SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૬ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ आत्मबन्धयोर्विधाकरणं मोक्षः। बन्धस्वरूपज्ञानमात्रं तद्धेतुरित्येके , तदसत; न कर्मबद्धस्य बन्धस्वरूपज्ञानमात्रं मोक्षहेतुः, अहेतुत्वात्, निगडादिबद्धस्य बन्धस्वरूपज्ञानमात्रवत्। एतेन कर्मबन्धप्रपञ्चरचनापरिज्ञानमात्रसन्तृष्टा उत्थाप्यन्ते। जह बंधे चिंतंतो बंधणबद्धो ण पावदि विमोक्खं। तह बंधे चिंतंतो जीवो वि ण पावदि विमोक्खं ।। २९१ ।। ગાથાર્થ - [ 4થા નામ] જેવી રીતે [ વર્જન] બંધનમાં [ વિરાનપ્રતિવ:] ઘણા કાળથી બંધાયેલો [ શ્ચિત્ પુરુષ:] કોઈ પુરુષ [તચ] તે બંધનના [તીવ્રન્દ્રસ્વમાનં] તીવ્ર-મંદ (આકરા-ઢીલા) સ્વભાવને [વસિં ૨] અને કાળને (અર્થાત્ આ બંધન આટલા કાળથી છે એમ) [ વિનાનાતિ] જાણે છે, [ યર] પરંતુ જો [ન પિ છેવું રોતિ] તે બંધનને પોતે કાપતો નથી [ તેન મુચ્યતે] તો તેનાથી છૂટતો નથી [7] અને [વશ્વનવસ: સન] બંધનવશ રહેતો થકો [વદુન કપિ વાસેન] ઘણા કાળે પણ [સ: નર:] તે પુરુષ [ વિમોક્ષમ્ ન પ્રાપ્નોતિ] બંધનથી છૂટવારૂપ મોક્ષને પામતો નથી; [ તિ] તેવી રીતે જીવ [ wવશ્વનાનાં] કર્મબંધનોનાં [ પ્રવેશસ્થિતિપ્રવૃતિમ્ વત્ અનુમાન] પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને [નાનન ]િ જાણતાં છતાં પણ [ ન મુચ્યતે] (કર્મબંધથી) છૂટતો નથી, [૨ ઃિ : વ શુદ્ધ: ] પરંતુ જો પોતે ( રાગાદિને દૂર કરી ) શુદ્ધ થાય [ મુચ્યતે] તો જ છૂટે છે. ટીકા:-આત્મા અને બંધનું દ્વિધાકરણ (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા ) તે મોક્ષ છે. “બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ છે (અર્થાત બંધના સ્વરૂપને જાણવા માત્રથી જ મોક્ષ થાય છે)” એમ કેટલાક કહે છે, તે અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આથી (-આ કથનથી), જેઓ કર્મબંધના પ્રપંચની (વિસ્તારની) રચનાના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને ઉત્થાપવામાં આવે છે. ભાવાર્થ-બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્યમતી માને છે. તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. જાણવા માત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે. બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છે: બંધન મહીં જે બદ્ધ તે નહિ બંધચિંતાથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે. ૨૯૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy