SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા અંશ કહેવામાં આવે છે. અને તે પોતાના : ઉભયબંધને પ્રાપ્ત થાય છે. સ્થિતિબંધ અનુસાર પુરુષાર્થ અનુસા૨ થાય છે. અજ્ઞાન દશામાં એ ઊંધો પુરુષાર્થ ગણાય છે. એટલી મુદ્દત પુરતું એ કર્મ જીવની સાથે બંધાયેલું રહે છે. તેટલા સમયમાં એ કર્મના અનેક ફેરફારો પણ થાય છે જે ખરેખર તો તે જીવના ત્યાર પછીના પરિણામને અનુસરે છે. તેની સ્થિતિ પુરી થાય છે ત્યારે તે દ્રવ્યકર્મ જીવથી જાદુ પડે છે તેને કર્મનો ઉદય કહેવાય છે અને તે સમયે તે કર્મ પોતાનું ફળ આપે છે. કર્મકારક → જે પર્યાય પ્રગટ થાય છે તે કર્મ અંશ છે. ધ્યેયલક્ષી ક્રિયા અનુસાર જે ક્રિયાનું ઈષ્ટ છે તે કર્મ છે. તે પરિણામ જે સમયે પ્રગટયા એ કાળલબ્ધિ છે અને તેનું જે રૂપ છે જેને અહીં કર્મકારકરૂપે લક્ષમાં લઈએ છીએ તે ભવિતવ્યતા છે. આ રીતે વર્તમાનમાં જીવ જે પ્રકારના શુભાશુભ ભાવો કરે છે તે પ્રમાણે દ્રવ્યકર્મ બંધાય છે. અબાધાકાળ દરમ્યાન તેમાં ઉત્કર્ષણ વગેરે ફે૨ફા૨ થાય છે અને મુદ્દત પુરી થયે તે જીવને ફળ આપે છે. પુણ્ય અને પાપ પ્રકૃતિ અનુસાર જીવને અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. જેને જીવ ભોગવે છે. જે ઘાતિ કર્મ બંધાયું છે તે અનુસા૨ જીવ વિભાવ કરીને તે વિભાવ પર્યાય દ્વારા તે કાળનયની વિચારણા સમયે આપણે પુરુષાર્થને યાદ કર્યો હતો તેમ અહીં પુરુષાર્થની વાત કરીએ ત્યારે તે અનુસાર જે પરિણામ થાય તેને યાદ કરીએ. અર્થાત્ પુરુષકારનય જ્યારે પુરુષાર્થની મુખ્યતા કરે છે ત્યારે દેવનય અન્ય ચા૨ ... સંયોગોને ભોગવે છે. આ પ્રમાણે જીવને જે સંયોગો તેના ભોગવવા માટે આવે છે તે દૈવનય અનુસાર છે. તે સમયે જીવનો પોતાનો જે પુરુષાર્થ છે તેની કોઈ અસર આ દૈવનય અનુસાર થતાં ફળ ઉ૫૨ : : સમવાયનો તેની સાથેનો મેળ દર્શાવે છે. નથી. સંપ્રદાન કારક → જે પર્યાય પ્રગટ થઈ છે તે પોતાના માટે જ છે. દૃષ્ટાંતઃએકલી રહેતી બહેન પોતે રસોઈ બનાવીને જમી લે છે તેમ આ રીતે સંપ્રદાન દ્વારા જે પર્યાય પોતે પ્રગટ કરી છે તેને પોતે જ ભોગવે છે. દૈવનય પુરુષાર્થ સિવાયના અન્ય સમવાયની વાત કરે છે તેમ લીધા બાદ હજી તેને બીજી રીતે વિચારી શકાય છે. કર્તાપણું અને ભોક્તાપણું એક જ સમયમાં હોય છે. તેથી જીવ પોતાના જે પરિણામોને કરે છે તેને તે સમયે જ ભોગવે છે એ સિદ્ધાંત છે. પરંતુ સંસારી જીવમાં એટલું પર્યાપ્ત નથી. સંસાર અવસ્થામાં જીવ મોહ-રાગ-દ્વેષ એવા વિભાવ પરિણામને કરે છે અને તેના ફળ સ્વરૂપે આકુળતાને ભોગવે છે. તે ઉપરાંત જીવના વિભાવને અનુસરનારુ એક કર્મતંત્ર પણ છે. જીવ જે સમયે વિભાવ કરે છે તે સમયે તે આકાશના ક્ષેત્રે રહેલી કાર્યણવર્ગણા દ્રવ્યકર્મરૂપે પરિણમીને જીવની સાથે પ્રવચનસાર - પીયૂષ પુરુષકા૨નય અને દૈવનયનો બન્નેનો આ રીતે · સાથે વિચાર કરીએ ત્યારે જીવ પોતાના સ્વભાવ સન્મુખના પુરુષાર્થ અનુસા૨ પોતાની પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરતો જાય છે તે સમયે તે જીવે પૂર્વે કરેલા પોતાના વિભાવ અનુસાર જે કાંઈ કર્મો બંધાણા છે તે ઉદયમાં આવીને દેવનય. અનુસાર તેને સંયોગો પણ આપે છે. જે જીવ સ્વભાવ : સન્મુખનો પુરુષાર્થ કરતો હોય તેને સામાન્ય રીતે અનેક પ્રકા૨ના શુભભાવો પણ થતાં હોય છે તેથી તેને દૈવનય અનુસાર અનેક પ્રકારની સંયોગરૂપ સામગ્રી પ્રાપ્ત થાય છે. જ્ઞાનીને કયારેક અશુભભાવો પણ થાય છે અને તે અનુસા૨ પાપ પ્રકૃતિના ફળરૂપે : : ૧૮૫ : :
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy