SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૪ ૧૬૭ ટૂંકામાં સમાડી દીધું છે. કેમ જણાય આત્મા? અનંત કાળથી જાણ્યો નથી, એ વસ્તુ પ્રભુ અંદર ચૈતન્ય ચમત્કારથી ભરેલો પદાર્થ, પરમ આનંદની ગાંઠડી, પરમ આનંદનો સ્વભાવ જેનો પૂરો ભર્યો છે. આહાહા! વસ્તુ છે એ પોતે દુઃખરૂપ ન હોઈ શકે. દુઃખ તો વિકાર છે. તેથી તો અતીન્દ્રિય આનંદના સ્વરૂપે બિરાજમાન અંદર આત્મા છે, દરેક. આહાહા ! એને ભેદજ્ઞાનરૂપી નિર્મળ પ્રકાશથી, જુદા પાડવાના ભેદજ્ઞાનરૂપી નિર્મળ પ્રકાશથી સ્પષ્ટ, પ્રગટ ભિન્ન દેખવામાં આવે છે. આહાહાહા ! એવું માત્ર ભિન્ન આત્માનું એકપણું જ, આવું માત્ર બસ. આહાહા ! આ ભિન્ન આત્માનું એકપણું, રાગથી ભિન્ન પરના જાણવાપણાના લક્ષથી પણ ભિન્ન, આહાહાહા ! એવું ભિન્ન આત્માનું માત્ર આ એક જ બાકી રહી ગયું છે કહે છે. આહાહાહા! બાકી તો કર્યું ઘણું, સાંભળ્યું, ધાર્યું. આહાહા! માત્ર આ ભિન્ન આત્માનું. આહાહા! એકલો નિર્મળાનંદ પ્રભુ અંદર છે, ચૈતન્ય સૂર્ય, ચૈતન્યના પ્રકાશનો પૂંજ પ્રભુ અંદર છે, ભાઈ તને ખબર નથી. એવા માત્ર, આ ભિન્ન આત્માનું એકપણું, આ ભગવાન આત્મા એને પરથી જુદાપણું, જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે. આ એની વ્યાખ્યા કરી હવે, પહેલો ઉપાયથી મળે પ્રગટ એમ કહ્યું, તો હવે છે કેવો અંતરંગ પ્રભુ? આહાહા ! જે સદા પ્રગટપણે, વ્યક્તપણે આ અંતરંગમાં, ચૈતન્યસ્વરૂપ અંતરંગમાં પ્રગટપણે પ્રકાશમાન જ્યોતિ છે. આહાહા ! ચૈતન્યના પ્રકાશની જ્યોતિ છે એ, અંતરંગમાં એ ચીજ ભરી છે એની. આહાહા ! સદા પ્રગટપણે અંતરંગમાં, સદાય પ્રગટપણે અંતરંગમાં, ત્રિકાળ ભગવાન આત્માનું સ્વરૂપ સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, પ્રકાશમાન ચૈતન્ય પ્રકાશ જ્યોતિ છે, ચંદ્ર જેમ જિન ચંદ્ર પ્રકાશ શિતળનો પિંડ જેમ છે, એમ આ આત્મા શીતળ, પ્રકાશ, શીતળ નામ અકષાય; અકષાય સ્વભાવના પ્રકાશનો પિંડ છે, આવી વાતું હવે. અંતરંગમાં પ્રકાશ છે. છે અંદરમાં પ્રકાશમાન કહે છે. અને ભેદજ્ઞાનથી પ્રત્યક્ષ જણાય એવો છે, એમ બે વાત કરી, છે અંદર અંતરંગમાં ચકચકાટ ચૈતન્ય વસ્તુ તત્વ છે, તત્ત્વ છે, અસ્તિ છે, તો ઈ ચૈતન્યના આનંદના ચમત્કારથી પ્રકાશમાન પ્રભુ અંદરમાં બિરાજે છે. આહાહા ! એને ભેદજ્ઞાનની નિર્મળ જ્યોતિથી સ્પષ્ટ જાણવામાં આવે, એવો એ છે. પણ તેને એણે જાણ્યો નહિં કોઈ દિ' આહાહા ! છે? તોપણ કષાયચક્રના સાથે ” શુભ કે અશુભ રાગ એની સાથે, “એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી” આહાહા ! એક થતો નથી, ચૈતન્ય પ્રકાશનો પૂંજ પ્રભુ, એ પુણ્ય ને પાપ શુભ અશુભનો રાગ કષાય, એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ રાગ, એ રાગ કષાય છે. આહાહા ! એની સાથે એકરૂપ જેવું કરવામાં આવતું, એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી, કષાયચક્ર, ચક્ર કેમ કીધું? પુણ્ય ને પાપ શુભ અને અશુભ ભાવ એ કષાય ચક્રવૃત્તિ ઊઠે રાગ એક પછી એક. શુભ અશુભ, શુભ અશુભ, આહાહા ! એવા કષાયચક્રની સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી, માનવામાં આવતું હોવાથી એમ કહે છે અહીં, છે તો પ્રકાશમાન જ્યોતિ પ્રગટ ભિન્ન, પણ રાગના કષાયના કણ સાથે એકરૂપ જેવું, એકરૂપ થયું નથી. એકરૂપ થાતું નથી પણ એકરૂપ જેવું કરવામાં આવ્યું ઊંધા પુરુષાર્થથી. આહાહાહા! અલૌકિક વાતું છે બાપુ આ. અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ, સદાય અંતરંગમાં પ્રગટ પ્રકાશમાન છે અને તે ચીજ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy