SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાની જીવ મોહની અસ૨ નીચે અનાદિકાળથી રાગ-દ્વેષ કરતો આવ્યો છે. રાગદ્વેષ થાય એ અલગ વાત છે અને તેને ક૨વા જેવા માનીને કરે એ જાદી વાત છે. મોહ-રાગ-દ્વેષ એ જીવની અશુદ્ધ પર્યાય છે. જીવની ભૂલ છે અને તેના ફળમાં તે દુઃખી છે માટે તે પરિણામો ક૨વા જેવા નથી પરંતુ છોડવા લાયક છે. બસ આ વાત જ આચાર્યદેવ આ ગાથામાં સમજાવવા માગે છે. તેથી જ એ વાત સાચી છે કે અજ્ઞાની જીવ અનાદિથી સંસારી જીવન જીવતો હોવા છતાં તેને સંસા૨ના અસલ સ્વરૂપનો ખ્યાલ નથી. : ... : જિનાગમનો અભ્યાસ ક૨ના૨ને અર્થ સમય, શબ્દ સમય અને જ્ઞાન સમય એવા શબ્દોના ભાવનો ખ્યાલ છે. અન્યને માટે તો આવા શબ્દો પણ તદ્દન અજાણ્યા છે. પરંતુ અહીં સમયનો જે અર્થ કર્યો છે : તે જૈનોને પણ પ્રચલિત નથી. અહીં સમયનો અર્થ દ્રવ્યલિંગ કરવામાં આવ્યો છે. દ્રવ્યલિંગ શબ્દથી એ જૈનના સાધુ છે એ સહજપણે સમજી શકાય એમ છે. ખ્યાલમાં રહે કે અહીં ભાવલિંગની વાત નથી કરવા માગતા. અહીં તો અજ્ઞાનીની વાત લેવી છે. કારણકે સંસાર તત્ત્વ સમજાવવું છે. દ્રવ્યલિંગ શબ્દથી સામાન્ય રીતે આચરણનો ભાવ સમજાય છે. દ્રવ્યલિંગમાં બાહ્ય આચરણની મુખ્યતા છે એ વાત સાચી પરંતુ જિનાગમમાં જ્ઞાન શ્રદ્ધાનની મુખ્યતા છે અને એ જ્ઞાન શ્રદ્ધાન અનુસાર આચરણ છે. દ્રવ્યલિંગી મુનિ માત્ર બાહ્ય આચરણ કરે છે. તેનું જ્ઞાન શ્રદ્ધાન ખોટું છે. સમજણ ખોટી હોય ત્યાં આચરણ ખોટું જ હોય. તેથી આચાર્યદેવ તેનું જ્ઞાન સંસાર તત્ત્વ સમજાવતા આચાર્યદેવ દૃષ્ટાંતરૂપે દ્રવ્યલિંગી મુનિની વાત કરે છે. અહીં પ્રથમ જ આશ્ચર્ય થાય કે સંસારી જીવના અનેક પ્રકારના વર્ણનનો આપણને ખ્યાલ છે એમાં કયાંય દિગમ્બર સાધુની વાત બંધ બેસતી નથી. આ રીતે અહીં માત્ર આશ્ચર્ય નહીં વિરોધાભાસ પણ આવે છે. પરંતુ આચાર્યદેવે મૂળગાથામાં આ વાત લીધી છે તેથી : ખોટું છે એ વાતને જ મુખ્ય કરીને આ ગાથામાં સમજાવે છે. અજ્ઞાનીને વસ્તુ સ્વરૂપનો સાચો ખ્યાલ હોતો નથી એમ ફરમાવે છે. અહીં ફરીને પ્રશ્ન થાય છે કે જે અન્યમતિએકાંતવાદી છે. તેને તો તત્ત્વના સ્વરૂપનો ખ્યાલ ન : : તેનું ચોક્કસ પ્રયોજન હોવું જોઈએ. એ દિશામાં જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે તુરત જ આપણા મનનું સમાધાન થાય છે. કારણકે આપણી જેમ અન્ય જીવો પણ મુનિને સંસારી માનવા તૈયા૨ નથી. વળી અહીં તો અન્યમતના સાધુની વાત નથી. અહીં તો દિગમ્બર મુનિની વાત છે. મોક્ષની પ્રાપ્તિ માટે સર્વ સંગ પરિત્યાગ કરી માત્ર આત્મ સાધના કરવા માટે જ મુનિપણું લઈને જંગલમાં એકાંતમાં વસનારા એવા જીવોની અવશ્ય મુક્તિ થાય એવી વ્યાપક માન્યતા છે. આત્મજ્ઞાન શૂન્ય મુનિપણું એ પણ સંસાર તત્ત્વ છે એ વાત બધા સમજે તે જરૂરી છે માટે અહીં આચાર્યદેવ અનેક પ્રકારની ભોગ સામગ્રીમાં રચ્યા પચ્યા એવા જીવનું વર્ણન ન કરતા દ્રવ્યલિંગી મુનિનું દૃષ્ટાંત લીધું છે. · હોય તે સમજી શકાય. પરંતુ અહીં તો જિનમતને અનુસ૨ના૨ લીધા છે. તેથી તેનું જ્ઞાન તો યથાર્થ હોય ત્યાં અયથાર્થપણે ગ્રહણ કરે છે એમ કઈ રીતે કહી શકાય ? તર્ક તો વ્યાજબી છે. જૈનદર્શન વસ્તુના સ્વરૂપને અનેકાંતરૂપ દર્શાવે છે અર્થાત્ દ્રવ્ય બંધારણ જેમ છે તેમ જ તેનું પ્રતિપાદન કરે છે. તેથી જૈનોને વસ્તુ સ્વરૂપ ખોટું સમજાણુ છે એમ કઈ રીતે કહી શકાય ? : ૧૩૦ હવે તેનું સમાધાન સર્વ પ્રથમ તો જૈન ધર્મનું પાલન અને જૈન દર્શન વચ્ચેનો તફાવત આપણા ‘સમય’ આ શબ્દના અનેક અર્થ થાય છે. : ખ્યાલમાં લેવો જરૂરી છે. મોટા ભાગના જીવો ધર્મનું ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy