SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૨૧૩ હતો. પાયો નાખે ત્યાર પછી ઉપર દશ, વીશ, પચીશ, ત્રીશ, મજલા-માળા ચણી શકાય.., કયારે ? કે-પાયો એકદમ ઉંડો હોય તો ! તેમ ૩૮ ગાથામાં શુદ્ધભાવ અધિકારનો પાયો નાખ્યો હતો, હવે તેના ઉ૫૨ આ કલગી ચડાવે છે.. એ છે ૫૦ નંબરની ગાથા સાંભળ ભાઈ ! ચણતર ચણીને મહેલ તૈયાર થઈ ગયો. 99 t " ટીકાઃ- “ આ, હૈય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે. ” હૈય એટલે ત્યાગ અને ઉપાદેય એટલે ગ્રહણ... તેનાં સ્વરૂપનું કથન છે. જે ૩૮ ગાથામાં કહ્યું હતું એ જ વાત હવે ૫૦મી ગાથામાં ફરીને કહે છે. ઘણાં દિવસ થઈ ગયા એટલે તાજું કરી લઈએ. જુઓ ! ૩૮ ગાથાનું મથાળું વાંચો. “ આ હૈય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે. આ ’ એટલે આ ગાથામાં હૈય શું છે અને ઉપાદેય તત્ત્વ શું છે તેના સ્વરૂપનું કથન છે. એજ વાત હવે ૫૦મી ગાથામાં ફરીને કહે છે. આમાં પુનરુક્તિ દોષ લાગતો નથી. કેમકે આ ભાવનાનું શાસ્ત્ર છે. આહા... હા ! આ ભેદ મારામાં નથી, આ ભેદ મારામાં નથી, આ ભેદ મારામાં નથી, આ ભેદ મારામાં નથી, હું તો અભેદ છું. આહા... હા ! એ ભાવનાના શાસ્ત્રોમાં અભેદને ઘૂંટે છે, તે ભેદને ઘૂંટતો નથી. “ આ હૈય ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવગુણ પર્યાયો છે તેઓ પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા ”, જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તે, આ પર્યાયો છે ખરાં હોં ! તે સસલાના શીંગડા જેવું નથી. ‘ છે ’ શબ્દ આવ્યો ને ? જે કોઈ વિભાવગુણ પર્યાયો છે એટલે વિશેષ ગુણો અને પર્યાયો અથવા શુદ્ધ પર્યાયને ગુણ કહેવાય.. અને વ્યજંન પર્યાય ને પર્યાય કહેવાય છે. આ જે વિભાવ પર્યાયો છે તેઓ પૂર્વે ૪૯મી ગાથામાં વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. તે ગાથામાં ‘ ઉપાદેય ’ શબ્દ કહ્યો હતો ને ? આા ! જે કોઈ વિભાવગુણ પર્યાયો છે તેઓ પૂર્વે ૪૯મી ગાથામાં વ્યવહારનયના કથન દ્વારા એટલે ભેદની પ્રધાનતાથી, જે જ્ઞાન ભેદને જોવે તે જ્ઞાનના અંશે વ્યવહારનય કહેવામાં આવે છે. એ કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા એટલે ગ્રહણ કરવા યોગ્ય છે એટલે જાણવા યોગ્ય છે એમ કહેવામાં આવ્યા હતા. પરંતુ હવે કહે છે કે–તેને જાણવામાં રોકાઈશમાં હોં ! આ બહુ ઊંચા પ્રકારની વાત છે. આહા ! ૪૯ ગાથામાં વ્યવહારનય ઉપાદેય છે એટલે કે ગ્રહણ કરવા યોગ્ય છે એટલે કે જાણવા યોગ્ય છે તે વાત કરી હતી. પરંતુ સામાન્ય દ્રવ્યની સાથે સાથે ૫૨દ્રવ્યના સ્વદ્રવ્યાશ્રિત પરિણામનું જ્ઞાન પણ હોય છે એટલે કે પ્રમાણજ્ઞાન હોય છે. હવે આ ગાથામાં કહે છે કે-એ પર્યાયને જાણવામાં જો તારા જ્ઞાનને રોકીશ તો વ્યવહારનય ઉભો થશે. શુદ્ધ પર્યાયને જાણવામાં અથવા ગુણ-ગુણીના ભેદને જાણવામાં તારી બુદ્ધિ જશે. Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy