SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૨૦૭ પાસે સમજવું તે બન્ને પાગલ છે. ઉન્મત્ત છે.. એટલે કે ગાંડપણ છે. ગુરુદેવ પણ આધાર આપીને આ વાત કરે છે. એકવાર બાપુજીએ ચર્ચામાં આ શબ્દ કહ્યો અને તે શબ્દ ફરતો ફરતો સોનગઢ ગયો. પછી એક જણ સોનગઢ ગયા હતા તેનો મને ટેલિફોન આવ્યો, તે ભાઈ પણ અહીં બેઠા છે. બાપુજી આમ બોલ્યા હતા તેના વિષે ગુરુદેવને બહુ વિકલ્પ ઉઠે છે. મેં કીધું હું સોનગઢ જઈશ ત્યારે સમાધાન કરીશ. હું ગયો મને પૂછયું, મેં કહ્યું-ગુરુદેવ નિશ્ચયથી તો વાત એમ જ છે ને !? ગુરુદેવ કહે—હા, બરોબર છે. બીજાને સમજાવવું તે પાગલપણું છે.. એમ શાસ્ત્રમાં લખ્યું છે. પછી ગુરુદેવ અમારે ત્યાં સવારના પધાર્યા હતા. બાબુભાઈને ત્યાં દૂધ લેવા પધાર્યા હતા. પછી બાપુજીને કહે તમે કહ્યું હતું ને જે પાગલપણું ઉન્મત્તપણું તે બરોબર છે. તે પૂજ્યપાદ આચાર્ય ભગવાને કહ્યું છે-બીજાને સમજાવવું તે પાગલપણું છે. સાધકને એવો સ્વકાળ હો તો હો ! પરંતુ એમાં પણ બીજાને સમજાવવા માટે બહુ રોકાવા જેવું નથી. એના સ્વકાળમાં સમજાવવાના પરિણામ હો તો હો! આવે તો આવો ! પરંતુ મને બીજાને સમજાવવાનો કાળ રહ્યા કરે અને બીજા મારી પાસે સમજવા આવ્યા કરે એ ભાવના તું ભાવીશ નહીં. ભાવ આવે તો ભલે આવે ! પરંતુ તેની ભાવના રાખીશ નહીં. શું કહ્યું ? આ એ વાત કરે છે. જે જીવો ચૈતન્ય ચમત્કારમાત્ર અભેદ, સામાન્ય, ટંકોત્કીર્ણ શુદ્ધભાવ એટલે શુદ્ધ આત્મતત્ત્વને અંતરંગમાં અનુભવે છે, ભેદથી રહિત એવા એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી પણ રહિત તેવા અભેદ આત્માને અનુભવે છે, તેને આ ભેદો દેખાતા નથી. રાગતો કયાંય ગયો પરંતુ શુદ્ધ પર્યાયનો ભેદ પણ પરદ્રવ્યમાં ગયો. હવે જે ગુણનો ભેદ છે તે તો સ્વદ્રવ્યનો અને તેની જાતનો છે અને પારિણામિક ભાવનો છે. અભેદનો ભેદ તે પણ સદ્ભુત વ્યવહાર છે. તેનું પણ અવલંબન કરવા યોગ્ય નથી. , ૫૨થી રહિત તેવા પરમ પદાર્થને અંતરંગમાં જ્યારે દેખે છે એટલે અનુભવે છે તેને ચૈતન્ય ચમત્કારમાત્ર દેખાય છે. ‘ ચૈતન્ય ચમત્કાર માત્ર ' શબ્દ કહ્યો હોં ! તેને અંતરંગમાં અંતર્મુખ થઈને દેખે છે –અનુભવે છે એવા નિર્વિકલ્પ ધ્યાનમાં જામેલા આત્માઓને તે વ્યવહારનય કાંઈ નથી. આહા.. હા ! નિશ્ચયનય વ્યવહારનયનો કોળિયો કરી જાય છે. નિશ્ચયનય વ્યવહારનયનો પ્રલય કરી નાખે છે. નયચક્રમાં પ્રલય કરે છે તેવો શબ્દ છે. વ્યવહારનયનો નાશ કરવા માટે નિશ્ચયનય જન્મે છે. નિશ્ચયનયનો જન્મ શેના માટે છે ? વ્યવહારનયને રાખવા માટે હશે ? તો તો તેને શુકલધ્યાનની શ્રેણી આવે જ નહીં... અને કોઈ દિવસ યથાખ્યાત ચારિત્ર થઈને કેવળજ્ઞાન પ્રગટે જ નહીં. આહા... હા ! આ ઠેઠ સુધીની વાત અત્યારથી સમજી લેવા જેવી છે. આહા ! ભવિષ્યમાં શુકલ ધ્યાન આવશે... ધ્યાન રાખજે ! કોઈ ભેદમાં અટકીશ નહીં. Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy