SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ નથી. સમ્યકત્વી અને ચારિત્રવત જીવોમાં પણ ક્ષાયિક સમ્યકત્વી અને ક્ષાયિક ચારિત્રવાન જીવો તથા અરહંતોમાં જ હોય છે. ઔપશમિક ભાવ તો માત્ર ઔપથમિક સમ્યકત્વી અને પથમિક ચારિત્રવંતોને જ હોય છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે - ૧. સૌથી ઓછી સંખ્યા ઓપશમિક ભાવવાળાઓની છે, કેમ કે ઔપથમિક સમ્યકત્વી અને ઔપશમિક ચારિત્રવંત જીવોનો જ એમાં સમાવેશ થાય છે. ૨. ઔપથમિક ભાવવાળાઓ કરતાં અધિક સંખ્યા ક્ષાયિક ભાવવાળા જીવોની છે. એમાં ક્ષાયિક સમકિતી, ક્ષાયિક ચારિત્રવંત જીવોનો તથા અરહંત અને સિદ્ધોનો સમાવેશ થાય છે. ૩. ક્ષાયિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા ક્ષાયોપથમિક ભાવવાળા જીવોની છે. એમાં એકથી શરૂ કરી બારમાં ગુણસ્થાનવાળા જીવોનો સમાવેશ થાય છે. ૪. ક્ષાયોપથમિક ભાવવાળાઓથી પણ અધિક સંખ્યા ઔદયિક ભાવવાળા જીવોની છે. એમાં એકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવોનો સમાવેશ થાય છે. ૫. સૌથી અધિક સંખ્યા પારિણામિક ભાવવાળા જીવોની છે. એમાં નિગોદથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જીવોનો સમાવેશ થાય છે. આ કમને અધિક ધ્યાનમાં રાખીને સૂત્રમાં ઔપશમાદિક ભાવોનો ક્રમ રાખવામાં આવેલો છે. નિષ્કર્ષરૂપે આપણે એમ કહી શકીએ કે૧. પારિણામિક ભાવ વિના કોઈ જીવ હોતો નથી. ૨. ઔદયિક ભાવ વિના કોઈ સંસારી નથી. ૩. ક્ષાયોપથમિક ભાવ વિના કોઈ કમી નથી. ૪. ક્ષાયિક ભાવ વિના ક્ષાયિક સમકિતી, ક્ષાયિક ચારિત્રવંત અને અરહંત તથા સિદ્ધ નથી. પર Please inform us of any errors on [email protected]
SR No.008317
Book TitleTattvagyan Pathmala 1
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy