SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે ખરો તેને અહીં આ રીતે દર્શાવે છે. શરીર : આચાર્યદેવ બાહ્યની વાત પહેલા કરે છે અને એ મુનિધર્મના પાલનમાં બાહ્ય સહકારી કારણ છે. . નજીકની વાત પછી કરે છે. તે રીતે અહીં પ્રથમ તે શરીરની વૃત્તિ અર્થાત્ શરીરના ટકવા માટે આહાર • આહારની વાત લીધા પછી અનશનની વાત કરે જરૂરી છે. મનુષ્ય દેહ ધાનથી અર્થાત્ અનાજ- છે. અનશન એ બાહ્ય તપ છે. મુનિના આચરણમાં પાણીથી ટકે છે માટે શરીરના નિભાવ માટે તે ; તેને સ્થાન છે. એવી ક્રિયા બધાને અનેકવાર આવશ્યક છે. આ હેતુથી ગ્રહવામાં આવતો આહાર : અનુભવમાં આવી છે. અલબત્ત જૈન ધર્મી જે રીતે તેના પ્રત્યે પણ મુનિ ઉદાસીન છે. સ્વાદને બહેકાવવા : ઉપવાસ કરે છે એવા ઉપવાસ અન્યમતમાં હોતા માટે નહીં પરંતુ માત્ર શરીરના નિર્વાહ માટે જ : નથી. સાચો ઉપવાસ આગલા દિવસના બપોરથી આહાર ગ્રહણ કરવામાં આવે છે. તે સમયે પણ ' શરૂ થાય છે અને બીજા દિવસે એટલે કે ઉપવાસ ઉણોદરી - રસ પરિત્યાગ વગેરે તો હોય પણ શકે. • પછીના દિવસે બપોરે પૂર્ણ થાય છે. આપણે સામાન્ય આહારના વિકલ્પ બાદ પણ આહારમાં વિક્ષેપરૂપ : રીતે ૩૬ કલાકના ઉપવાસ કરીએ છીએ સાચો એવા બાહ્ય પ્રસંગો, કારણો મળતા મુનિરાજ : ઉપવાસ ૪૮ કલાકનો થાય છે. સહજપણે આહારનું ગ્રહણ કરતા નથી. ઉપ-સમીપ- વાસ રહેવું. આત્માની સમીપમાં શરીરને મુનિધર્મના પાલનમાં બાહ્ય સરકારી : રહેવું તે સાચો ઉપવાસ છે. તેમ થતાં દેહ તરફ લક્ષ કારણ ગણવામાં આવે છે. તે યોગ્ય છે કારણકે ' જ ન જાય. આહારની વૃત્તિ થાય નહીં તે સહજ મનુષ્ય ભવ સિવાય અન્ય ગતિમાં મુનિધર્મનું પાલન ઉપવાસ છે. મુનિઓને આત્મ સાધનામાં આ શક્ય નથી. ખરેખર તો મુનિને બાહ્યમાં આવો મનુષ્ય : પ્રકારના ઉપવાસ હોય છે. આત્મ સાધનાની સાથે દેહ સંયોગરૂપે હોય છે એવો મેળ વિશેષ જ છે પરંતુ : દેહની ઉપેક્ષાનો ભાવ પણ હોય છે. અજ્ઞાનીઓને તે નિયમરૂપ પણ છે. આવી અનિવાર્યતાને લક્ષમાં : શરીરની ક્રિયાનું મહત્વ હોય છે. જૈનોમાં પણ જેને લઈને તેને બાહ્ય સહકારી કારણ કહેવામાં આવે : સ્વભાવમાં મુખ્યતા નથી અને ઉપવાસનું સાચું છે. તે પ્રમાણે શરીરની ઉપયોગિતા દર્શાવીને ' સ્વરૂપ જે સમજતા નથી તે બાહ્યના અર્થાત્ શરીરને આહારની જરૂરીયાત દર્શાવવામાં આવી છે. આ : મુખવાટે આહાર-પોષણ ન મળે તેને જ ઉપવાસ પ્રકારે હકીકત હોવા છતાં મુનિરાજ શરીર ટકાવવા : માને છે. તેથી તેને બાહ્ય ક્રિયાનો અતિ આગ્રહ હોય માટે આહાર ગ્રહણ કરે છે એમ કહેવાનું ખરેખર : છે. વળી કેટલા ઉપવાસ થયા તેની પણ તેને મન થતું નથી. શરીરની એવી સ્થિતિ થાય કે જ્યારે અધિકતા હોય છે. છઠ, અઠમ, અઠાઈ, સોળભથ્થા, તેના તરફ ભૂખની લાગણી તરફ ફરી ફરીને ધ્યાન માસખમણ, વરસીતપ વગેરેની તેને અધિકતા છે. જાય અને એ પ્રકારે પોતાના ધ્યાનમાં વિક્ષેપ પડે કે તે રીતે શરીરને કષ્ટ આપવાથી દ્રવ્યકર્મની નિર્જરા તેનું તેને પોષણ થતું નથી તેથી આહારનો વિકલ્પ : થાય તેમ માને છે. જિનાગમમાં પણ ઉપવાસના આવે છે. અર્થાત્ પોતાના સંયમના પાલનની : અનેક પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. ઉપવાસ અને મુખ્યતા છે. શરીરને ટકાવવાની મુખ્યતા નથી. આ શરીર ઉપરથી આસક્તિ ઓછી થવી તે બન્ને વચ્ચે રીતે મુનિ આહાર ગ્રહણ અવશ્ય કરે છે પરંતુ ' કારણ કાર્ય માને છે. ખરેખર અજ્ઞાનીને શરીર ઉપર તેની અગ્રતા નથી - ગૌણતા છે માટે તેમાં તેનું + આસક્તિ અવશ્ય હોય છે. શુદ્ધાત્માની ઓળખાણ રોકાણ થતું નથી. આચાર્યદેવ આગળની ગાથાઓમાં : અને તેમાં હુંપણું સ્થાપીને તેનો આશ્રય કરવાથી મુનિના યોગ્ય આહારનું વિસ્તારથી વર્ણન કરશે. : જ કાર્ય સિદ્ધિ થાય છે. તેણે જ દેહાધ્યાસ છોડયો ૩૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy