SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૫૯ થાય છે, તો થાવ ! હું તો છું, છું ને છું. ઝુંપણું દૃષ્ટિમાંથી છૂટતું નથી. જ્યારે પર્યાયમાં કાર્ય પરમાત્મા થાય ત્યારે પણ હું પરમાત્મા છું તે શ્રદ્ધા છૂટી શકતી નથી. ચોથે ગુણસ્થાને જે શ્રદ્ધા પ્રગટ થઈ તે એવીને એવી સાદિ અનંતકાળ સુધી રહે છે. “હું અય્યત છું” તેમ પાઠમાં છે ને ! અનાકુળ છું પછી અય્યત છું. નીચે ફૂટનોટમાં છે-અય્યત = અખ્ખલિત, નિજ સ્વરૂપથી નહીં ખસેલું, મારા સ્વભાવથી અખ્ખલિત થતો નથી. હું મારા સ્વભાવથી પડતો નથી. આહા ! મારો જે નિજ સ્વભાવભાવ છે એવો ચૈતન્ય સામાન્ય તે હું છું. ચૈતન્ય વિશેષ તે હું નથી. જે ચૈતન્ય સામાન્ય છે તે ધ્રુવપદ છે અને જે ચૈતન્ય વિશેષ છે તે અધ્રુવપદ છે –તે મારું પદ નથી. ચૈતન્ય વિશેષ તે મારું પદ નથી હોં ! પેલા રાગાદિ તો પુદગલનું વિશેષ છે. એની તો અહીંયા વાત જ નથી. એ તો જીવનું વિશેષ પણ નથી. કેમકે તે અણમળતા ભાવ છે. તે ચૈતન્ય સાથે મળતો ભાવ નથી. આહા ! ઊંચો અધિકાર હોયને ત્યારે ઊંચી વાત ચાલે. ઊંચી વાત જો એક વખત પણ કાને પડશે અને જો તે અંદર ઘર કરી ગઈ તો કામ થઈ જશે. અમારે આ ટ્રસ્ટી કહેતા હતા કે-આ અધિકાર પંદર દિવસ ચાલશે એટલે ખોરાક પૂરતો મળી જશે. વાત તો એમ જ છે. આચાર્ય ભગવાને પોતાની નિજ ભાવના ભાવતાં-ભાવતાં આ શાસ્ત્ર લખ્યું છે. ફૂટનોટમાં જે લખેલું છે તેનો અર્થ કર્યો. જે અસ્મલિત એટલે નિજ સ્વરૂપથી નહીં ખસેલું અય્યત આત્મા પોતાના ચૈતન્ય સામાન્ય પરમપરિણામિક સ્વભાવથી કદી પણ ખસતો નથી એટલે કે તે ટ્યુત થતો નથી. “તે જન્મ, મૃત્યુ રોગાદિ રહિત છે.” ત્રણે કાળ આત્મા જન્મતો નથી અને મરતો પણ નથી. પરમાત્મપ્રકાશમાં આચાર્ય ભગવાન ફરમાવે છે-“Mવે ૩૨gય ન મરડું ન વંધ મોવડુ ઝરેય તેમ જિનેન્દ્ર ભગવાન ફરમાવે છે કે-આત્મા જન્મ, જરા, મરણથી રહિત છે. તે જન્મતોય નથી અને મરોય નથી. જન્મ અને મરણથી રહિત છે એટલે આ જન્મ મરણ નહીં હોં ! આ દેહનું જન્મવું અને દેહનું મરવું તેની વાત નથી. આત્મા નવો ઉત્પન્ન થતો નથી. નવો ઉત્પન્ન નહીં થતો હોવાને કારણે તેનો નાશ પણ થતો નથી. આત્માના વિશેષણો જુદા છે અને જન્મ-મરણના પર્યાયના વિશેષણો જુદા છે. અને દેહના જન્મ-મરણના વિશેષણો જુદા છે. અહીં તો આત્મા ઉત્પન્ન થતો નથી અને આત્મા મરતો નથી. આત્મા નવો ઉત્પન્ન થાય નહીં માટે આત્માનું મરણ પણ થતું નથી.. એટલે આત્માનો નાશ થતો નથી એ બધાં ત્રિકાળી દ્રવ્યના વિશેષણો છે. તે પર્યાયના નહીં, અને દેહના પણ નહીં, અને આયુકર્મના પણ નહીં. આહાહા ! આ તો ઊંચામાં ઊંચો અધિકાર છે. પર્યાયષ્ટિ છૂટી જાય અને દ્રવ્યદૃષ્ટિ થઈ જાય તેવો અધિકાર છે. સહજ નિર્મળ સુખામૃતમય છે”, ભગવાન આત્મા સહજ નિર્મળ સુખામૃતમય Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy