SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ પણ છે. તે શા કારણથી ? “ “અજ્ઞાનાત '' અનાદિથી કર્મનો સંયોગ છે, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે, તે કારણે ભોક્તા છે. ‘‘તવમાવતિ આવે વ:'' મિથ્યાત્વરૂપ વિભાવપરિણામનો નાશ થતાં જીવદ્રવ્ય સાક્ષાત્ અભોક્તા છે. ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્યનું અનંત ચતુષ્ટય સ્વરૂપ છે તેમ કર્મનું કર્તાપણુંભોક્તાપણું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિથી વિભાવરૂપ-અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે. તે વિભાવપરિણતિનો વિનાશ થતાં જીવ અકર્તા છે, અભોક્તા છે. હવે મિથ્યાદષ્ટિ જીવ દ્રવ્યકર્મનો અથવા ભાવકર્મનો કર્તા છે, સમ્યગ્દષ્ટિ કર્તા નથી એમ કહે છે. ૪-૧૯૬. (શાર્દૂલવિક્રીડિત) अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः। इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता।।५-१९७।। ખંડાન્વય સહિત અર્થ:- “નિyળે: અજ્ઞાનિતા ત્યજતાં'' (નિપુ:) સમ્યગ્દષ્ટિ જીવોએ (જ્ઞાનતા) પરદ્રવ્યમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વપરિણતિ () જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો? ““માસ અવનિર્તઃ'' શુદ્ધ ચિતૂપના અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન છે. કેવો છે શુદ્ધ ચિકૂપનો અનુભવ? “ “શુદ્ગાત્મમયે'' (શુદ્ધ) સમસ્ત ઉપાધિથી રહિત એવું જે (પછાત્મ) એકલું જીવદ્રવ્ય (મયે) તે સ્વરૂપ છે. બીજું શું કરવાનું છે? ““જ્ઞાનિતા સેવ્યતા'' શુદ્ધ વસ્તુના અનુભવરૂપ-સમ્યકત્વપરિણતિરૂપ સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે. શું જાણીને એવો થાય? ““તિ વં નિયનં નિરુણ'' (તિ) જે પ્રકારે કહે છે (ર્વ નિયમ) એવા વસ્તુસ્વરૂપ પરિણમનના નિશ્ચયને (નિઋણ) અવધારીને. તે વસ્તુનું સ્વરૂપ કેવું? “મજ્ઞાની નિત્યે વેવ: ભવેત'' (મજ્ઞાની) મિથ્યાષ્ટિ જીવ (નિત્યં) સર્વ કાળે (વેવ: મત) દ્રવ્યકર્મનો, ભાવકર્મનો ભોક્તા થાય છે એવો નિશ્ચય છે; મિથ્યાત્વનું પરિણમન એવું જ છે. કેવો છે અજ્ઞાની? ‘‘પ્રકૃતિરૂમાવનિરત:'' (પ્રકૃતિ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy