SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ છે. તેની સામે ભાવેન્દ્રિય એ ખંડજ્ઞાનરૂપ : છે માટે વિરક્તતા વધતી જાય છે. છે. વિષયોને એક પછી એક જાણવા એવો જીવનો સ્વભાવ નથી માટે જ્ઞાયકને ભાવેન્દ્રિયથી પણ ભિન્ન દર્શાવવામાં આવે છે. આવું જિતેન્દ્રિયપણું તો ધર્મની શરૂઆતથી જ છે. જ્ઞાયકનું જાદાપણું એ સમ્યગ્દર્શનથી લઈને પરમાત્મદશા સુધી એકરૂપ જ છે. તેમાં કોઈ તફાવત નથી. તેથી યથાજાતરૂપ પણામાં તેનો અલગ રીતે વિચા૨ ક૨વા યોગ્ય છે. જો મારે બાહ્ય વિષયોનું કાંઈ પ્રયોજન નથી તો પછી મારે ખરેખર ઈન્દ્રિયોનું જ પ્રયોજન નથી. : ઈન્દ્રિયોનો ઉપયોગ તો માત્ર રૂપી વિષયોને જાણવા પૂરતો જ છે. જો રૂપી વિષયોની નિસ્બત છૂટી જાય છે તો ઈન્દ્રિયોનું પણ કાંઈ કામ નથી. આ રીતે તે મુનિરાજને વિષયોની વિરક્તતા છે. અર્થાત્ અજ્ઞાનની ભૂમિકામાં વિષયોને ભોગવવાની જે મુખ્યતા હતી તે મુનિને નથી. ભાવ્ય ભાવક સંકરદોષ ઈન્દ્રિયોથી વિરક્ત થાય છે. તે સાચા અર્થમાં જિતેન્દ્રિયપણું છે. વળી જ્યાં સુધી જ્ઞાન ઈન્દ્રિયનું અવલંબન લેવાનું ચાલુ રાખે છે ત્યાં સુધી તેને અતીન્દ્રિય જ્ઞાનની પ્રગટતા થતી નથી અર્થાત્ સ્વાનુભૂતિ થતી નથી. આ રીતે ઈન્દ્રિયનું અવલંબન : તો જ્ઞાનીને દૂર થયો છે. અર્થાત્ પરને ભોગવી શકતો : તેને સાચા અર્થમાં બાધક લાગે છે. તેથી તે હવે ખરેખર જિતેન્દ્રિય થાય છે એવું યથાજાતપણું આ જ નથી એવો પાકો નિર્ણય તેને છે પરંતુ મુનિદશામાં : · ગાથામાં આચાર્યદેવ દર્શાવવા માગે છે. ટીકામાં આચાર્યદેવ ઈન્દ્રિયોને પદ્રવ્યો સાથે સ્વસ્વામિ સંબંધના આધારરૂપ દર્શાવે છે. જ્ઞાનીઓને એવો સંબંધ નથી પરંતુ અજ્ઞાની ૫૨ દ્રવ્યને જાણતા ૫૨ સાથે એકત્વબુદ્ધિ, સંકરદોષને કરે છે માટે ઈન્દ્રિયોને પદ્રવ્યો સાથે સ્વ-સ્વામિના આધારરૂપ ગણવામાં આવે છે. તો તેને બાહ્ય વિષયોથી અત્યંત વિરક્તતા થાય છે. સંયોગો મારાથી અત્યંત ભિન્ન છે. એટલું માત્ર જ્ઞાન વિભાગનું કામ નથી. ૫૨ને ૫૨ જાણતા તેમાં કર્તા અને ભોક્તાપણાનો ભાવ છૂટી જાય છે. અર્થાત્ અન્ય વિષયો ભોગવાતા નથી એટલો નિર્ણય થાય છે. પરંતુ બાહ્ય વિષયોને ભોગવતા અજ્ઞાન દશામાં જે ઈન્દ્રિય સુખનો અનુભવ હતો તેને કારણે તેનાં પ્રત્યે ઉદાસીનતા ન આવે. સાધક દશામાં એ જ્યારે આગળ વધે છે ત્યારે જીવનું અન્ય દ્રવ્યોથી અત્યંત ભિન્નપણું તેના અનુભવમાં આવે છે. બાહ્ય વિષયો તો માત્ર હાથતાળી દઈને ચાલ્યા જાય છે. બહા૨ રસ્તા ઉપર લગાવેલા અરીસા સામેથી આખું સરઘસ પસાર થઈ જાય. અરીસામાં માત્ર તેનું પ્રતિબિંબ દેખાય પરંતુ બાહ્યમાંથી કાંઈ અરીસામાં આવતું નથી એમ વિષયોને ભોગવતા સમયે મને તેમાંથી કાંઈ મળતું નથી. મને તો માત્ર મારા રાગયુક્ત જ્ઞાનનો જ અનુભવ છે તેવી ખાત્રી થતી જાય છે. : : તેથી સાધકને ભોગવટાની નિરર્થકતા ભાસતી જાય : આરંભમૂર્છાશૂન્યતા, ઉપયોગયોગવિશુદ્ધતા, છે. તે કારણે તે વિષયોથી વિરક્ત થાય છે. તેને નિરપેક્ષતા પ૨થી, -જિનોદિત મોક્ષકારણ લિંગ આ. ૨૦૬. અંતરંગમાં સ્વરૂપલીનતા વધતા અતીન્દ્રિય આનંદનો : મૂર્છા (મમત્વ) અને આરંભરહિત, ઉપયોગની સ્વાદ આવે છે. અને વિકલ્પ માત્ર દુઃખરૂપે વેદાય પ્રવચનસાર - પીયૂષ અને યોગની શુદ્ધિથી યુક્ત તથા પરની અપેક્ષા ૧૯ = : : : ગાથા = ૨૦૫, ૨૦૬ જન્મયા પ્રમાણે રૂપ, લંચન કેશનું, શુદ્ધત્વ ને હિંસાદિથી શૂન્યત્વ, દેહ-અસંસ્કરણ - એ લિંગ છે. ૨૦૫. જન્મ સમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢી મૂછના વાળના લોચ કરાયેલું, શુદ્ધ (અકિંચન) હિંસાદિથી રહિત અને પ્રતિકર્મ (શરીરની સજાવટ) વિનાનું, એવું (શ્રામણ્યનું બહિરંગ) લિંગ છે.
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy