SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૯૫ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચનસાર પ્રવચનો હવે દ્રવ્યનું લક્ષણ દર્શાવે છે : अपरिचत्तसहावेणुप्पादव्ययधुवत्तसंबद्धं गुणवं च सपज्जायं जं तं दव्वं ति बुच्चति ।। ९५ ।। अपरित्यवक्तस्वभावेनोत्पादव्ययधुवत्वसंबद्धम् । गुणवच्च सपर्यायं यत्तदृद्रव्यमिति ब्रुवन्ति ।। ९५ ।। છોડયા વિના જ સ્વભાવને ઉત્પાદ- વ્યય - ધ્રુવયુક્ત છે, વળી ગુણ ને પર્યય સહત જે, “દ્રવ્ય” ભાખ્યું તેહને. ૯૫. ગાથા-૯૫. અન્વયાર્થ:- [અપરિત્યòસ્વભાવેન ] સ્વભાવને છોડયા વિના [ યત્ ] [ ઉત્પાવવ્યયવત્વસંવન્દ્વન્] ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યસંયુક્ત છે [૬] તથા [મુળવત્ સપર્યાય] ગુણવાળું ને પર્યાય સહિત છે. [તત્ ] તેને (દ્રવ્યમ્ કૃતિ ) ‘દ્રવ્ય ’ [ ધ્રુવન્તિ ] કહે છે. - ટીકા:- અહીં (આ વિશ્વમાં) જે, સ્વભાવભેદ કર્યા વિના, ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યત્રયથી અને ગુણ પર્યાય હ્રયથી લક્ષિત થાય છે, તે દ્રવ્ય છે. તેમાં (સ્વભાવ, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, ગુણ ને પર્યાય એ છ શબ્દો કહ્યા તેમાં ), દ્રવ્યનો સ્વભાવ અસ્તિત્વસામાન્યરૂપ અન્વય. અસ્તિત્વ બે પ્રકારનું કહેશેઃ (૧) સ્વરૂપ-અસ્તિત્વ અને (૨) સાદશ્ય અસ્તિત્વ. ઉત્પાદ તે પ્રાદુર્ભાવ (અર્થાત્ પ્રગટ થવું, ઉત્પન્ન થવું ); વ્યય તે પ્રચ્યુતિ (અર્થાત્ ભ્રષ્ટ થવું, નષ્ટ થવું ); ધ્રૌવ્ય તે અવસ્થિતિ (અર્થાત્ ટકવું). ગુણો તે વિસ્તારવિશેષો. તેઓ સામાન્ય વિશેષાત્મક હોવાથી બે પ્રકારના છે. તેમાં, અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અન્યત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, સર્વગતત્ત્વ, અસર્વગતત્ત્વ, સપ્રદેશત્વ, અપ્રદેશત્વ, મૂર્તિત્વ, સક્રિયત્વ, અક્રિયત્વ, ચેતનત્વ, અચેતનત્વ, કર્તુત્વ, અર્તુત્વ, ભોકતૃત્વ, અભોકતૃત્વ, અગુરુલઘુત્વ ઇત્યાદિક સામાન્યગુણો છે; અવગાહેતુત્વ, ગતિનિમિત્તતા, સ્થિતિકારણત્વ, વર્તનાયતનત્વ, રૂપાદિમત્વ, ચેતનત્વ ઇત્યાદિક વિશેષગુણો છે. પર્યાયો તે આયતવિશેષો, તેઓ પૂર્વે જ (૯૩મી ગાથાની ટીકામાં) કહેલા ચાર પ્રકારના છે. - દ્રવ્ય તે ઉત્પાદાદિક સાથે અથવા ગુણપર્યાયો સાથે લક્ષ્ય નથી, સ્વરૂપથી જ દ્રવ્ય તેવું (ઉત્પાદાદિવાળું અથવા ગુણપર્યાયવાળું) છે – વસ્ત્રની જેમ. ૧. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યત્રય=ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય-એ ત્રણનો સમૂહ) ૨. ગુણપર્યાય દ્રય=ગુણ ને પર્યાય-એ યુગલ (બેનો સમૂહ) લક્ષ્ણભેદ હોવા છતાં સ્વરૂપ ભેદ ૮૭ ૩. લક્ષિત થાય છે = લક્ષ્યરૂપ થાય છે; ઓળખાય છે (૧) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તથા (૨) ગુણ લક્ષ્ય છે.) ૪. ‘છે, છે, છે’ એવો એકરૂપ ભાવ દ્રવ્યનો સ્વભાવ છે. (અન્વય=એકરૂપતા;સદશભાવ ). 1 પર્યાય તે લક્ષણો છે અને દ્રવ્ય ને Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy