________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૩૧
(-ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ ) છે એવા મોક્ષાર્થીઓ [ ત્રયમ્ સિદ્ધાન્ત: ] આ સિદ્ધાંતને [સેવ્યતામ્] સેવન કરો કે- ‘[ અહમ્ શુદ્ધ વિન્નયમ્ !મ્ પરમં જ્યોતિ: વ સવા વ અસ્મિ] હું તો શુદ્ધ ચૈતન્યમય એક ૫૨મ જ્યોતિ જ સદાય છું; [તુ] અને [ત્તે યે પૃથ લક્ષળા: વિવિધા: માવા: સમુન્નસન્તિ તે અહં ન અસ્મિ] આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, [ યત: અત્ર તે સમગ્રા: અપિ મમ પદ્રવ્યમ્] કા૨ણ કે તે બધાય મને ૫૨દ્રવ્ય છે ’. ૧૮૫. શ્લોક - ૧૮૫ : ઉપ૨ પ્રવચન
કુંદકુંદભગવાન ૨૦૦૦ વર્ષ પહેલાં મૂળ ગાથામાં લખે છે કે– ઉ૫૨ જે ભાવો કહ્યાં, પર્યાયના જે ભેદો કહ્યાં તે બધા પરસ્વભાવો છે, અને તેથી તે ૫૨દ્રવ્યો છે, અને તેથી તે હેય છે. હવે ટીકાકારે મૂળમાં હતું તેમાંથી તેજ પ્રમાણે કાઢયું. શુદ્ધનિશ્ચિયનયનાબળે તેઓ હૈય છે. હવે ય છે તે શા કારણે કહ્યું ? તેઓ પ૨સ્વભાવો છે તે આત્માનો સ્વસ્વભાવ નથી. હવે પ૨ સ્વભાવ છે તેથી પદ્રવ્ય છે. તેમ કુંદકુંદભગવાનમાં આવ્યું અને ટીકાકારે પણ કહ્યું.
તે જ પ્રમાણે ટીકાકાર હવે આચાર્ય અમૃતચંદ્ર મહારાજનો એક આધાર આપે છે. સમયસારની ટીકા કરનાર અમૃતચંદ્રાચાર્યનો આધાર આપે છે કે-જે કુંદકુંદભગવાને કહ્યું અને તેની ટીકામાં અમે જે કહ્યું તે જ પ્રકારે અમારી પૂર્વે આચાર્ય થઈ ગયા તેનો આધાર આપીને પોતે પોતાની ભાવના ભાવે છે. એ ભાવના ભાવતાં શાસ્ત્ર લખાય જાય છે. અને હું મોક્ષાર્થી જીવો તમે પણ આવા શુદ્ધાત્માની નિરંતર ભાવના ભાવો તેમ આદેશ આપે છે, તેનો શ્લોક નીચે છે.
‘ જેમના ’ જેમના એટલે જે મોક્ષાર્થી જીવ છે તેના ચિત્તનું એટલે જ્ઞાનનું ચરિત્ર એટલે જ્ઞાનનું પરિણમન, ઉદાત્ત એટલે ઉદાર, ઉચ્ચ અને ઉજ્જવળ છે. એટલે નિર્મળ છે. એવા મોક્ષાર્થીઓ, મોક્ષાર્થી જીવોના બે અર્થ થાય.
નિશ્ચયથી સમ્યગ્દષ્ટિને મોક્ષાર્થી કહેવામાં આવે છે. જે જીવ સમ્યક્સન્મુખ થયા હોય જે જીવ તેને પણ નૈગમનયથી મોક્ષાર્થી કહેવામાં આવે છે. શ્રીમદ્ભુ એ તો ત્યાં સુધી કહ્યું છે કે તું પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં આવી ગયો છે, તે જાણીને હું તને સમકિતી કહી દઉ છું. તેમણે ત્યાં સુધી કહ્યું કે- પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં તું આવ્યો છો, એટલે કે એ જે કહે છે તે વાતને તું ગ્રહણ કરી રહ્યો છો. યોગમાં એટલે તેના ક્ષેત્રમાં તેમ નહીં. તેની વાતનો તને અંદ૨માંથી હકાર આવે છે. તને અંદરમાં જ્ઞાનની સ્ફૂરણા પણ થઈ ગઈ છે. ઓ હો હો ! મારું આવું સ્વરૂપ છે. તેમ તને સ્વરૂપનો મહિમા આવે છે, જ્ઞાનીના યોગમાં તેથી તને કહી દઉં છું કે તું સમકિતી છો જા ! એમ મોક્ષાર્થીના બે અર્થ કર્યા.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk