SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૮ ૨૯૧ આંહી તો ભગવાન અંદર છે એ તો ગુણસ્થાનમાંય આવતો નથી એમ કહે છે. ભેદમાં આવતો નથી. તું પોતે પ્રભુ છો ને પ્રભુ, તારું દ્રવ્ય એ ભેદમાં આવતું નથી ને પ્રભુ એમ તને શું આ લાગે છે, આહિં! ઓહો! ગજબ વાત સંતોએ તો કેવળજ્ઞાનને ખડું કરી દીધું છે. જેને દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ કહે છે કે પ્રકૃત્તિના કારણે થયેલા માટે એ પ્રકૃત્તિનું કાર્ય છે, જીવનું નહીં. આહાહા ! વ્યવહાર રત્નત્રય દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ, શાસ્ત્રના ભણતરનો વિકલ્પ, નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ, એ પ્રકૃત્તિના કારણે ઉત્પન્ન થયેલું કાર્ય પુગલનું છે કહે છે. વ્યવહાર રત્નત્રયની શ્રદ્ધાનો ભાવ, એ પુદ્ગલનો છે કહે છે. અરેરે ! દ્રવ્ય જ્ઞાયકસ્વરૂપ પ્રભુ છે એમાં ક્યાં છે એ? નિમિત્તને આધિન થયેલો ભાવ નિમિત્તનો છે, પ્રકૃત્તિને આધિન થયેલો ભાવ પ્રકૃત્તિનો છે, પુદ્ગલને આધિન થયેલો ભાવ પૂગલનો છે, સ્વાધીન આત્માનો ભાવ નથી. વીતરાગી સંતો સિવાય કોણ કહે ભાઈ? જેને જગતની દરકાર નથી. સમાજ સમતોલ રહેશે કે નહીં. આ દિગંબર સંતો, નાગા બાદશાહથી આઘા, જેને કાંઈ સમાજની પડી નથી, સમાજને આ સમજાશે કે નહીં, સમાજ આમાં સમતોલ રહેશે કે નહીં, મશ્કરી તો નહીં કરે ને આ? અરે સાંભળ પ્રભુ, સાંભળ ભાઈ ! એની પર્યાયમાં થતાં દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ અને એની પર્યાયમાં થતાં ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભાવ. પણ આંહી કહે છે કે એ પર્યાયમાં થતાં ભાવ એ દ્રવ્યથી થયેલા ભાવ નથી. ભગવાન જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ પ્રભુ, એ વીતરાગ સ્વભાવનું બિંબ છે પ્રભુ તો આત્મા, એ વીતરાગ સ્વભાવના કાર્યો ક્યાં હોય આવા. આ તો અચેતન પ્રકૃત્તિ જે પુદ્ગલ એના કારણે કાર્ય થયેલાં માટે તે પુદ્ગલ છે. આહાહાહા ! આવું સ્વરૂપ છે. હજી તો લક્ષમાં આવું આવવું એ કઠણ, શાસ્ત્ર એમ કહે છે, પ્રભુ એમ કહે છે. એને ખ્યાલમાં આવ્યું છતાં ખ્યાલમાં આવવા છતાં એ વસ્તુનો અનુભવ નથી. એ પરલક્ષી જ્ઞાન થયું. એ ચૈતન્યદ્રવ્ય સ્વભાવ એ ભેદનું પણ લક્ષ છોડી દઈ, જે ખ્યાલમાં આવ્યું, લક્ષમાં આવ્યું, સંતો આચાર્યો મુનિઓ કેવળીઓ આમ કહે છે, છતાં તે લક્ષનું પણ લક્ષ છોડી દઈ, એ આઠ વરસના રાજકુમારો બાળકો, એ હીરા માણેકના મકાનો હોય સ્ફટીકમણિના, એમાં આ ભાન થાય, અરે અમે તો આનંદસ્વરૂપ છીએ, અમે તો જ્ઞાયક સ્વરૂપ પ્રભુ છીએ, જેને અંતરના આનંદના સ્વાદ આવ્યા, એ એનું કાર્ય, આ ભેદ એનું કાર્ય નહીં. એ વનમાં હાલ્યા જાય છે એકલા વાઘ અને સિંહની વચ્ચે કોઈ મને જાણે કે ઓળખે એનું કાંઈ રહ્યું નહી. મારો પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે એને હું પર્યાયમાં પૂર્ણાનંદ પ્રગટ કરવા અમે જંગલમાં, બહારમાં નહીં પણ અંદરમાં જઈએ છીએ. ભાઈ એની ચમત્કારિક દશા એ વસ્તુ કેવી હશે એ? આહાહાહા! એ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એના ખ્યાલમાં ગુરુએ કહ્યું આવ્યું એટલે એ અટકે નહીં, એ એને સાધવા અંતરમાં જાય છે. આ છે તો અત્યંતર ભાવ આ, પણ એ પર્યાયનાં અભ્યતર ભાવ, સંહનન, સંસ્થાન શરીર તે બાહ્ય તદ્દન બાહ્યના ભાવ, અને આ એના પર્યાયના અત્યંતર ભાવ, એ પણ તું નહીં, એ જીવદ્રવ્ય નહીં, એમ જ્યાં લક્ષમાં એને ખ્યાલમાં આવ્યું, ત્યાં એ અંતરમાં ઊતરી જાય છે. ઓલા અત્યંતરના ભાવના ભેદથી છૂટી, અત્યંતર
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy