SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધાત્મા કેવી રીતે જાણી શકાય એ વાત વિસ્તાર : પોતાના આત્માને આ પ્રમાણે અનેકાંત સ્વરૂપ પૂર્વક પણ સમજાવી. ત્યાં વિસ્તૃત વર્ણન દ્વારા પણ લક્ષમાં લે છે તે અનેકાંતપૂર્વક સમ્યક્ એકાંત અવશ્ય શુદ્ધાત્મા જ દેખાડવા માગતા હતા. જીવની પર્યાય · કરી લે છે. એટલે કે તે જીવ પોતાના શાયક મારફત સ્વભાવ સુધી પહોંચાડવાનો ભાવ હતો. : સ્વભાવમાં હુંપણું સ્થાપે છે. એ જ ભગવાનના ત્યાં જીવ એ સામાન્ય છે અને તેની સાત પ્રકારની : ઉપદેશનું અને સમસ્ત શાસ્ત્રોનું પ્રયોજન છે. જે પર્યાયો એ વિશેષ છે. આ રીતે નવતત્ત્વ મારફત : વાચક એવા શાસ્ત્રો વડે વાચ્ય એવા શુદ્ધાત્મા પાસે સામાન્ય વિશેષરૂપ જીવનું અનેકાંત સ્વરૂપ દર્શાવીને પહોંચી ત્યાં હુંપણું સ્થાપે છે. તેને શાસ્ત્રાભ્યાસનું તેમાંથી સમ્યક્ એકાંત એવા સ્વભાવ સુધી લઈ જાય ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેવા જીવોને, શિષ્યોને છે. કુંદકુંદાચાર્યદેવે આ રીતે સંક્ષેપથી અને થોડા સ્વાનુભૂતિ થાય છે. અનુભવમાં આવે છે. એ આત્મા પ્રયોજનભૂત વિસ્તારથી સમજાવવા માટે ગાથાઓ લખી. ત્યારબાદ એટલાથી પણ ન સમજી શકે એવા જીવો પંચમ કાળમાં થશે તેથી તેમના હિત માટે : : કેવો છે તે હવે કહે છે. ભૂતાર્થ-સ્વસંવેધ-દિવ્ય જ્ઞાનાનંદ સ્વભાવ. આ શબ્દો દ્વારા આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે. આત્માને તેનો એક દ્રવ્યસ્વભાવ છે. તે દ્રવ્ય સ્વભાવ લક્ષ્ય છે. જ્ઞાન અને આનંદ તેના લક્ષણો છે. જ્ઞાન અને સુખ એ બે ગુણો છે. ગુણને ગુણનો સ્વભાવ છે. લક્ષણ અને લક્ષ્યની એક સત્તા છે તેથી જ્ઞાન અને આનંદને જીવના સ્વભાવ પણ કહેવામાં આવે આગળના ટેબલમાં જે શબ્દ સમયની વાત : લીધી હતી. ત્યાં હવે તેના અનુસંધાનમાં ફરી જ્ઞાનસમય લેવું. અર્થાત્ તે શાસ્ત્રોનો અભ્યાસ કરીને પાત્ર જીવ તેનું જ્ઞાન. છે. ઉપરોક્ત ત્રણ વિશેષણો જીવને લાગુ પડે છે અને આ ગુણોને પણ લાગુ પડે છે. અમૃતચંદ્રાચાર્યદેવે મૂળ ગાથાનો પણ વિસ્તાર કરીને સમજાવ્યું અર્થાત્ શાસ્ત્રના શબ્દો વાચકરૂપે વસ્તુસ્વરૂપને દર્શાવે છે. શ્રુતજ્ઞાનોપયોગપૂર્વક પ્રભાવ. શબ્દસમય → જ્ઞાનસમય પરમાગમો ભૂતાર્થ : અહીં ભૂતનો અર્થ છતો પદાર્થ. વિદ્યમાન થાય છે. તેને સત્યાર્થ પરમાર્થ પણ કહેવામાં આવે છે. સર્વ પ્રથમ તો આત્મા-ભૂતાર્થ છે અર્થાત્ આત્મા પોતાનું સત્ લઈને રહેલો છે. એ આત્મા સ્વથી એકત્વ એવા અનેકાંત અને અસ્તિ-નાસ્તિ એવા અનેકાંત સ્વરૂપમય છે. વિશ્વમાં રહેલા છ દ્રવ્યોને જાણીને એમાંથી સારભૂત એવા પોતાના આત્માને ભેદજ્ઞાનના પ્રયોગ વડે જુદો પાડીને અનુભવમાં લેવો જરૂરી છે. એવું કાર્ય જ્ઞાની કરે છે ત્યારે તેણે ભૂતાર્થ એવા પોતાના આત્માને જાણ્યો એમ કહેવાય : છે. પાત્રજીવ-જ્ઞાનીનું જ્ઞાન-ભાવશ્રુત જ્ઞાન આ જ્ઞાન પોતાના આત્માનો સ્વાનુભવ કરી લે છે. તેથી તે જ્ઞાનને ભાવશ્રુતજ્ઞાન પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો વાચકરૂપ દ્રવ્યશ્રુત છે અને તેના દ્વારા સ્વાનુભવ એ ભાવશ્રુત છે. અહીં જે શ્રુતજ્ઞાન ઉપયોગ શબ્દ વપરાયો છે તે ભાવશ્રુત જ્ઞાન ઉપયોગના અર્થમાં લેવો. ખરેખર તો શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન થાય છે તે જ્ઞાન વિશ્વના સમસ્ત પદાર્થો અનેકાંત સ્વરૂપ અર્થાત્ સામાન્ય વિશેષરૂપ છે એવી સમજણરૂપ છે. એમાં પોતાનો આત્મા પણ સામાન્ય વિશેષરૂપ અનેકાંતમય છે એ વાત આવી જાય છે. · ધ્રુવ એવું સત્ લઈને રહેલો છે. તેમ લક્ષગત થતાં આવા શ્રુતજ્ઞાનનો એક એવો ‘‘પ્રભાવ’’ છે કે જો : હું એક દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ છું એમ ખ્યાલમાં પ્રવચનસાર - પીયૂષ આવો સત્ સ્વરૂપ આત્મા પણ ઉત્પાદ-વ્યય ૧૫૧
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy