SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આકુળતામય છે. દરેક અવસ્થામાં નથી માટે તે એના નથી પણ જે અવસ્થામાં છે ત્યાં પણ તે આકુળતામય છે. આવી વાત છે. તેમનો અનુભવ પણ એમ, એની અવસ્થામાં છે ત્યાં, નથી ત્યાં નથી માટે એ તો એનો સવાલ નથી, પણ હવે એની અવસ્થામાં જ્યાં છે ત્યાં પણ એમ, આકુળતામય દુઃખરૂપ છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? દરેક અવસ્થામાં નથી માટે તેના નથી એક વાત, અને તેની અવસ્થામાં જ્યારે એ જે જે અવસ્થામાં છે, ત્યાં પણ તે આકુળતામય દુઃખરૂપ છે. જુઓને ભિન્ન ભિન્ન. આહાહાહા ! ચૈતન્ય ભગવાન આત્મા એની દરેક અવસ્થામાં તો જ્ઞાન ને દર્શન આદિ હોય છે પણ રાગાદિ દરેક અવસ્થાઓમાં હોતા નથી. એક વાત. પણ બીજી વાત જ્યારે અવસ્થામાં ( રાગાદિ ) છે ત્યારે એમનો અનુભવ પણ, એ રાગનું વેદન આકુળતામય, આકુળતામય દુઃખરૂપ. ગજબ વાત છે. કઈ રીતે સિદ્ધ કરે છે? કે ભગવાન તો અણાકુળ આનંદ સ્વરૂપ છે ને? એની અવસ્થામાં થાય છે, છતાં તે તો દુઃખરૂપ છે ને ? એ શુભરાગ પણ દુઃખરૂપ છે. તેથી તેના આનંદ સ્વરૂપથી જુદી જાત છે, માટે તેનાથી ભિન્ન છે ભગવાન. સમજાય છે કાંઈ ? જુઓ જયચંદ પંડિત ! એ પણ આટલું સ્પષ્ટ, તદ્ન સાદી ભાષામાં એની ભિન્નતાનું ભાન કેમ થાય. એની અવસ્થામાં જ્યાં છે, દરેકમાં તો નથી, પણ જ્યાં છે, ત્યાં પણ એ રાગ છે, એ આકુળતામય દુઃખરૂપ છે. એ આકુળતામય દુઃખરૂપ( છે) માટે તેઓ ચૈતન્ય નથી. આકુળતા અને દુઃખરૂપ રાગ છે, માટે તેઓ ચેતન નથી. કેમ ? કે જડ છે એ. કેમ ? કે “ચૈતન્યનો અનુભવ તો નિરાકુળ છે”. ભગવાન આત્મ સ્વરૂપ જે છે, એ આનંદ સ્વરૂપ છે અને એનો અનુભવ પણ આનંદસ્વરૂપ છે. સમજાય છે કાંઈ ? એ આકુળતામય છે માટે તે જીવસ્વરૂપ નહીં, દરેક અવસ્થામાં વ્યાપતો નથી માટે તે જીવસ્વરૂપ નહીં, આવી સાદી ભાષામાં, ભગવાન અંદર ભિન્ન છે. વર્તમાન હોય ત્યારે પણ તે દુઃખનો અનુભવ છે. અને આત્મા ચૈતન્યનો અનુભવ, રાગનો અનુભવ હોય ત્યારે પણ દુઃખરૂપ છે અને ત્યારે ભગવાન ચૈતન્યનો અનુભવ તે નિરાકુળ છે. આહા ! આમ છે. ચૈતન્ય ભગવાન આનંદ સ્વરૂપ એની વર્તમાન દશામાં પણ આનંદનો અનુભવ છે એ એની દશા છે. સમજાય છે કાંઈ ? એની દશામાં રાગાદિ છે, એ તો દુઃખરૂપ છે, તેથી તે આકુળતા છે અને ભગવાન તે સમયે પણ ચૈતન્યનો અનુભવ તો અનાકુળ ને આનંદ છે. આહાહા ! ચૈતન્યસ્વરૂપ જે ભગવાન આત્મા એ આનંદસ્વરૂપ એનો અનુભવ તો અનાકુળ આનંદરૂપ અનુભવ છે, એની અવસ્થામાં હોવા છતાં એ દુઃખરૂપ છે અને આની અવસ્થા ભગવાનની અવસ્થા એ અનુભવ આનંદરૂપ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આવી વાતું, ધર્મને નામે લોકોએ કાંઈક કાંઈક કરાવી નાખ્યું છે. ચૈતન્ય આનંદ સ્વરૂપ પ્રભુ તો તેની અવસ્થામાં થતો રાગ દુઃખરૂપ અને ચૈતન્યનો અનુભવ સુખરૂપ, માટે તે જીવનો નથી. આહાહા ! તે જીવનો સ્વભાવ છે જોયું, ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, અનુભવ નિરાકુળ છે જ્ઞાનની પરિણતિની પ્રગટ દશા છે તેને અંત૨માં વાળતાં પર્યાયમાં અનાકુળતાનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, એમ કહે છે. અને તેથી ચૈતન્યનો અનુભવ આનંદ છે. અને રાગનો અનુભવ દુઃખ છે, તેથી તે જીવનો નથી. આવી વાતને અંત૨માં પહોંચે એ અંત૨માં ગતિ
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy