SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૯ ૧૩૭ બેયનું જ્ઞાન એક હારે હોવા છતાં પણ એ તે દ્રવ્ય પર્યાયને અડતું નથી. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન થાય, પર્યાયમાં ૫૨નું જ્ઞાન થાય, એવી જે પર્યાય તેમાં સ્વ૫૨નું મિશ્રિતજ્ઞાન કહેવામાં આવ્યું છતાં, એમ હોવા છતાં પણ જેમાં દ્રવ્યનું જ્ઞાન આવ્યું, પર્યાયનું જ્ઞાન આવ્યું, છતાં એ દ્રવ્ય, જે જ્ઞાને નિર્ણય કર્યો છે તે પર્યાયને, તે દ્રવ્ય અડતું નથી. આવી વાત છે. ભેળાં મિશ્રિતરૂપે હોવા છતાં પણ વ્યક્તપણાને સ્પશતો નથી, પર્યાયને તે અડતો નથી. પર્યાયમાં તેનું જ્ઞાન થવા છતાં તે આ જ્ઞાન જેનું થયું, એ વસ્તુ તે પર્યાયને અડતી નથી. પર્યાયમાં તે વસ્તુનું જ્ઞાન થયું, છતાં તે જ્ઞાન થયું એ પર્યાયને તે વસ્તુ અડતી નથી. આવી વાતું છે. લ્યો ત્રણ, ચાર પાંચ થયા ને. માટે તે અવ્યક્ત કહેવામાં આવે છે. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) તા. ૨/૧૧/૭૮ ગુરુવાર કારતક સુદ-૨ શ્રી સમયસા૨:- ૪૯ ગાથા. છઠ્ઠો બોલ છે ને અવ્યક્તનો ? ઝીણો અધિકાર છે પાંચ બોલ ચાલ્યા છે અવ્યક્તના. અવ્યક્ત એટલે શું ? કે એક તો એ કે છ દ્રવ્યસ્વરૂપ જે જગત છે લોક, એ શેય છે, એ વ્યક્ત છે. તેનાથી ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત છે, એ સક્ષમો સમ્યગ્દર્શનનો વિષય. ( શ્રોતાઃએમાં પોતે ના આવ્યો ) ના. એમાં ના આવ્યો. છ દ્રવ્ય સ્વરૂપ લોક શેય છે, ત્યારે ભગવાન આત્મા જ્ઞાયક છે, ‘આ’ હોં, છ દ્રવ્યસ્વરૂપ વ્યક્ત છે, ત્યારે આ આત્મા અવ્યક્ત અંદર ભિન્ન છે એનાથી, એને અવ્યક્ત નામ દર્શનનો વિષય અત્યારે કહેવામાં આવે છે. ( શ્રોતાઃ– લોકાલોકમાં પોતાનો જીવ તો આવી ગયો જુદો કેવી રીતે કહેવો ? ) હૈં ! લોકાલોકને આ જુદું સસમું. નહિ, નહિ, સસમ્ હો જાતા હૈ. એકકોર રામ ને એકકોર ગામ. કહ્યું'તું ને એ આવી ગઈ છે વાત. એકકો૨ ભગવાન શાયકસ્વરૂપ અને એકકોર એની પર્યાયમાં છ દ્રવ્ય આદિ જાણે એ બધું છ દ્રવ્યને જાણવું એ સમયની પર્યાય એ બધી શેય ને વ્યક્તમાં જાય છે. પ્રગટ છે બહાર. અંતર તત્ત્વ જે ધ્રુવ શાયક તત્ત્વ છે, તે આત્મા એમ આંહી તો કહેવામાં આવ્યું છે. ઝીણી વાત ભાઈ. એ વાત તો આવી ગઈ છે. પ્રવચન ન. ૧૨૫ ગાથા – ૪૯ બીજો બોલ. કષાયો જે પુણ્ય ને પાપના વિકારભાવ છે, એ ભાવક જે કર્મ છે તેનો એ ભાવ છે, એ આત્માનો સ્વભાવ નહિ. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ ભાવકનો ભાવ છે, કર્મ છે તેનાથી નિમિત્ત થયેલો વિકાર તે તેનો ભાવ છે, એનાથી ભગવાન ભિન્ન છે. ઝીણી વાત છે ભાઈ. કભી એણે સમ્યગ્દર્શન શું ચીજ છે, અને કેમ થાય એની એને ખબર જ નથી. ત્રીજું. ચિત્સામાન્યમાં ચૈતન્ય જ્ઞાયકસ્વરૂપ જે સામાન્ય છે, એમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્ભૂત છે. ભગવાન આત્મા શાયક સામાન્ય જે ધ્રુવ જે અસલ એકરૂપ છે. એમાં ભૂત ને ભવિષ્યની જે વ્યક્ત પર્યાયો જ્ઞાનઆદિ અનંત દ્રવ્યની ગુણની એ બધી અંતર્મગ્ન છે. એ બાહ્યનો પ્રગટ જે પર્યાય છે, અનંત એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ વ્યક્ત છે, તેનાથી પણ એ ભગવાન ભિન્ન છે. આંહી તો એ પૂર્વ, ભૂત અને ભવિષ્યની જેટલી પર્યાયો થઈ ગઈ અનંત, એ બધી વર્તમાન જ્ઞાયકમાં અંતર્મજ્ઞ છે, હવે એ વર્તમાન પર્યાય ૨હી એ એનો નિર્ણય
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy