SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહ્યો? અરે.. કીધું, વસ્તુનું સ્વરૂપ છે “સમય” = સમ+ અય, માટે સમય કીધું છે. આહાહા! આત્માને “સમય” કેમ કહ્યો? કે એકપણે પરિણમે અને જાણે એક સમયમાં એકપણે બે ક્રિયા કરે તેને સમય કહેવામાં આવે છે. એ સમયે તે આત્મા છે. એ આત્મા જ પરિણમે અને જાણે, બીજા પદાર્થોમાં પરિણમન ગમન છે, પણ જાણવું નથી. ગમનની અપેક્ષાએ બીજાને “સમય” કહેવાય. પણ આંહી તો “જાણવું ને ગમન કરવું અર્થમાં જે હોય તેને “સમય” કહીએ. આહાહા. પછી સ્વસમય લેશે. હજી તો “સમય” કોને કહીએ. આહા.! “આ જીવ નામનો પદાર્થ એ સમયનો અર્થ કર્યો, હવે જીવની હારે મેળવે છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક, એકત્વપૂર્વક સુધાર્યું છે. એક જ વખતે ” એકત્વપૂર્વક એક જ કાળે પરિણમે પણ છે અને જાણે પણ છે, તેથી તે સમય છે તેથી તેને સમય આત્માને કહેવામાં આવે છે. જાણવાનું કાર્ય પણ કરે અને પરિણમે, એકી સાથે બે કરે. આહાહા! સમય એક, બે ક્રિયા, પરિણમવાની ને જાણવાની. “એકસાથે 'કેમ કહ્યું? કે પરિણમે પહેલો ને જાણે પછી, એમ નહીં. પરિણમવું ને જાણવું એક જ સમયે છે. આહાહા ! એકત્વપૂર્વક કરે એને એકપણે કરીને કરે ! આહાહા ! આવી ઝીણી વાત છે. સમયસાર સમજવું સાંભળવું બાપુ આકરું કામ છે. બાકી તો બધું દુનિયા કરે છે આખી. ઢોરની જેમ મેહનતું કરે છે ઢોર જેવા આ બધાં આખો દિ' રાગ ને આ ને આ ને ઢોર થવાના ને ઢોર જેવી મહેનતું કરે છે. આહા ! (શ્રોતાઃ પૈસાવાળા એમાં આવી જાય?) પૈસાના બાપ હોય, મોટા અબજોપતિ હોય બધાં ઢોર થવાનાં પશુ કાગડામાં કાગડી થવાનાં, બકરાના બચ્ચાં થવાનાં, ઢેઢગરોળીની કૂખે ઢેઢગરોળી થાશે, આવડી થાય છે ને બાપુ! વસ્તુ સ્વરૂપ એવું છે. આહાહા! અરે! એણે જોયું ને જાણ્યું છે ક્યાં ને જોયું છે ક્યાં? એને દરકાર ક્યાં છે? આહાહા! અનંતકાળ વીતી ગયો પ્રભુ! તે આ રીતે ઊંધાઈ કરી છે. આહાહા! ભગવાન આત્મા અનંતગુણનું પરિણમન એક સમયે અને જ્ઞાનનું જાણવું એ સમયે, બીજાં અનંતા ગુણો પરિણમે છે પણ જાણતાં નથી. આહાહા ! એક સમયમાં એટલે કે સૂક્ષ્મકાળમાં, આહા!ભગવાન આત્માના જે અનંતાગુણો જે છેડા ને છેલ્લા વિનાના કીધાં, એ બધા ગુણોનું એક સમયમાં પરિણમન, બદલવું, હલચલ થવી, ધ્રુવ છે એમાં હલચલ નથી. ઉત્પાદ વ્યયમાં હલચલ છે. એટલે ઈ ધ્રુવ, ધ્રુવપણે રહી અને અનંતા ગુણોનું હલચલ નામ પરિણમન થાય અને તે જ વખતે જ્ઞાન જાણવાનું કામ કરે એને આત્મા કહીએ. આ બધું તમારે ઝવેરાત-બવેરાતનું (જાણપણું) ને બધા મીંડા વાળે છે અહીં, આહાહા ! અરે પ્રભુ! આવું ક્યાં છે ભાઈ ? આહાહા ! અનંત કાળના અસંખ્ય ક્ષેત્રમાં અનંત વાર ઊપજ્યો. આહાહા ! એવો આત્મા કેટલો કેવડો છે અને ઈ કેવડો આત્મા? એક સમયમાં અનંતા ગુણોનો છેડો નહીં છેલ્લો નહીં એનું પરિણમન કરે, આહાહા! અને તે જ સમયે જ્ઞાન કરે એકત્વપૂર્વક બેની ક્રિયા કરે. આહાહા ! કાળભેદ નહીં. આહાહા! ભઈ ! જે વખતે પરિણમે છે એ વખતે જાણે એને ! અને જ્ઞાન પણ જે વખતે પરિણમે છે તે વખતે એને જાણે ! કે હા. જ્ઞાન પોતે પરિણમે પણ છે, પરિણમનમાં તો જ્ઞાનનું આવી ગયું ને! બધાં ગુણો પરિણમે છે તો એમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy