________________
ગાથા ૪૬
૭૭
વ્યવહા૨નય જણાવે છે. સમજાણું કાંઈ ? વ્યવહારનય દર્શાવવો ન્યાયસંગત જ છે. જણાવવો જાણવો એ ન્યાયસંગત છે એમ કહે છે. જાણવા લાયક છે એ તો ન્યાય સંગત છે, આદ૨વા લાયક છે કે કેમ એ પ્રશ્ન અત્યારે અહીં નથી. આહાહાહા !
હવે આવી નિવૃત્તિ ક્યાં માણસને નવરાશ છે ? બિચારા ચડી જાય વ્યવહારમાં આ દયા, દાન, વ્રત, તપ ને ભક્તિ કરો, આવું કોણ સમજવા માગે ? ધર્મતીર્થની પ્રવૃત્તિ વ્યવહારથી થાય માટે વ્યવહા૨ કરો. ( શ્રોતાઃ- આવી પ્રવૃત્તિ ઘણી ચલાવી ?) અને ધર્મ તો સ્વને આશ્રયે થાય છે. એની પરિણતિનો ભેદ જણાવવો છે કે પરિણતિ આવી આવી છે, એ ન્યાયસંગત જણાવવું છે. બાબુભાઈ ! આહાહા ! આવું છે.
66
“પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો” એ પર્યાયના ભેદો છે એ નથી જ, ન જણાવવામાં આવે, દર્શાવવામાં આવે એમાં રાગ છે. એવો સંબંધ છે બંધ, એમ ન જણાવવામાં આવે, એ રાગ છે તેને છેદવાનો ઉપાય છે, એ પણ વ્યવહાર છે એમ ન જણાવવામાં આવે, ઉપાય કેમ પ્રગટે છે એ પ્રશ્ન અત્યારે ( અહીં ) નથી. એ તો નિશ્ચયને આશ્રયે જ છે. “પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો ૫૨માર્થે, ૫૨માર્થનયે, શી૨થી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી” ૫૨માર્થે તો જીવ ને શરીર ભિન્ન છે. નિશ્ચયમાં તો નિમિત્તનિમિત્ત સંબંધેય નથી એમ કહે છે. આત્મા નૈમિતિક શરીર નિમિત્ત, શરીર નૈમિત્તિક આત્માની પર્યાય નિમિત્ત, હોં, પર્યાય એ પરમાર્થમાં તો એ છે જ નહિ. આ જરી કઠણ છે તેથી ધીમેથી કહેવાય છે ને ? હૈં ? આ કાંઈ એકદમ, આજ વળી બધા આવ્યા છે તાકડે. આ સમજવા જેવું છે આ ગોદિકાજી.
આહાહાહા !
,,
૫૨માર્થે શ૨ી૨થી જીવ ભિન્ન દેખાડવામાં આવતો હોવાથી “જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે. તેમ ત્રસ સ્થાવર જીવોનું નિઃશંકપણે ” અહીં વજન ક્યાં છે, કે ત્રસ અને સ્થાવરના જીવોને ને શ૨ી૨ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, જો એ માનવામાં ન આવે, સમજાણું કાંઈ ? વ્યવહા૨ છે ને એટલો, “તો નિઃશંકપણે મર્દન કરવામાં આવતા” નિઃશંકપણે હું શ૨ી૨નો નાશ કરતો નથી. શરીર અને જીવ બેય ભેગા છે એનો હું નાશ કરું છું. આથી બીજાનો નાશ કરી શકે છે એ અહીં પ્રશ્ન નથી, અને બીજાને જીવાડી શકે છે એ અહીં પ્રશ્ન નથી. અહીંયા તો શરીર અને આત્મા તદ્ન જુદા છે, એને નિમિત્તનિમિત્ત સંબંધ પણ નથી. તો તો ત્રસ સ્થાવરને ચોળી નાખવાનો જે નિઃશંક ભાવ છે, નિઃશંકથી આને મારી નાખું એ ભાવ જૂઠો છે. એ ભાવ રહેતો નથી. આહાહાહા!
શરીર નિમિત્ત છે નૈમિત્તિક જીવની પર્યાય છે, અને જીવની પર્યાય નિમિત્ત છે અને શરીરની પર્યાય નૈમિત્તિક છે. એવો વ્યવહાર સંબંધ છે. જો એવો વ્યવહા૨ ન હોય તો, નિઃશંકપણે જેમ ત્રસ સ્થાવરને મારી નાખવામાં તોડી નાખવામાં કાંઈ નિઃશંકપણું એને કાંઈ છે જ નહીં, જીવ છે જ નહીં. જીવને ને શ૨ી૨ને કાંઈ સંબંધ છે જ નહીં. ( શ્રોતાઃ- જીવ મરે છે ક્યાં ?)મવાનો પ્રશ્ન ક્યાં છે. આ તો નિઃશંકપણે બેનો સંબંધ જ નથી કાંઈ, તો તો એને ચોળી નાખવામાં જીવને મારી નાખવું કાંઈ રહેતું નથી. આહાહા !
જ
આજ ગાથા જરી એવી છે આજ બધા આવ્યા છે. બધા વાત સાચી. આવી વાત બાપુ