SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૧ ને પરને જાણવાના સામર્થ્યરૂપે પોતે પરિણમે છે. એવું પોતાના પરિણમનની પર્યાયનું અસ્તિત્વનું એટલું સામર્થ્ય છે. પર છે માટે એને પરને જાણે છે એમેય નહીં. એ પર છે એના તે સંબંધીનું અસ્તિત્વનું જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે, તેટલા અસ્તિત્વનું પોતે પોતામાં રહીને સ્વને અને પરને જાણતાં અનેકરૂપે પરિણમ્યું જ્ઞાન, એથી અનેક થઈ ગ્યું છે એમ નથી. જ્ઞાનની પર્યાય તો એકરૂપ પોતે રહી છે. આહાહા! આમાં કાંઈ લોઢા બોઢામાં મળે એવું નથી. આહાહા! આમાં ક્યાંય આહાહા ! સોના ઝવેરાતવાળા હોય લ્યોને મોટા- ધૂળેય નથી ત્યાં. આહાહા! “જેમાં અનેક વસ્તુઓના ભાવો પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે” આહાહા ! આ વિશેષણથી, આ બધા જીવના વિશેષણ કહ્યા ને? જીવવસ્તુ, એને વિશેષણથી ઓળખાવી, કે આવો જીવ છે. આવો જીવ છે, આવો જીવ છે એનાં આ વિશેષણો છે. વિશેષ વસ્તુ પોતે, એનાં આ બધાં વિશેષણોથી એને ઓળખાવ્યો. આહાહા! એક “નીવો' એની વ્યાખ્યા હાલે છે આ. “નીવો ચરિતવંસMUIT ડિવો” એ પછી ચાલશે. આહાહા! અમૃતચંદ્રાચાર્ય જે કુંદકુંદાચાર્યને મળ્યા નહોતાં. ભગવાન પાસે ગયાં નહોતાં. પણ કુંદકુંદાચાર્યના પેટમાં જે ભાવ કહેવાના હતા ભાષામાં એ ભાવ ખોલ્યા છે. આહાહા ! આવી ટીકા ભરતક્ષેત્રમાં અત્યારે બીજે તો નથી પણ દિગમ્બરમાં આ સમયસારની આવી ટીકા એવી બીજે ઠેકાણે નથી. આહાહા ! આખો એને હલાવી નાખે એકવાર તો. આહાહા ! પરથી જુદો પ્રભુ તું પરથી જુદો લાગે. આહા ! પરને જાણવા છતાં પરરૂપે થઈને જાણે છો એમ નહીં. પરને જાણવા કાળે પણ તારારૂપે રહીને થઈને તું જાણે છો. કિરણભાઈ ! ભાષા તો સહેલી છે ! આવી વાતું છે બાપુ શું થાય? આહાહા ! પરનું કાંઈ કરી શકતો તો નથી, કેમકે પરના આકારો એમ કીધા ને! એ તો પરરૂપે છે. આ એમ આવ્યું ને? “પોતાના અને પરદ્રવ્યોના આકારોને પરદ્રવ્ય, પરદ્રવ્યરૂપે છે, એના દ્રવ્યગુણપર્યાય. પોતાના પોતાના દ્રવ્યગુણપર્યાય છે. એને સામર્થ્ય હોવાથી એને, “પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી પરરૂપે થઈને નહીં, પોતાના જ્ઞાનમાંથી ખસીને પરને જાણે છે એમ નહીં, આહા ! પોતાના જ્ઞાનના અસ્તિત્વમાં રહીને, સ્વ ને પરના આકારોને જાણવા છતાં એકરૂપે રહે છે” એકનો બે થાતો નથી. આહાહાહા ! આ જ્ઞાન પોતાને જાણે ને પરને નથી જાણતું એમ કહેનારાઓનો નિષેધ કર્યો. જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું “પરને જાણતું નથી' કઈ અપેક્ષાએ? પરમાં તન્મય થઈને પરને જાણતું નથી. પણ પરને પરમાં તન્મય થયા વિના, પોતામાં રહી ને પરને પર તરીકે બરાબર જાણે છે. આહાહા ! “આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે પરને નથી જાણતું” એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જ જાણે છે. “એમ અનેકાકાર માનનારનો વ્યવચ્છેદ થયો” પોતે પોતાને નથી જાણતો પરને જ જાણે છે એમ માનનારા છે. આહાહા ! આ શરીર છે, આ વાણી છે, આ ધંધો છે એને જ્ઞાન જાણે ઈ પરને જાણે છે એમ. પોતાને નથી જાણતો અરે પણ, પરને જાણવાકાળે જાણનાર પર્યાય પોતાની છે કે પરની છે? એ પોતામાં રહીને પરને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy