કથન આવે છે : કે દેખાદેખીથી પણ મુનિપણું ન લેવું. કારણકે અંતરંગની તૈયારી ન હોય તો મુનિધર્મના પાલનમાં ક્ષતિ આવે જે દોષનું – બંધનું કારણ થાય છે. તેનાથી પોતાનું તો અહિત થાય જ છે પરંતુ વિશેષમાં ધર્મની નિંદા થાય છે. જૈનના સાધુ આવા હોય ! : જે મુનિ મૂળગુણના પાલનમાં સાવધાની રાખે સાધકને મુનિપણાની ભાવના અવશ્ય હોય છે તેને આવા નિંદિત પરિગ્રહનું ગ્રહણ નથી. તેથી : છે. પાત્ર જીવનું પ્રથમ ધ્યેય સમ્યગ્દર્શન પ્રગટ ૪૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy