SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પરિણામમય એ અનુભૂતિમય ભગવાન આત્માથી ભિન્ન છે. આહાહાહા ! આવો મારગ છે. (શ્રોતા – બહુ સુંદર) એવું છે. વસ્તુ એ આ વાસ્તુ આને કહીએ. રાગના પુગલના પરિણામ જાણીને, આ તો અપ્રશસ્ત રાગ છે બહારનો તો, એક ફેરી રાત્રે, નહોતું કહ્યું રામજીભાઈએ બહુ કહ્યું'તું લૂગડાં પહેરવા, ન્હાવું, ધોવું, આવું કરવું એ બધું પાપ છે. હું? ( શ્રોતા:- ખાવું પીવુ એ પાપ ) ખાવાપીવાનો ભાવ એ પાપ, સંસારને માટે સંસારી તો પોતે શરીરના પોષણ માટે ખાય છે. એ સવારમાં ન્હાવું કપડા ધોવા ને ધોયેલા સરખા પહેરવા એને બધો ભાવ પાપ છે. આહાહા ! એ તો ભિન્ન ચીજ છે, પણ દેવગુરુ ને શાસ્ત્રની ભક્તિનો ભાવ એ પ્રીતિરૂપ રાગ, એનાથી મને લાભ થશે એવી માન્યતા તો મિથ્યાત્વ છે. એ પુદ્ગલમય પરિણામ, પ્રભુના એ નહિ એ ચૈતન્ય ભગવાનના એ પરિણામ નહિ, કેમકે ચૈતન્યમાં અનંતા અનંતા અનંતા ગુણો ભરેલા છે. છતાં કોઈ એક ગુણ વિકાર કરે, પરિણમે એવો કોઈ ગુણ નથી. અનંતા અનંતા અનંતનો પાર નથી, પ્રભુ તારા ગુણની સંખ્યાનો એટલા અનંતા અનંતા અનંતા અનંતા અનંતને અનંતથી ગુણે અનંતી વાર ગુણે તોય પાર નહિ એટલા ગુણો તોય પણ એ ગુણનો અંત નથી. એટલા ગુણમાંયલો કોઈ ગુણ વિકાર કરે કે રાગ કરે એવો કોઈ ગુણ નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ? એ બધા ગુણો નિર્મળ છે, તેથી નિર્મળ પર્યાયને કરે એમ કહેવું એ પણ વ્યવહાર છે. એ પર્યાય પર્યાયને કરે નિર્મળને એનું નામ યથાર્થ છે. બહુ ઝીણી વાત બાપુ. વીતરાગ માર્ગ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ સર્વજ્ઞપ્રભુ એનો કોઈ પંથ જગતથી નિરાળો છે. કેટલાંક બાહ્યથી ધર્મ માને દયા, દાન આદિથી, તો કેટલાક ભક્તિથી ધર્મ માને દેવગુરુશાસ્ત્રથી બધી એક જાત છે. આહાહા! એ આંહી કહે છે આ શબ્દમાં તો ઘણું ભર્યું છે. “પ્રીતિરૂપ રાગ” જેને ભગવાન આનંદનો નાથ, એનો પ્રેમ જેને નથી તેને પરના ઉપર પ્રેમ છે, એ પ્રેમનો જે રાગ છે, તે દુઃખરૂપ છે. ચાહે તો દેવગુરુશાસ્ત્રની ભક્તિનો રાગ એ પણ દુઃખરૂપ છે. એ પ્રીતિરૂપ રાગ છે, પણ છે ખરો, અસ્તિત્વ છે, આત્મામાં નથી માટે નથી, એમ નહિ. આહાહા ! આત્મામાં કોઈ ગુણથી નથી માટે નથી, એમ નહિ પ્રીતિરૂપ રાગ છે, રાગ છે તે. આહાહા ! રાગનો વિકલ્પ સૂક્ષ્મ છે પ્રભુ તારી પર્યાયમાં રાગ થાય છે, છે પણ એ છે એ પુદ્ગલના પરિણામ છે એમ કહે છે, એ તારી પર્યાય નહિ. તારી પર્યાય અનંત ગુણમાંથી કોઈ ગુણ રાગ કરે એવો ગુણ નથી પછી પર્યાય તારી ક્યાંથી આવી ? એમ કહે છે. આહાહાહા ! ભગવાન આત્મા અનંત ગુણનો સાગર. શ્રીમદમાંય આવ્યુંને “મૂળ મારગ સાંભળો જિનનો રેકરી વૃત્તિ અખંડ સન્મુખ” વૃત્તિ નામ પરિણતિ વર્તમાન જે એની છે, તેને અખંડ દ્રવ્ય ઉપર વૃત્તિ કરી દે, મૂળ માર્ગ વીતરાગનો આ છે અનાદિ સનાતન, કરી વૃત્તિ નામ પરિણતિ જે વર્તમાન છે તેને અખંડ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરી દે તો રાગના પરિણામ પુગલમય છે તે ભિન્ન પડી જશે. એનો અર્થ સમજતાં નથી એને એમ કે આ ભક્તિ કરવી, આ ગુરુની ભક્તિ કરવી થઈ જશે ધર્મ, ધૂળેય નહિ થાય. આહાહા ! સમજાણું કાંઈ ? ધૂળેય નહિ થાય એટલે શું કીધું? એને પુણ્યાનુબંધી પુણ્યેય નહિ બંધાય. કેમકે એ રાગથી લાભ થાય એમ માને એ તો મિથ્યાત્વ છે અને મિથ્યાત્વમાં તો પુણ્યાનુબંધી પુણ્ય ય નથી, ત્યાં તો પાપાનુંબંધી પુણ્ય છે. છે પુણ્ય રાગ
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy