SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દીવાન રતનચંદઃ- જી હા; આ પણ માલુમ છે. ૫. ટોડરમલ- ઠીક તો બતાવો કે મનુષ્ય-તિર્યંચ કોણ છે? દીવાન રતનચંદ- જીવ. પં. ટોડરમલ- જીવ! દીવાન રતનચંદ - જિનવાણીમાં પણ તેમને જીવ જ દર્શાવેલા છે. પં. ટોડરમલ - હું ભાઈ, જિનવાણીમાં વ્યવહારથી નર-નારકાદિ પર્યાયને જીવ કહ્યો, ત્યાં પર્યાયને જ જીવ ન માની લેવો. (કારણ કે, તે પર્યાય તો જીવપુગલના સંયોગરૂપ છે, ત્યાં નિશ્ચયથી જીવ દ્રવ્ય ભિન્ન છે તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિકને પણ ઉપચારથી જીવ કહ્યો, પણ એ કથન માત્ર જ છે; પરમાર્થથી શરીરાદિક કાંઈ જીવ નથી. એ જ પ્રમાણે અભેદ આત્મામાં જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા, ત્યાં તેને ભેદરૂપ જ ન માની લેવો, કેમ કે ભેદ તો સમજાવવા માટે કર્યા છે. (પણ) નિશ્ચયથી આત્મા અભેદ જ છે, તેને જ જીવ-વસ્તુ માનવી. ત્યાં જે સંજ્ઞા-સંખ્યાદિથી ભેદ કહ્યા છે તે કથન માત્ર જ છે, પરમાર્થથી તે જુદા-જુદા નથી. - દીવાન રતનચંદ- તો આ જ પ્રમાણે વ્રત-શીલ-સંયમાદિને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો હોવો જોઈએ? પં. ટોડરમલ - પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિને મોક્ષમાર્ગ કહ્યો, ત્યાં તેને જ મોક્ષમાર્ગ ન માની લેવો, કારણ કે જો પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કર્તા-હર્તા થઈ જાય. પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે જ નહીં. આત્મા તો પોતાના રાગાદિક ભાવોને છોડી વીતરાગી થાય છે; તેથી નિશ્ચયથી વીતરાગ ભાવ જ મોક્ષમાર્ગ છે. એટલા માટે તો કહ્યું હતું કે જ્યાં સુધી આપણે એ ન ઓળખીએ કે જિનવાણીમાં જે કથન છે તેમાં કયું સત્યાર્થ છે અને કયું સમજાવવાના હેતુથી વ્યવહારથી કહેલું છે ત્યાં સુધી આપણે તે સર્વ કથનને એક સરખું સત્યાર્થ માનીને ભ્રમરૂપ પ્રવર્તીએ છીએ. ૧. પર ( નિમિત્ત) તરફનું લક્ષ છોડાવવા માટે. ૧૨ Please inform us of any errors on [email protected]
SR No.008319
Book TitleTattvagyan Pathmala 2
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1977
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy