SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ છે. સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ कथमिति चेत् जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो । ववहारेण तह कदं णाणावरणादि जीवेण । । १०६ ।। योधैः कृते युद्धे राज्ञा कृतमिति जल्पते लोकः। व्यवहारेण तथा कृतं ज्ञानावरणादि जीवेन ।। १०६ ।। यथा युद्धपरिणामेन स्वयं परिणममानैः योधैः कृते युद्धे युद्धपरिणामेन स्वयमपरिणममानस्य राज्ञो राज्ञा किल कृतं युद्धमित्युपचारो, न परमार्थः। तथा ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयं परिणममानेन पुद्गल-द्रव्येण कृते ज्ञानावरणादिकर्मणि ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयमपरिणम-मानस्यात्मनः किलात्मना कृतं ज्ञानावरणादिकर्मेत्युपचारो, न परमार्थः। ભાવાર્થ:-કદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દષ્ટાંતથી કહે છે: યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે, એમ જ કર્યાં વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. ગાથાર્થ:- [ યોષ: ] યોદ્ધાઓ વડે [ યુદ્ધ તે] યુદ્ધ કરવામાં આવતાં, ‘[રાજ્ઞા મ્] રાજાએ યુદ્ધ કર્યું ' [ કૃતિ ] એમ [લો: ] લોક [ નળ્વતે] (વ્યવહા૨થી ) કહે છે તથા] તેવી રીતે ‘[જ્ઞાનાવરણવિ] જ્ઞાનાવરણાદિ કર્મ [ નીવેન નૃત] જીવે કર્યું' [ વ્યવહારેળ] એમ વ્યવહારથી કહેવાય છે. ટીકા:-જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે ‘રાજાએ યુદ્ધ કર્યું' એવો ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્દગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે ‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું' એવો ઉપચાર છે, પરમાર્થ નથી. ભાવાર્થ:-યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં ‘રાજાએ યુદ્ધ કર્યું' એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્દગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં ‘ જીવે કર્મ કર્યું' એમ ઉપચારથી કહેવાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy