SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬ પરિશિષ્ટ – ૪ યને હ્ય તરીકે જાણે છે અને પછી ઉપાદેયને ઉપાદેય તરીકે ફરીને જાણવા જાય છે ત્યાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. એ જ્ઞયમાં જ બે અંશ છે ને ? જ્ઞયમાં જ હેય ઉપાદેય છે. શેય તત્ત્વમાં બે અંશ છે. ઉત્પાદ-વ્યયધ્રુવયુક્ત સત્ તે જ્ઞય છે. અને તેમાં જ હેય ને ઉપાય છે. ઉત્પાદ-વ્યય તે ય છે અને ધ્રુવ પરમાત્મા તે ઉપાદેય છે. અંદરમાં બધું ઉત્પાદ-વ્યયધવયુક્તસમાં આવી જાય છે. એની બહાર તો કાંઈ છે નહીં. પ્રમાણની બહાર તો કયારેય જવાનું જ નહીં. બહારમાં તમારું ક્ષેત્ર જ નથી. પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. તે હવે કયાંથી અટકે. તેને ખબર પડી ગઈ કે-હેય ઉપાદેય અંદરમાં જ છે. એટલે પછી તે ઉપાદેય તત્ત્વ કાઢી જ લ્ય છે. જે કોઈ વિભાવગુણ પર્યાયો છે તેઓ પૂર્વે વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. વ્યવહારનયથી જોવામાં આવે તો એ વિભાવગુણ પર્યાયો જાણવા લાયક છે. પરંતુ હવે જાણવા લાયક નથી. જાણવાની અપેક્ષાએ ઉપાદેય કહ્યાં હતાં પરંતુ તે જાણવા લાયક ચીજ છે. “પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે તેઓ હેય છે.” આહા.. હા ! તેઓ અદ્ધરથી હય નથી કહેતા. જ્યાં એ ઉપયોગ અંદરમાં ગયો અને જ્ઞાયકની સાથે તન્મય થઈ ગયો ત્યાં પર્યાયનું લક્ષ છૂટી ગયું એટલે તેને જાણવાનું બંધ થઈ ગયું-આ એનું નામ હેય કર્યું કહેવાય. હવે પ્રશ્ન કરે છે કે-તે શા કારણે હેય છે? જે પ્રમાણનો એક અંશ છે તેને શું કામ હેય કહો છો? જે આત્માનો જ એક અંશ છે અને આત્માની જ જાત છે. પ્રમાણથી જુઓ તો એક અંશ સામાન્યપણે રહેલો છે તે આત્મા છે અને વિશેષ છે તે પણ આત્મા છે. હવે તેને હેય શા માટે કહ્યું તેનું કારણ આપે છે. “કારણ કે તેઓ પરસ્વભાવો છે.” આ પારિણામિકભાવ એમાં નથી. એમાં પરિણામિકભાવનો અભાવ છે. એટલે કે-જીવતત્ત્વના લક્ષણનો તેમાં અભાવ છે. એ ભાવોમાં જીવનું લક્ષણ નથી.. માટે પરસ્વભાવો છે, માટે તેઓ પરદ્રવ્ય કહેવામાં આવે છે. તેને પરદ્રવ્ય કેમ કહો છો? તેનું કારણ આપ્યું–તેઓ પરભાવ છે માટે અમે તેને પદ્રવ્ય કહીએ છીએ. જે સ્વભાવ હોય તેને સ્વદ્રવ્ય કહેવાય અને જે પરભાવ હોય તેને પરદ્રવ્ય કહેવાય. પર સ્વભાવો છે તેથી જ પરદ્રવ્ય છે. જેમાં પરભાવપણું છે તેમાં પદ્રવ્યપણું હોય જ. પરભાવ એકલો પરદ્રવ્ય વિનાનો ન હોય. પરભાવ અને પારદ્રવ્ય એક ચીજ છે. પરસ્વભાવો છે એટલેકે પરભાવ છે માટે તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ. “સર્વ વિભાગુણ પર્યાયોથી રહિત”, જુઓ, પાછું રહિત આવ્યું ! સર્વ વિભાવગુણ પર્યાયો એટલે વિશેષગુણની પર્યાયો તેનાથી રહિત છે. આટલી વાત નાસ્તિથી કરી. હેય તત્ત્વનું જ્ઞાન હેય તત્ત્વનું લક્ષ છોડાવવા માટે કરાવ્યું. હવે ઉપાદેય તત્ત્વનું જ્ઞાન ઉપાદેયનું લક્ષ કરવા માટે કરાવવું છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy