SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર भारत्याः वाण्याः विभूतयो बोधितसर्वात्महितत्त्वादिसम्पदः। कथंभूतस्यापि जयन्ति ? अवदतोऽपि ताल्वोष्ठपुटव्यापारेण वचनमनुच्चारयतोऽपि। उक्तं च “यत्सर्वात्महितं न वर्णसहितं न स्पंदितोष्ठद्वयं, नो वांछाकलितं न दोषमलिनं न श्वासरुद्धक्रमं । शान्तामर्षविषैः समं पशुगणैराकर्णितं कर्णिभिः, તન: સર્વવિદ્ર: પ્રગવિપ૬: પાયાદપૂર્વ વવ:”ગા ? अथवा भारती च विभूतयश्च छत्रत्रयादयः। पुनरपि कथम्भूतस्य ? ટીકા : જે ભગવાનની જયવંત વર્તે છે અર્થાત્ સર્વોત્કર્ષરૂપે વર્તે છે-શું (જયવંત વર્તે છે)? ભારતીની વિભૂતિઓ-ભારતીની એટલે વાણીની અને વિભૂતિઓ એટલે સર્વ આત્માઓને હિતનો ઉપદેશ દેવો ઇત્યાદિરૂપ સંપદાઓ-(જયવંત વર્તે છે ). કેવા હોવા છતાં (તેમની વાણીની વિભૂતિઓ) જયવંત વર્તે છે? નહિ બોલતા હોવા છતાં અર્થાત્ તાલુ-ઓષ્ઠના સંપુટરૂપ (સંયોગસમ) વ્યાપારધારા વચનોચ્ચાર કર્યા વિના પણ ( તેમની વાણી પ્રવર્તે છે). વળી કહ્યું છે કે જે સર્વ આત્માઓને હિતરૂપ છે, વર્ણરહિત નિરક્ષરી છે, બંને હોઠના પરિસ્પંદન ( હલન-ચલનરૂપ વ્યાપારથી) રહિત છે, વાંચ્છારહિત છે, કોઈ દોષથી મલિન નથી, તેના (ઉચ્ચારણમાં ) શ્વાસનું રૂંધન નહિ હોવાથી અક્રમ (એક સાથે) છે અને જેને શાન્ત તથા ક્રોધરૂપી વિષથી રહિત (મુનિગણ ) સાથે પશુગણે પણ કર્ણદ્વારા (પોતાની ભાષામાં) સાંભળી છે તે દુઃખવિનાશક સર્વજ્ઞની અપૂર્વ વાણી અમારી રક્ષા કરો.” અથવા “ભારતીવિમૂતય:' નો અર્થ “ભારતી એટલે વાણી અને વિભૂતિઓ એટલે ત્રણ છત્રાદિ’ એમ પણ થાય. વળી કેવા ભગવાનની ? તીર્થના કર્તા હોવા છતાં ઇચ્છા રહિતની-ઇહા એટલે વાંચ્છા જે મોહનીયકર્મનું કાર્ય છે, તે કર્મનો ભગવાનને ક્ષય હોવાથી તેમનામાં તેનો (વાંચ્છાનો) અસદ્દભાવ (અભાવ) છે; તેથી તેઓ ઇચ્છારહિત હોવા છતાં તે કરવાની ઇચ્છા રહિત હોવા છતાં “તીર્થકૃત' છે અર્થાત્ સંસારથી તારવાના (પાર કરાવવાના) કારણભૂતપણાને લીધે તીર્થ સમાન અર્થાત્ તીર્થ એટલે આગમ-તેના કરનાર છે તેમની (વાણી જયવંત વર્તે છે ). કેવા નામવાળા તેમને (નમસ્કાર)? સકલાત્માને, “શિવ' ને શિવ એટલે પરમ સુખ, પરમ કલ્યાણ અને જે નિર્વાણ કહેવાય છે કે જેમણે પ્રાપ્ત કર્યું તેવાને, “ધાતાને” – અસિ-મસિકૃષિ આદિદ્વારા સન્માર્ગના ઉપદેશક હોવાના કારણે જેઓ સકલ લોકના અભ્યદ્ધારક (તારણહાર) शिवं परमकल्याणं निर्वाणं शान्तमक्षयं । प्राप्तं मुक्तिपदं येन स शिवः परिकीर्तितः ।। Please inform us of any errors on [email protected]
SR No.008301
Book TitleSamadhi Tantra
Original Sutra AuthorN/A
AuthorDevnandi Maharaj
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy