SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨ ૪૯૩ પર્યાયમાં ભાત પડે, જાતની ભાત પડે, એ દૃષ્ટિ અને જ્ઞાનને એની કોર લઈ જતાં. આહાહાહા ! એ જ્ઞાનની પર્યાય ને શ્રદ્ધાની પર્યાય અને શાંતિની પર્યાય પણ અપૂર્ણ છે હુજી, એથી ત્રિકાળનો વિષય છે એ તો નિશ્ચય છે તો હવે એને વ્યવહાર પર્યાય છે કે નહીં? એક તો તમે ત્રિકાળી દ્રવ્ય કીધું ને એનો આશ્રય સમકિત કીધું તો હવે એને કોઈ પર્યાય, પર્યાય રહી છે કે નહીં ? કે પૂરણ થઈ ગયું છે? પૂર્ણનો આશ્રય લીધો પણ પર્યાયમાં પૂર્ણ થઈ ગ્યો છે? હેં! આહાહાહા! શું કરી છે વાત, ગજબ કરી છે ને!! શશીભાઈ ! ભાઈ ! તેં પૂરણનો આશ્રય કર્યોધ્રુવનો પણ પર્યાયમાં પૂરણ થયો છો? થયો હોય તો તો પર્યાયનો વ્યવહાર તારે હોય નહીં. અને તે જાણવું રહે નહીં તેને એમ એને કહે છે. અને જે પૂરણ થયો તો તેને અશુદ્ધતા કે શુદ્ધતા છે નહીં. એટલે એ જાણવું એને છે જ નહીં. આહાહા ! તેથી કેવળીને શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન એમ કીધું, નહિ તો ન્યાં નય કયાં છે? આહા! એ કહ્યું હતું ને કાલ. એકસો તેંતાલીસ ગાથા “કર્તા કર્મ”, કે શ્રુતજ્ઞાનમાં વ્યવહાર ભેદરૂપ નિશ્ચય ને વ્યવહારનય, તે નયને ઓળંગી ગયેલા કેવળી. કેમકે નય છે તે શ્રુતજ્ઞાનનો ભેદ છે. ભગવાન તો શ્રુતજ્ઞાનને ઓળંગી ગયા છે. આહાહાહા ! એટલે એને નય છે નહીં. છતાં એમ કીધું કે શુદ્ધનય પૂરણ થઈ ગઈ એનો અર્થ એ કે એનો આશ્રય કરવો બાકી રહ્યો નહીં. પૂર્ણદશા પ્રગટ થઈ ગઈ હવે જાણવું કામ કરે છે બસ! આહાહા ! ઈ એકસો તેંતાલીસમાં આવે છે કર્તા કર્મમાં. લ્યો આંહી સુધી તો કહેવાય ગયું હતું કાલ. એનું આ હાલ્યું આટલું. કો છોટાભાઈ બપોરે કાલ તો કો સારું ચાલ્યું'તું. (શ્રોતા – બહુ સરસ ન્યાલ થઈ જાય તેવું ) હા. ન્યાલ થઈ જાય તેવું વાત સાચી. આહાહા ! છે તેને પ્રાપ્ત કરવો છે ને પ્રભુ! ન હોય તેને પ્રાપ્ત કરવો હોય તો તો ન થાય. આહાહા ! એમ આવ્યું તું ને છે.. છે.. છે.. જાણનાર, જાણનાર, જાણનાર. છે ને? ત્રિકાળ.. જાણનાર... જાણનાર... જાણનાર... જાણનાર. બસ, છે તેને પ્રાપ્ત કરવો છે, છે એમ એને સ્વીકાર કરવો છે. આહાહા ! એથી પર્યાય સ્વીકાર કરે છે જેની છે તેને. આહાહા ! સમજાણું કાંઈ? ઝીણું બહુ બાપુ! આહાહા ! એથી, પછી કહે ને સોનગઢ નિશ્ચયવાદી, એકાંતવાદી, એકાંતવાદી. પ્રભુ! તને ખબર નથી બાપુ ભાઈ. (શ્રોતા – આચાર્યોનેય નિશ્ચયવાદી કહ્યા તો તો) નિશ્ચયવાદી એટલે આ તો એકાંત નિશ્ચયવાદી કહે છે, એમ કે વ્યવહારથી થાય એ વાત કહેતા જ નથી. નિમિત્તથી થાય એમ કહેતા જ નથી. વાત તો એમ જ છે. વ્યવહાર છે એમ જાણેલો પ્રયોજનવાન છે એમ કહીએ છીએ. પણ વ્યવહારથી નિશ્ચય થાય એવી વસ્તુ નથી. (શ્રોતા નિમિત્ત નથી તો બેય ઉપાદાન છે?) પણ બે નય છે તે બેયનો વિષય વિરુદ્ધ છે નહિતર બે (નામ) કેમ પડયાં? બે નયનો સરખો વિષય હોય તો બે પડે કેમ? એક નયનો વિષય ત્રિકાળ છે અને એક નયનો વિષય વર્તમાન પર્યાય છે-શુદ્ધ, અશુદ્ધ આદિ, આહાહાહા ! બેય વિરુદ્ધનો સ્યાદ્વાદ સમાધાન કરી નાખે છે. કે ત્રિકાળની અપેક્ષાએ એને નિશ્ચય કહ્યો, વર્તમાન પર્યાય છે તે વ્યવહાર છે. ભેદ પડ્યો ને.. ભલે શુદ્ધનો અંશ ભેદ છે તે વ્યવહાર છે ત્રિકાળી અભેદ તે નિશ્ચય છે. આહાહા ! લ્યો એટલું થ્ય લ્યો ઓલું પછી લેવાશે. (પ્રમાણ વચન ગુરુદેવ!). Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy