SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંતઃતત્ત્વ ૨૧૯ એ વાતનો પંચાસ્તિકાયની ૧૭ર નંબરની ગાથામાં આવો એક શબ્દ છે. સમ્યગ્દષ્ટિ માટેની વાત છે, મિથ્યાષ્ટિની વાત નથી. સમ્યગ્દષ્ટિને પણ અનાદિકાળની ભેદવાસિત બુદ્ધિ હોવાથી અને ઘણાં શાસ્ત્રો ભણેલો હોવાથી અને ધારણામાં પણ ભેદને સંઘરવાનો ઘણો કચરો રાખ્યો હોવાથી તેનો ઉપયોગ ફટ ભેદમાં ચાલ્યો જાય છે. આહા ! ભેદ તે પદ્રવ્ય છે, ભેદ સ્વદ્રવ્ય નથી. આહા ! જીવનો ભેદ અજીવ છે. આ વાત નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામની છે હોં ! આ પાંચ મહાવ્રતના પરિણામ તો પુદ્ગલનો ભેદ છે, તે જીવનો વ્યવહારેય નથી. વ્યવહારનયે પણ તે ભેદ જીવનો નથી. વ્યવહારનયથી ભેદ વિચારવામાં આવે તો તે પુદ્ગલનો ભેદ છે. કેમકે અભેદ આત્માના ભેદની સાથે તે ભેદ મળતો નથી. તે ભેદ ચૈતન્યની જાતનો નથી. એ ભેદ જે રાગ છે તે અચેતન-જડની જાતનો છે. આહા હા ! આ શુદ્ધભાવ અધિકાર છે ને! તેથી શુદ્ધની ભાવના ભાવતાંભાવતાં જીવ શુદ્ધ થઈ જાય છે. હોં! મારે શુદ્ધ થવું છે તેવી ભાવના છે નહીં. શુદ્ધ પરિણામને મારે કરવો છે તે તો અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. પરંતુ મારે શુદ્ધ થવું છે તેમ પણ હું ભાવતો નથી. હું શુદ્ધ છું, હું શુદ્ધ છું તેવી ભાવનામાં ને ભાવનામાં પર્યાય શુદ્ધ થઈ જાય છે.. ત્યારે આત્મા શુદ્ધ થયો તેમ ઉપચારથી કહેવામાં આવે છે. આત્મા તો પ્રથમથી જ શુદ્ધ છે. તેને શુદ્ધ ક્યાં થવું છે? આ વાત કાલે લેશું રાત્રીના હોં! તેઓ હેય છે તો શા કારણથી હેય છે? શ્રદ્ધામાંથી તો હેય છે પરંતુ હવે જાણેલો પ્રયોજનવાન તેને કાઢી નાખ !જાણેલો પ્રયોજનવાન છે તે ક્યારે છે? કોને છે ? અને કયા કાળે છે? સમકિતીને પણ તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. તે ભેદો તે તે કાળે ઉપાદેય તો નથી પરંતુ ભેદો છે તેનું જ્ઞાન થઈ જાય છે. આહા.. હા ! જ્યારે તેનું જ્ઞાન થાય છે ત્યારે ઉપયોગમાંથી અભેદ છૂટી જાય છે. એટલે તે ભેદને જાણવા પણ રોકાવા જેવું નથી. ભેદને ઉપાદેય તો કરીશમાં નહીંતરતો શ્રદ્ધા છૂટી જશે. અને ભેદને ઉપયોગમાં લઈશ તો અપવાદરૂપ ચારિત્ર આવી જશે, ઉત્કૃષ્ટ ચારિત્ર નહીં આવે તો તને દોષ લાગશે. તને છઠું ગુણસ્થાન આવશે. અથવા અતીન્દ્રિયજ્ઞાનનો જે ઉભરો સાતમે આવતો હતો ને તે છેકે આવતા આનંદમાં ઓટ આવી જશે. સાતમે સંજવલનનો અનુદય હતો તે છટ્ટે આવતાં સંજવલનનો ઉદય થશે. આહા ! આવી અપૂર્વ અપૂર્વ વાતો છે. ભગવાન આત્માની તો શું વાત કરવી ? પણ તેના પરિણામની શું વાત કરીએ ? અભૂત હોય છે. શ્રોતા- વચનામૃતમાં આવે છે કે-પરને જાણતાં જ્ઞાન દબાઈ જાય છે. ઉત્તર:- લ્યો ! આ પ્રાણભાઈએ ભગવતીમાતાનો આધાર આપ્યો. પરને જાણતાં જ્ઞાન દબાય જાય છે. ક્યું પર? દેવ-શાસ્ત્ર-ગુરુ પર નહીં આહા? આ ચારભાવો છે તેને આ ગાથામાં પરદ્રવ્ય કહે છે. સમ્યગ્દર્શનના પરિણામ પરદ્રવ્ય છે. સમ્યગ્દર્શનના ભેદને Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy