SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૮ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ दृष्टि: यथैव ज्ञानमकारकं तथाऽवेदकं चैव। जानाति च बन्धमोक्षं कर्मोदयं निर्जरां चैव।। ३२० ।। यथात्र लोके दृष्टिदृश्यादत्यन्तविभक्तत्वेन तत्करणवेदनयोरसमर्थत्वात् दृश्यं न करोति न वेदयते च, अन्यथाग्निदर्शनात्सन्धुक्षणवत् स्वयं ज्वलनकरणस्य, लोहपिण्डवत्स्वयमौष्ण्यानुभवनस्य च दुर्निवारत्वात्, किन्तु केवलं दर्शनमात्रस्वभावत्वात् तत्सर्व केवलमेव पश्यति; तथा ज्ञानमपि स्वयं द्रष्टुत्वात् कर्मणोऽत्यन्तविभक्तत्वेन निश्चयतस्तत्करणवेदनयोरसमर्थत्वात्कर्म न करोति न वेदयते च, किन्तु केवलं ज्ञानमात्रस्वभावत्वात्कर्मबन्धं मोक्षं वा कर्मोदयं निर्जरां वा केवलमेव जानाति। ગાથાર્થઃ- [ 4થી વ દfe:] જેમ નેત્ર (દશ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ છે), [તથા] તેમ [ જ્ઞાનમ] જ્ઞાન [ IR$] અકારક [ ઝવે વ] તથા અવેદક છે, [૨] અને [વશ્વમોક્ષ ] બંધ, મોક્ષ, [ ] કર્મોદય [ નિર્નર ૨ ઈવ] તથા નિર્જરાને [નાનાતિ] જાણે જ છે. ટીકા-જેવી રીતે આ જગતમાં નેત્ર દશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા-વેદનાને અસમર્થ હોવાથી, દશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી–જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી, *સંધૂક્ષણની માફક, પોતાને (નેત્રને) અગ્નિનું કરવાપણું (સળગાવવાપણું), અને લોખંડના ગોળાની માફક પોતાને (નેત્રને) અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય ( અર્થાત્ જો નેત્ર દશ્ય પદાર્થને કરતું વેદતું હોય તો તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ અવશ્ય થવો જોઈએ; પરંતુ એમ તો થતું નથી, માટે નેત્ર દેશ્ય પદાર્થને કરતું-વેદતું નથી, પરંતુ કેવળ દર્શનમાત્રસ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે; તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક ) દેખનાર હોવાથી, કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા-વેદનાને અસમર્થ હોવાથી, કર્મને કરતું નથી અને વેદતું નથી, પરંતુ કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું (જાણવાના સ્વભાવવાળું હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે. ભાવાર્થ-જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે; માટે કરવુંભોગવવું જ્ઞાનને નથી. કરવા-ભોગવવાપણું માનવું તે અજ્ઞાન છે. અહીં કોઈ પૂછે કે “ એવું તો કેવળજ્ઞાન છે. બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખદુ:ખરાગાદિરૂપે પરિણમન થાય જ છે, તેમ જ જ્યાં સુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ * સંધૂક્ષણ = સંધૂકણ, અગ્નિ સળગાવનાર પદાર્થ અગ્નિ ચેતાવનારી વસ્તુ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy