SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [૧૨૯ નિત્યરૂપ વા અનેકરૂપ-અનિત્યરૂપ જ હોય તો તેમાં ઘટ આદિ કાર્ય બને નહિ. એ જ પ્રમાણે સર્વ વસ્તુ જાણવી. હવે સર્વથા એકાન્તરૂપ વસ્તુ કાર્યકારી નથી એમ કહે છે:एयंतं पुणु दव्वं कज्जुं ण करेदि लेसमेत्तं पि । जं पुणु ण करदि कजं तं वुच्चदि केरिसं दव्वं ।। २२६ ।। एकान्तं पुनः द्रव्यं कार्यं न करोति लेशमात्रं अपि । तत् पुनः न करोति कार्यं तत् उच्यते कीदृशं द्रव्यम्।। २२६ ।। અર્થ:- વળી એકાન્તસ્વરૂપ દ્રવ્ય છે તે લેશમાત્ર પણ કાર્ય કરતું નથી તથા જે કાર્ય જ ન કરે તે દ્રવ્ય જ કેવું? તે તો શૂન્યરૂપ જેવું છે. ભાવાર્થ:- જે અર્થક્રિયારૂપ હોય તેને જ ૫રમાર્થરૂપ વસ્તુ કહી છે પણ જે અર્થક્રિયારૂપ નથી તે તો આકાશના ફૂલની માફક શૂન્યરૂપ છે. હવે સર્વથા નિત્ય-એકાન્તમાં અર્થક્રિયાકારીપણાનો અભાવ દર્શાવે છેઃ परिणामेण विहीणं णिचं दव्वं विणस्सदे णेव । णो उप्पज्जदि य सया एवं कजं कहं कुणदि ।। २२७ ।। परिणामेन विहीनं नित्यं द्रव्यं विनश्यति नैव । न उत्पद्यते च सदा एवं कार्यं कथं कुरुते ।। २२७ ।। અર્થ:- પરિણામ રહિત જે નિત્ય દ્રવ્ય છે તે કદી વિણશેઊપજે નહિ, તો તે કાર્ય શી રીતે કરે? એ પ્રમાણે જે કાર્ય ન કરે તે વસ્તુ જ નથી. જો તે ઊપજે- વિણશે તો સર્વથા નિત્યપણું ઠરતું નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy