SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવસ્થાનો જ ભાગ છે. ઘાતિકર્મ એ પુદ્દગલ દ્રવ્યની : પર્યાયને પણ ઔપમિક ક્ષાયોપશમિક અને ક્ષાયિકભાવ એવા નામ આપવામાં આવ્યા છે. આમ હોવાથી જીવની બધી પર્યાયોને કર્મ સાપેક્ષતારૂપની પરાધીનતા દર્શાવવામાં આવી છે. અશુદ્ધ પર્યાય છે. તેનું નિમિત્ત હોય તો જ જીવ વિભાવ કરી શકે છે. કર્મોદયના અભાવમાં જીવ વિભાવરૂપે પરિણમી શકતો નથી. હવે જે કર્મ ઉદયમાં આવ્યું તે તો જીવથી જાદું પડી જાય છે. દ્રવ્યકર્મો અનાદિકાળથી જીવ સાથે બંધાયેલો જ છે પરંતુ તે એક પછી એક જીવથી જુદા પડતા જાય તો કયારેક એવો સમય આવે કે જ્યારે કોઈ કર્મો જીવ સાથે બંધાયેલા ન હોય. જો એવો પ્રસંગ આવે તો જીવમાં વિભાવ થતો બંધ થઈ જાય તેથી જીવના વિભાવ સાથે નિમિત્ત નૈમિત્તિક રૂપે તે સ્થાનમાં રહેલી કાર્યણવર્ગણા દ્રવ્યકર્મરૂપે ઉદયમાં આવીને ખરી જાય ત્યારે તેના સ્થાને નવું કર્મ બંધાય જાય છે. તેથી કર્મ ઉદયમાં ન આવે એવો પ્રશ્ન બને જ નહીં. આ રીતે અનાદિકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. કઠપૂતળીના ખેલમાં જેમ ખેલ ક૨ના૨ો નચાવે એ પ્રમાણે કઠપૂતળી નાચે છે તેમ દ્રવ્યકર્મો જીવને નચાવે છે એવું પણ જોવા મળે છે. આ રીતે જીવના અશુદ્ધ અને શુદ્ધ બન્ને જાતના પરિણામોમાં દ્રવ્યકર્મની સાપેક્ષતા હોવાથી જીવના બધા પરિણામોમાં ઈશ્વરનય લાગુ પાડીને બધા પરિણામ પરાધીન છે એમ લક્ષગત કરી શકાય છે. ઈશ્વરનય દ્વારા જીવના પરિણમની સાપેક્ષતાના કારણે પરાધીનતા અને દ્રવ્યકર્મની મહાનતા, ઈશ્વરતા દર્શાવવામાં આવે છે. એકવા૨ એ રીતે વિચાર્યા બાદ જ્યારે અનિશ્વર નયે વિચારીએ ત્યારે જીવ વિભાવ પરિણામમાં પણ સ્વતંત્ર છે અને શુદ્ધ પર્યાયનીપ્રગટતામાં પણ સ્વતંત્ર છે એમ લક્ષમાં આવે છે. જીવને વિભાવ ચાલુ રાખવો હોય તો સાક્ષાત્ વીતરાગ પરમાત્માની દિવ્ય ધ્વનિ સાંભળીને પણ તે વિભાવ ચાલુ રાખશે. મરિચીનો દૃષ્ટાંત સમજાવવામાં આવે છે. અહીં ઈશ્વ૨૫ણું દ્રવ્યકર્મમાં : લઈએ તો પોતે ઋષભદેવ જેવા જ તીર્થંકર થવાના લેવામાં આવ્યું છે. સિદ્ધાંત એમ કહેવા માગે છે કે જીવને વિભાવરૂપે પરિણમવું હોય તો દ્રવ્યકર્મનો ઉદય અવશ્ય હોવો જોઈએ. આ રીતે જીવ વિભાવ કરવા માટે પરાધીન છે. જીવ સ્વતંત્રપણે ૫૨ નિરપેક્ષપણે વિભાવ ન કરી શકે એમ ઈશ્વવરનય દ્વારા છે. એ વાત સાંભળ્યા બાદ પણ તેને પ્રમોદ તો ન આપ્યો પરંતુ એણે અન્યમતની સ્થાપના કરી. અજ્ઞાની જીવને એટલા જ માટે વિભાવેશ્વર કહ્યો છે. હવે જીવની શુદ્ધ પર્યાય જે સંવ૨, નિર્જરા અને મોક્ષરૂપ છે તેનો વિચાર કરીએ. જીવનો સ્વભાવ શુદ્ધ છે અને પર્યાય પણ શુદ્ધ થાય તે સ્વાભાવિક પર્યાય છે. તેથી જીવ શુદ્ધતારૂપે તો સહજપણે પરિણમી શકે એમ આપણને ખ્યાલ આવે તેથી તે પરિણામ જીવ સ્વતંત્રપણે કર્તા થઈને કરે છે એ વાત સિદ્ધાંતરૂપે સાચી છે. આ પ્રકારે હોવા છતાં પણ જીવની શુદ્ધ પર્યાય પણ કર્મ સાપેક્ષ જ છે. અર્થાત્ ત્યાં કર્મના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયની અપેક્ષા અવશ્ય છે. ખરેખર તો જીવની શુદ્ધ આમ હોવા છતાં અજ્ઞાની જીવ જે વિભાવ કરે છે તે અમર્યાદ નથી. વળી તેનું ફળ પણ સુખથી વિપરીત એવું દુઃખ છે માટે વહેલા કે મોડા ભવ્ય જીવો વિભાવનો અભાવ કરીને મુક્તિને અવશ્ય પ્રાપ્ત થાય છે. જીવ જેમ વિભાવ ક૨વામાં સ્વતંત્ર છે. તેમ વિભાવને દૂ૨ ક૨વામાં પણ સ્વતંત્ર છે. જીવમાં વિભાવરૂપે પરિણમવાની એક યોગ્યતા છે ચરણાનુયોગસૂચક ચૂલિકા : ૧૯૨
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy