SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દીવાન રતનચંદ:- એકલા વ્યવહારનો ઉપદેશ કોના માટે છે અને નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ કોના માટે છે? પં. ટોડરમલઃ- જે જીવોને નિશ્ચયનું જ્ઞાન નથી તથા ઉપદેશ આપવા છતાં પણ થતું જણાતું નથી, એમને તો એકલો વ્યવહા૨નો ઉપદેશ આપીએ છીએ; તથા જે જીવોને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન હોય અથવા ઉપદેશ આપતાં તેનું જ્ઞાન થવું સંભવિત હોય તેમને નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ. વળી ચરણાનુયોગમાં કોઈ કોઈ ઠેકાણે કષાયી જીવોને કષાય ઉપજાવીને પણ પાપથી છોડાવીએ છીએ. જેમ-પાપનાં ફળ નરકાદિનાં દુઃખ બતાવી ત્યાં ભય કષાય ઉપજાવીને તથા પુણ્યનાં ફળ સ્વર્ગાદિનાં સુખ બતાવી ત્યાં લોભ કષાય ઉપજાવીને ધર્મકાર્યોમાં લગાવીએ છીએ. એ જ પ્રમાણે શરીરાદિકને અશુચિરૂપ બતાવી જુગુપ્સા કષાય ઉપજાવીએ છીએ અને પુત્રાદિકને ધનાદિનાં ગ્રાહક બતાવી દ્વેષ કરાવીએ છીએ; પૂજા, દાન, નામસ્મરણાદિનાં ફળ જે પુત્ર-ધનાદિની પ્રાપ્તિ તેનો લોભ બતાવી ધર્મકાર્યોમાં લગાડીએ છીએ. આ પ્રકારનું ચરણાનુયોગમાં વ્યાખ્યાન હોય છે. તેથી તેનું પ્રયોજન જાણીને યથાર્થ શ્રદ્ધાન કરવું . દીવાન રતનચંદઃ- એ જ પ્રમાણે દ્રવ્યાનુયોગની પણ પોતાની વિશેષ પદ્ધતિ હોવી જોઈએ ? પં. ટોડરમલઃ- કેમ નહી? દ્રવ્યાનુયોગમાં જીવોને જીવાદિ તત્વોનું યથાર્થ શ્રદ્ધાન જે પ્રકારે થાય તે રીતે વિશેષ યુક્તિ, હેતુ, દષ્ટાંતાદિક વડે નિરૂપણ કરવામાં આવે છે, કેમ કે અહીં યથાર્થ શ્રદ્ધાન કરાવવાનું પ્રયોજન છે. જેમ સ્વપર ભેદવજ્ઞાન થાય તેમ જીવ-અજીવનું; અને જેમ વીતરાગભાવ થાય તેમ આસ્ત્રવાદિકનું સ્વરૂપ દર્શાવીએ છીએ. વળી આત્માનુભવનો મહિમા ગાઈએ છીએ તથા વ્યવહાર ધર્મનો નિષેધ કરીએ છીએ. જે જીવ આત્માનુભવના ઉપાયને તો કરતો નથી અને માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં જ મગ્ન છે તેને ત્યાંથી ઉદાસ કરીને આત્માનુભવાદિમાં લગાડવા અર્થે વ્રત-શીલ-સંયમાદિનું પણ અહીં હીનપણું પ્રગટ કરીએ છીએ. શુભોપયોગનો નિષેધ અશુભોપયોગમાં લગાડવા માટે કરતા નથી, પરંતુ શુદ્ધોપયોગમાં લગાડવા માટે કરીએ છીએ. ૧૬ Please inform us of any errors on [email protected]
SR No.008319
Book TitleTattvagyan Pathmala 2
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1977
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy