SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૫૮ થી ૬૦ ૨૩૭ પર્યાયમાં નથી એમ જે કહ્યું પુદ્ગલના કીધા, એ નિશ્ચયની અપેક્ષાએ તાદાત્મય સંબંધ નથી માટે. પણ એની પર્યાયમાં એ નથી વ્યવહારનયે એમ નથી. વ્યવહારનયે હોં, નિશ્ચયનયે તો તાદાત્મ્ય સંબંધ નથી માટે નથી. આહાહા ! આવી વાતું હવે. પણ વ્યવહા૨નયે એની પર્યાયમાં શુભઅશુભ ભાવ એ લબ્ધિસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી પણ પર્યાય દૃષ્ટિએ પર્યાયમાં છે. જો પર્યાયમાં નથી તો સર્વ વ્યવહા૨નો લોપ, વ્યવહાર એટલે સંસાર, રાગાદિ ભાવ છે જ નહીં એમ નથી. આવું અહીં શુદ્ઘનયની દૃષ્ટિ કીધી છે, શુદ્ઘનય કહો કે નિશ્ચય કહો, પાછું એમ નહીં કે અહીં શુદ્ઘનય કહેવાનો આશય ત્રિકાળી શુદ્ધ છે તેને જોનારી દૃષ્ટિ તે શુદ્ઘનય છે એમ. બાકી તેને જ આંહી નિશ્ચયનય કહીએ. ઓલામાં આવે છે ને અગિયાર-બાર જય જય મિણતો જહઃ ત્યાં વ્યવહાર નિશ્ચય મુણેઈ છે એમ આવ્યું ત્યાં નિશ્ચય શબ્દ આવ્યો છે, એ તો અહીંયા ત્રિકાળી શાયકભાવ શુદ્ધ સ્વભાવ, બપોરે આવ્યુ’તું ને પૂરણ ગુણથી અભેદ પૂરણ આત્મદ્રવ્ય તે ચીજ છે વસ્તુ, નિશ્ચયથી તે છે અને તેથી તેની દૃષ્ટિ કરવાથી તેનો આશ્રય લેવાથી, પર્યાયની પૂર્ણતા પ્રગટ થાય છે. કાલે બપોરે (તમે ) નહોતા, બહુ સરસ આવ્યું' તું ઘણું આખું ૧૭૬, પૂરણ ગુણોથી અભેદ, ગુણ છે એ અપૂર્ણ ન હોય, ચાહે તો ૪૭ શક્તિ કીધી, જીવતર, ચિતિ, દેશિ જ્ઞાન એ અનંતગુણો તે પૂર્ણ છે. એ પૂર્ણ જે ગુણો છે અનંત, તેથી અભેદ એવું જે આત્મદ્રવ્ય તેના ઉપર દૃષ્ટિ દેવાથી પર્યાયમાં પૂરણ પર્યાયની પ્રાપ્તિ થાય છે. આહાહાહા ! ઘણી સાદી ભાષા, “પૂર્ણા ભવન્તી જીવન્તિ ભવન્તિ” આવે છે ને ? પાછળ નહીં. “ પૂર્ણો ભવન જીવતી” એ આજ સવા૨માં શ્લોક કાઢયો છે. દ્રવ્યનું અસ્તિત્વ છે ને ? ૧૪ બોલ પહેલાં તત્ અતતા, એક અનેક, સત્ અસત્ નિત્ય અનિત્ય સ્વથી છે ને ૫૨થી નથી, પહેલાં બોલમાં પૂર્ણા ભવન્તિ પૂર્ણ થઈને એ જીવે છે ૨હે છે. એ પર્યાયમાં લીધું છે ત્યાં પાંચમો શ્લોક છે, ચૌદ, ચૌદ બોલનો સવારે કાઢયો'તો ઓલો પૂર્ણની હારે મેળવવા, ઉંડાણની હારે મેળવવા ઓલું કાઢયું'તું કાલે વિશતી. અહીં ભગવાન આત્મા વસ્તુ દૃષ્ટિએ પૂર્ણ ગુણ અનંત અનંત અનંત છે પણ એ બધા પૂર્ણ છે, પર્યાયમાં હિનાધિકતા એ તો વ્યવહારનયનો વિષય છે. પૂર્ણ ગુણોથી અભેદ, પૂરણ આત્મદ્રવ્ય તેના ઉ૫૨ દૃષ્ટિ કરવાથી પર્યાયમાં પૂર્ણતા પ્રગટે છે. એ નિશ્ચયથી કહ્યું હતું, પણ એની પર્યાયમાં રાગદ્વેષ કે ગુણસ્થાન આદિ નથી એમ કહ્યું, એ તો શુદ્ઘનયની, નિશ્ચયનયથી કહ્યું પણ પર્યાયમાં છે. અનિત્ય સંબંધ એને એક સમયનો છે ઈ તો આવ્યું'ને ઓલું બંધનું, પંથનું એક સમયની અવસ્થાએ, એથી વ્યવહા૨નો નકા૨ ક૨ે કે, છે જ નહીં પર્યાયમાં, કથંચિત્ સત્યાર્થ છે, પર્યાયની અપેક્ષાએ છે એનામાં. આવી વાતું છે, ત્રિકાળની અપેક્ષાએ એનામાં નથી. આહાહાહા ! સર્વ વ્યવહા૨નો લોપ થતાં ૫૨માર્થનો પણ લોપ થાય. અહીં એમ નથી કહેવું કે, જે વ્યવહાર છે તો એનાથી નિશ્ચય થાય છે ઈ અહીં વાત નથી. વ્યવહાર શુભરાગ એ તો નિશ્ચયથી તો પુદ્ગલના પરિણામ કહ્યાં, અને પર્યાયમાં છે, એના રાગમાં એ તો છે એટલી વાત સિદ્ધ કરવી છે. પણ રાગથી આત્મ-સમ્યગ્દર્શન થાય, એ અહીં પ્રશ્ન અહીં છે નહીં. સમજાણું ? માટે
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy