________________
ગાથા – ૬૮
૨૯૫ એ મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનો એ પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃત્તિના ઉદયપૂર્વક થતાં હોય, જોયું? એ પ્રકૃત્તિ સત્તારૂપ છે ત્યાં સુધીમાં અહીં ભેદ ન આવે. કહે છે ઉદયપૂર્વક, સમજાણું આમાં? ઉદય થયો ત્યાં ભેદ પડ્યો, એમાં જોડાણો છે ને? ઉદયપૂર્વક થતાં હોઈને, એ ચૌદ ગુણસ્થાન ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી કેમકે પ્રકૃત્તિ પોતે ઉદય અચેતન છે. કારણના જેવાં જ કાર્યો થાય છે” શું અમૃતચંદ્રાચાર્યની ટીકા! શું ભગવાન કુંદકુંદાચાર્યના શ્લોકો ! ઓહોહોહોહો ! એની ક્ષયોપશમની દશા.
એમ કરીને સમજીને નિશ્ચય કરીને શું કરીને શું કહ્યું કારણનાં જેવા જ કાર્યો છે. પુદ્ગલ કારણ છે એથી ગુણસ્થાન ભેદ તેનાં કાર્ય છે માટે તે અચેતન છે, કોની પેઠે? “જવપૂર્વક જવ થાય છે” જવ વાવે ને જવ થાય, ઘઉં વાવે ને જવ થાય? જવપૂર્વક જ જવ થાય છે. એકાક્ષરી શબ્દ લીધો, ઓલો ઘઉં છે એ એકાક્ષરી નથી ને? બાજરો, ઘઉં, દાળ, ચોખા એકાક્ષરી નથી. જવ એકાક્ષરી છે જવ. જવપૂર્વક, એ તો એનું કારણ બતાવ્યું, પણ વસ્તુ જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. જવપૂર્વક થાય તેના ફળ જવ હોય છે. જવપૂર્વક થાય એના ફળ ઘઉને બાજરો હોય છે? જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ ન્યાયે પુદ્ગલ જ છે. પુદ્ગલપૂર્વક થતાં હોવાથી પુગલ છે એમ. ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન. અરે રાગ, દયા, દાન, વતનો રાગ, પ્રભુ આ તો શું કહે છે ભાઈ, હવે એ રાગથી ધર્મ મનાવવો પ્રભુ, પ્રભુ શું કરે છે ભાઈ? ભગવંત તને આ ન શોભે, જે રાગ પુદ્ગલ પ્રકૃત્તિના કારણે થયેલો, માટે દયા, દાનના રાગને પણ પુદગલ કીધો. આહાહાહા !
કહો, શાંતિભાઈ ! આ તમારા ધૂળના પૈસાને તો પુદ્ગલ કીધા ઝવેરાતને, પણ અહીંયા તો કહે છે કે ગુણસ્થાનનાં ભેદ પર્યાયમાં પડે, પ્રભુ તો અભેદ ચૈતન્ય દ્રવ્ય છે ને? એ દ્રવ્યમાં આ ક્યાં છે? દ્રવ્ય તો ત્રિકાળી, જે ગમે તે ગુણસ્થાને ગમે તે ગતિમાં હો, દ્રવ્ય તો પૂર્ણાનંદનો નાથ ત્યાં બિરાજે છે આખો. એમાં ઘસારો કે, કાંઈ આવ્યું ને ઓલું નહીં, બે બોલ નહોતા આવ્યા? હીણો-હીણો હીણાપણું ને ઘસારો થાતો નથી. ઓલામાં આવ્યું'તું જુઓ “હાનિ ને ઘસારો નહીં પામતો એ ૬૩-૬૪ માં આવ્યું, ૬૩-૬૪. વસ્તુ છે, ગમે તે મિથ્યાત્વ આદિમાં હો, નર્ક નિગોદમાં હો, પણ વસ્તુ તો વસ્તુ છે, એમાં હણી ને ઘસારો કાંઈ નથી, એ તો અખંડાનંદ પ્રભુ છે. આહાહાહા !
પુગલ જ છે, જીવ નથી,” પુગલ જ છે. પ્રકૃત્તિ પુદગલ છે, તો એના કાર્ય તરીકે જે ભેદ છે એ પુદ્ગલ જ છે કહે છે. અરે આ લબ્ધિસ્થાન પણ કહે છે પુલના નિમિત્તથી અહીં ભેદ થઈ ગયોને? અહીં થોડું ઘટતું ગયું ને? એ ભેદ પુગલમાં નાખી દઉં છું. ગુણસ્થાનનો ભેદ એ તો ઠીક, પણ સંયમની પર્યાયમાં ભેદની પ્રાપ્તિ, શરીર જડ, ગુણસ્થાન જડ, રાગ જડ, પણ આ ભેદ પડ્યો છે ને એટલો, એ જડ. આવી વાત બહુ આકરું બાપા. આહાહાહા!
અને ગુણસ્થાનોનું તો સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે, જોયું. “મોહ જો ભવા” ઠીક, આગમથી સિદ્ધ થાય છે, ભગવાને આગમમાં એમ કહ્યું ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે. “તેમજ ચૈતન્યસ્વભાવથી વ્યાસ જે આત્મા” શું કીધું હવે ? એ ભેદ છે, વ્યાપ્ત છે એ પુદ્ગલનું વ્યાપ્ય છે. પુદ્ગલ વ્યાપક છે અને ભેદ તેનું વ્યાપ્ય છે,