SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અને શ્રાવકસંઘની સાથે સાથે આર્થિકાસંઘ અને શ્રાવિકાસંધ પણ હતા. અનેક વિરોધી વિદ્વાનો પણ એમના ઉપદેશોથી પ્રભાવિત થઈને પોતાની પરંપરાઓનો ત્યાગ કરીને એમના શિષ્યો બન્યા. મુખ્ય વિરોધી વિદ્વાન ઈન્દ્રભૂતિ ગૌતમ તો એમના પટ્ટશિષ્યોમાંથી એક છે. તેઓ જ એમના પ્રથમ ગણધર બન્યા કે જેઓ ગૌતમ સ્વામીના નામે પ્રસિદ્ધ છે. તેઓ ભગવાન મહાવીરના શિષ્ય કેવી રીતે બન્યા, એનું વૃત્તાંત નીચે પ્રમાણે પ્રાપ્ત છેઃ ઈન્દ્રભૂતિ ગૌતમ વેદ-વેદાંતોના પારગામી વિદ્વાન હતા. એમને પાંચસો શિષ્યો હતા. ઈન્દ્રને જ્યારે એમ માલૂમ પડયું કે ભગવાનની દિવ્યધ્વનિને સંપૂર્ણપણે ધારણ કરવામાં સમર્થ, એમના પટ્ટશિષ્ય બનવાને યોગ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ જ છે, ત્યારે એ વૃદ્ધ બ્રાહ્મણના વેશે એમના આશ્રમે પહોંચ્યા. ઈન્દ્રે ઈન્દ્રભૂતિની સમક્ષ એક છન્દ ૨જૂ કર્યો અને પોતાને મહાવીરનો શિષ્ય હોવાનું જણાવી એનો અર્થ સમજવાની જિજ્ઞાસા પ્રગટ કરી તે શ્લોક આ પ્રમાણે છેઃ त्रैकाल्यं द्रव्यषट्कं नवपदसहितं जीवषट्कायलेश्याः। पंचान्ये चास्तिकाया व्रतसमितिगतिज्ञानचारित्रभेदाः ।। इत्येतन्मोक्षमूलं त्रिभुवनमहितैः प्रोक्तमर्हद्भिरीशैः । प्रत्येति श्रद्दधाति स्पृशति च मतिमान् यः स वै शुद्धदृष्टिः ।। ઈન્દ્રભૂતિ વિચારમગ્ન બની વિચારવા લાગ્યા કે આ છ દ્રવ્ય, નવ પદાર્થ, પંચાસ્તિકાય વગેરે શું છે? પોતાના તત્સંબંધી અજ્ઞાનને અભિમાનમાં દબાવીને ઈન્દ્રભૂતિએ ઈન્દ્રને કહ્યું-આ સંબંધમાં હું તમારા ગુરુ સાથે જ ચર્ચા કરીશ. ચાલો! તેઓ કયાં છે? હું એમની પાસે આવું છું. ઈન્દ્રભૂતિનો સંદ્ધર્મ પ્રાપ્તિનો કાળ પાકી ગયો હતો, સાથે જ ભગવાનની દિવ્યધ્વનિ ખરવાનો કાળ પણ આવી ચૂકયો હતો. સમવસરણની નિકટ આવતાં જ તેમના વિચારોમાં કઠોરતાનું સ્થાન કોમળતાએ લઈ લીધું. માનસ્તંભને દેખતાંની સાથે જ એમનું અભિમાન ગળી ગયું અને એમણે ભગવાન મહાવીરની પાસે દીક્ષા લઈ લીધી. એમની યોગ્યતા અને ભગવાન મહાવીરની મહાનતાએ એમને પ્રથમ ૬૮ Please inform us of any errors on [email protected]
SR No.008319
Book TitleTattvagyan Pathmala 2
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1977
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy