SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જબૂસ્વામી બહેન- અંતિમ તીર્થકર મહાવીર ભગવાન પૂર્ણ વીતરાગ અને સર્વજ્ઞ હતા. તેમના પછી પણ કોઈ પૂર્ણ વીતરાગ અને સર્વજ્ઞ થયા? ભાઈ- હા, હા, કેમ નહિ થયા? તેમના પછી ગૌતમ સ્વામી, સુધર્માચાર્ય અને જબૂસ્વામી પૂર્ણ વીતરાગ અને કેવળજ્ઞાની થયા. આ યુગના અંતિમ કેવળી જબૂસ્વામી જ છે. બહેન- તો મહાવીર સ્વામીની જેમ જબૂસ્વામી પણ રાજકુમાર હશે? ભાઈ- ના બેન, તે તો રાજગૃહી નગરીના એક રાજમાન્ય શેઠના પુત્ર હતા. તેમના પિતાનું નામ અર્હદાસ અને માતાનું નામ જિનમતી હતું. જમ્મુકુમારનો જન્મ ફાગણ સુદ પૂનમ થયો હતો. શ્રેષ્ઠિપુત્ર જનૂકુમારનું રાજા શ્રેણિકના દરબારમાં અને તે વખતના સમાજમાં મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. નગરના અનેક શ્રીમંતો પોતાની ગુણવાન કન્યાઓનાં લગ્ન જખૂકુમાર સાથે કરવા ઈચ્છતા હતા અને ચાર કન્યાઓની સગાઈ પણ તેમની સાથે નક્કી થઈ હતી પણ... બહેન- પણ શું? ભાઈ- પણ તેઓ તો બાળપણથી જ વૈરાગ્ય-રસમાં ડૂબેલા હતા. તેમનું મન તો આત્માના અનંત અતીન્દ્રિય આનંદ માટે તરફડતું હતું તેથી તેમણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. બહેન- ના પાડી દીધી? નક્કી કરેલું સગપણ તોડી નાખ્યું? લગ્ન ન કર્યા? ભાઈ- તેઓ તો લગ્ન ન કરવાનું જ ઈચ્છતા હતા પણ જ્યારે કન્યાઓએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓએ પણ કહ્યું કે જો લગ્ન કરીશું તો જબૂકુમારની સાથે જ, બીજી રીતે નહીં જ. ૩) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008322
Book TitleVitrag Vigyana Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size495 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy