SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થામાં પોતાના વિભાવ અનુસાર સંયોગોને : તેથી આ પ્રમાણે જ જાણપણું થાય એમ આપણે ભોગવતા હતા. તે વિભાવરૂપે રહ્યા નથી તેથી : સ્વીકારી લઈએ છીએ. જ્ઞાનની સાથે તે વિષયોમાં પરમાત્મા ભાવકર્મ કે દ્રવ્યકર્મ કોઈનું ફળ ભોગવતાં તે ઉપયોગી છે કે નકામાં એવી વિચારણા કરીને નથી. તેથી તે દશાને ‘‘અફળ સંસા૨’’ એવું નામ મળ્યું છે. પરમાત્મા આવી અફળ દશામાં પણ લાંબો : ઈન્દ્રિયને સાધન બનાવીને આપણે એ રીતે સુખસમય રહેવાના નથી. અલ્પકાળમાં અશ૨ી૨ી : દુઃખનો અનુભવ પણ કરીએ છીએ. જ્ઞાની ગુરુના પરમાત્મા સિદ્ધ પરમાત્મા થવાના છે. યોગમાં આવીએ છીએ ત્યારે રાગ ક૨વા જેવો નથી તેના પ્રત્યે રાગ અથવા દ્વેષ કરીએ છીએ. એ જ : એવું જાણીએ છીએ. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે : તેથી તેનો નિષેધ નથી. જ્ઞાન બંધ કે મોક્ષનું કારણ નથી એવું જાણીને આપણે જાણવાના કાર્યનો : સહજરૂપે સ્વાભાવિક ક્રિયારૂપે સ્વીકાર કરી લઈએ છીએ. ખરેખર એ સ્વાભાવિક ક્રિયા નથી. અલ્પજ્ઞતા એ ઉણપ છે. એ અપેક્ષાએ તો દોષ છે. જ્યારે સર્વજ્ઞ દશા પ્રગટ થાય છે ત્યારે તે શોભનીય છે. તે દશા અને તે દશા ધારણ કરનાર ત્રિલોકની કલગી સમાન છે એવું આ ગાથામાં વિસ્તારથી સમજાવવા માગે છે. આ ગાથાની ટીકામાં આચાર્યદેવ સર્વપ્રથમ : કેવળજ્ઞાનનો મહિમા કરે છે. તેને “ત્રિલોકની કલગી’’ રૂપે દર્શાવે છે. છ દ્રવ્યોમાં જીવ પોતાના જ્ઞાન સ્વભાવ વડે અન્ય પાંચ અચેતન દ્રવ્યોથી પોતાનું અસાધારણપણું-વિશિષ્ટપણું લઈને રહેલો છે. તે આ પ્રમાણે દરેક પદાર્થ પોતાના સ્વભાવને ધા૨ણ ક૨ે છે. એ તો બધા સાથે સમાનપણું થયું પરંતુ અન્ય પદાર્થો પોતાને કે ૫૨ને જાણતા નથી. જ્યારે જ્ઞાન સ્વ-૫૨ બધાના સ્વભાવોને જાણે છે એ તેની વિશેષતા છે. જીવનું આ રીતે છ દ્રવ્યોમાં આગવું સ્થાન છે. હું એવો એક વિશિષ્ટ પદાર્થ છું. એવું લક્ષમાં લેતા સ્હેજે આનંદ થાય છે. જ્ઞાન સ્વભાવ - સર્વજ્ઞ સ્વભાવ હોવા છતાં આપણે અનાદિકાળથી અલ્પજ્ઞ છીએ. એ અલ્પજ્ઞ દશામાં ં અનંતકાળ ગયો. સામર્થ્ય ઘણું હોય અને કામ ઓછું થઈ શકે એ આકુળતા અને દુઃખનું કારણ બને છે. આ રીતે સંસારી છદ્મસ્થ જીવોને અલ્પજ્ઞ દશા એ દુઃખરૂપ છે પરંતુ એવા પ્રકારનું દુ:ખ આપણને જે પ્રકારે ભાસવું જોઈએ એ પ્રકારે ભાસતુ નથી. પરિણામે આપણને એને સહજપણે માન્ય કરી લઈએ છીએ અને તેને છોડવા માટે પ્રયત્ન કરતા નથી. ૫૨માત્માનું જ્ઞાન નિર્મળ જ્ઞાનપ્રકાશરૂપ છે. એ જ્ઞાનમાં સ્વ-૫૨નો યોગ્ય વિવેક છે. સર્વજ્ઞ સ્વભાવને સ્વ-૫૨ પ્રકાશક સ્વભાવ પણ કહેવામાં આવે છે. સ્વ અને ૫૨ વચ્ચે જાદાપણાનો વિવેક અનિવાર્ય હોવાથી એ પ્રકારે ભેદ પાડીને તેની સ્પષ્ટતા ક૨વામાં આવે છે. એ પ્રકારનું વિવેકી જ્ઞાન તો ધર્મની શરૂઆતથી જ હોય છે. પરંતુ સમ્યગ્દષ્ટિને પોતાના સ્વભાવની મુખ્યતા છે. સ્વભાવને છોડીને અન્ય જે કાંઈ છે તે મારું સ્વરૂપ નથી. અજ્ઞાન ભાવે તેમાં હુંપણું માન્યું હતું, તે મારી ભૂલ હતી. તેથી ૫૨ને પરરૂપે લક્ષમાં લે છે અને તેના વિસ્તારમાં જવા માગતો નથી. જે દિશામાં જવું નથી ત્યાં મહેનત શા માટે કરવી ? વળી તે સમસ્ત પદ્રવ્યોને જાણતો નથી. ૫૨ને ૫૨ જાણીને ત્યાગે છે. અભિપ્રાયમાં ત્યાગ, ચારિત્ર અપેક્ષાએ પ૨ને ભોગવવાના ભાવનો ત્યાગ અને બાહ્ય સંયોગોમાં પણ ત્યાગ : જે વિષયને જાણવો હોય તેનું લક્ષ કરીએ. શરીરને પ્રાપ્ત પાંચ ઈન્દ્રિયોમાંથી જે યોગ્ય હોય એ ઈન્દ્રિયને સાધન બનાવીને તે વિષયને આપણે જાણીએ છીએ. આપણે જેના પરિચયમાં છીએ એ બધા જીવો એ જ પ્રકારે જાણવાનું કાર્ય કરે છે. પ્રવચનસાર - પીયૂષ : એવું બધું સાધક દશામાં જોવા મળે છે. અસ્તિપણે ૧૩૫
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy